સોમનાથ : “એક ભારત, શ્રેષ્ઠ ભારત” થીમ પર ભવ્ય નૃત્ય મહોત્સવ યોજાયો, 400 કલાકારોએ મનમોહક પ્રસ્તુતિઓ રજૂ કરી…

ગીર સોમનાથ જિલ્લાના સોમનાથ મંદિર નજીક ચોપાટી ખાતે 'એક ભારત, શ્રેષ્ઠ ભારત'ની થીમ આધારિત ભવ્ય નૃત્ય મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું.

New Update
  • પૂર્વોત્તર-ગુજરાતની કલા સંસ્કૃતિના સંગમનું સાક્ષી બન્યું સોમનાથ

  • એક ભારતશ્રેષ્ઠ ભારતની થીમ પર ભવ્ય નૃત્ય મહોત્સવ યોજાયો

  • 400 કલાકારોએ મનમોહક વિવિધ રંગારંગ પ્રસ્તુતિઓ રજૂ કરી

  • ભગવાન શ્રી કૃષ્ણ દ્વારા રૂક્મિણી હરણના તાદ્રશ્યએ લોકોનું મન હર્યું

  • રાજ્યના પ્રવાસન મંત્રી મૂળુ બેરા સહિતના મહાનુભાવોની ઉપસ્થિતિ

ગીર સોમનાથ જિલ્લાના સોમનાથ મંદિર નજીક ચોપાટી ખાતે'એક ભારતશ્રેષ્ઠ ભારત'ની થીમ આધારિત ભવ્ય નૃત્ય મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં રાજ્યના પ્રવાસન મંત્રી મૂળુ બેરા સહિતના મહાનુભાવો વિશેષ ઉપસ્થિત રહ્યા હતા.

રાજ્યના રમતગમતયુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ અને પ્રવાસન વિભાગની પ્રેરણા અને માર્ગદર્શન હેઠળ ગીર સોમનાથ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા'એક ભારતશ્રેષ્ઠ ભારત'ની ભાવના સાથે ભવ્ય સાંસ્કૃતિક કાર્યક્રમનું સોમનાથ મંદિર પાસેની ચોપાટી ખાતે આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં અરૂણાચલ પ્રદેશઆસામમણિપુરમિઝોરમમેઘાલયસિક્કિમત્રિપુરા અને નાગાલેન્ડ સહિતના પૂર્વોત્તર રાજ્યોના 200 તથા ગુજરાતના 200 મળી 400 જેટલા કલાકારોએ કલાના કામણ થકી પોતાની સાંસ્કૃતિક વિરાસતો અને ધરોહરસભર કલાનૃત્યો રજૂ કર્યા હતા.

સોમનાથ ખાતે આયોજિત ભવ્ય સાંસ્કૃતિક કાર્યક્રમમાં પૂર્વોત્તર અને ગુજરાતની કલા-સંસ્કૃતિનો અનોખો સંગમ જોવા મળ્યો. આ કાર્યક્રમ માધવપુર મેળાની પ્રી-ઈવેન્ટના ભાગરૂપે યોજાયો હતો. એક તરફ સમી સાંજે ક્ષિતિજે દરિયા અને પૃથ્વીનું મિલન થતું હોય એવા માહોલ વચ્ચે નૃત્ય મહોત્સવમાં કલાકારોની ઉર્જાસભર સાંસ્કૃતિક કૃતિઓથી સોમનાથ પૂર્વોત્તર અને ગુજરાતની સંસ્કૃતિના મિલનથી ઝૂમી ઉઠ્યું હતું. આ પ્રસંગે પ્રવાસન મંત્રી મૂળુ બેરાએ જણાવ્યું કેગુજરાતમાં 1500થી વધુ મેળાઓનું આયોજન થાય છે. આ મેળાઓ વિવિધ સંસ્કૃતિઓને એકબીજા સાથે જોડવાનું માધ્યમ બની રહ્યા છે. તેમણે ઉમેર્યું કેરાજ્યમાં પ્રવાસન ક્ષેત્રે થયેલા વિકાસના કારણે 18.64 કરોડ લોકો ગુજરાતની વિરાસતને માણવા માટે આવે છે.

Read the Next Article

વલસાડ : મૃતક રિયાના ઓર્ગનથી અનામતાએ શિવમની કલાઈ પર રાખડી બાંધતા ભાવુકતા ભર્યો માહોલ છવાયો

વલસાડમાં રક્ષાબંધન પર્વ નિમિત્તે અનોખો સંયોગ જોવા મળ્યો હતો,સ્વ.રિયાનો એક હાથ મુંબઈની અનામતાને ડોનેટ કરવામાં આવ્યો હતો,

New Update
  • રક્ષાબંધન પર સર્જાયો અનોખો સંયોગ

  • મૃતક બહેનના ભાઈને મળ્યા આશીર્વાદ

  • સ્વ.રિયાના હાથનું કરાયું હતું ડોનેટ

  • મુંબઈની અનામતામાં હાથનું કરાયું હતું ટ્રાન્સપ્લાન્ટ

  • અનામતાએ સ્વ.રિયાના ભાઈને બાંધી રાખડી

  • ઈશ્વર અને અલ્હાનું દેવત્વ ખરા અર્થમાં સાકાર થયું  

વલસાડમાં રક્ષાબંધન પર્વ નિમિત્તે અનોખો સંયોગ જોવા મળ્યો હતો,સ્વ.રિયાનો એક હાથ મુંબઈની અનામતાને ડોનેટ કરવામાં આવ્યો હતો,ત્યારે આજના આ પવિત્ર પ્રસંગે સ્વર્ગસ્થ બહેનના જ હાથથી ભાઈ શિવમને આશીર્વાદ મળતા ભાવુકતા ભર્યો માહોલ છવાય ગયો હતો.

વલસાડની પ્રેમલાગણી અને માનવતાની મિસાલની એક અનોખી ઘટના દેશભરમાં હૃદયસ્પર્શી બની હતી.સપ્ટેમ્બર 2024માં સુરતની કિરણ હોસ્પિટલમાં બ્રેઈનડેડ જાહેર કરાયેલી 9 વર્ષીય સ્વ. રિયા બોબી મિસ્ત્રીના હાથનું દાન ડોનેટ લાઈફ સંસ્થાના માધ્યમથી કરવામાં આવ્યું હતું. વિશ્વના ઈતિહાસમાં સૌથી પહેલીવાર એટલી નાની ઉંમરે માત્ર 9 વર્ષની બાળકીના હાથનું આ દાન થયું હતું. સ્વ. રિયાનો જમણો હાથ મુંબઈની ગ્લોબલ હોસ્પિટલમાં ડો.નીલેશ સાતભાઈ દ્વારા ગોરેગાવમુંબઈની રહેવાસી 15 વર્ષીય અનામતા અહેમદમાં સફળતાપૂર્વક ટ્રાન્સપ્લાન્ટ કરવામાં આવ્યો હતો. આ ટ્રાન્સપ્લાન્ટ દ્વારા એક પરિવારના જીવનમાં નવી આશા જાગી નથીપરંતુ આજે સ્વ. રિયાના ભાઈના જીવનમાં પણ બહેનના પ્રેમનો અહેસાસ ફરી જીવી ઉઠયો છે.

રક્ષાબંધનની ઉજવણી કરવા અનમતા અહેમદ રિયાનાં ભાઈ શિવમને રાખડી બાંધવા મુંબઈથી વલસાડ તેના પરિવાર સાથે આવીને રાખડી બાંધી હતી. આ ક્ષણ કંઈક એવી હતી કેઆંખો પણ લાગણીસભર આંસુઓથી છલકાઈ ગઈ હતી.પોતાની બહેનને ગુમાવી દીધા બાદ પણ તેના ડોનેટ કરાયેલા હાથ દ્વારા ભાઈના હાથ પર રાખડી બંધાતા લાગણીના તાર અતૂટ રીતે જોડાઈ ગયા હતા.યુવાનીમાં ડગ માંડતી અનામતાને તો જાણે હાથ નહીં પણ રિયા નામની નવી પાંખો મળી હતી.તેનો સમગ્ર પરિવાર રિયાનાં પરિવારનોડોનેટ લાઈફ તથા તબીબોનો ઋણી છે. તેથી જ આ રક્ષાબંધન પર એ ઋણ અદા કરવા અનમતા અહેમદ વલસાડ આવી પહોંચી હતીરિયાના હાથથી ભાઈ શિવમના હાથ પર અનમતાએ જ્યારે રાખડી બાંધી ત્યારે એક અનન્ય રક્ષાબંધનનો માહોલ રચાય ગયો હતો.સ્વ. રિયાના હાથનું અંગદાન આ રક્ષાબંધન પર ઈશ્વર અને અલ્હાના દેવત્વને ખરા અર્થમાં સાકાર કરી ગયું હતું.