સોમનાથ: કાર્તિકી પૂર્ણિમા મેળામાં વિક્રમજનક 2 લાખથી વધુ લોકોની મેદની ઉમટી પડી

ગુજરાતના પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મહાદેવના સાનિધ્યમાં આયોજીત કાર્તિકી પૂર્ણિમાના મેળામાં ખૂબ જનમેદની ઉમટી રહી છે,અને સોમનાથ મહાદેવના દર્શન સાથે મેળાનો આનંદ પણ શ્રદ્ધાળુઓ ઉઠાવી રહ્યા છે.

New Update
  • સોમનાથમાં કાર્તિકી પૂનમના મેળામાં જામી રંગત

  • મહાદેવના દર્શન અને મેળાનો આનંદ ઉઠાવતા શ્રદ્ધાળુઓ

  • બે દિવસમાં 3 લાખથી વધુ લોકોએ લીધી મેળાની મુલાકાત

  • સુરક્ષાના કારણોસર મોટી રાઇડ્સ બંધ રાખવાના નિર્ણયને લોકોએ આવકાર્યો

  • મેળામાં સુરક્ષાની સમીક્ષા કરવા માટે પોલીસ દ્વારા ડ્રોન સર્વેલન્સ

Advertisment
ગુજરાતના પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મહાદેવના સાનિધ્યમાં આયોજીત કાર્તિકી પૂર્ણિમાના મેળામાં ખૂબ જનમેદની ઉમટી રહી છે,અને સોમનાથ મહાદેવના દર્શન સાથે મેળાનો આનંદ પણ શ્રદ્ધાળુઓ ઉઠાવી રહ્યા છે.
સોમનાથમાં આયોજીત કાર્તિકી પૂર્ણિમા મેળો અત્યાર સુધીના દરેક રેકોર્ડ તોડી રહ્યો છે. મેળાની પ્રથમ રાત્રીએ 1 લાખથી વધુ સેહલાણીઓથી સમુદ્ર ઘુઘવાટા મારી રહ્યો હતો.ત્યારે મેળાના બીજા દિવસે વિક્રમ જનક 2 લાખથી વધુ મુલાકાતીઓ મેળામાં પધાર્યા હતા.
ટ્રસ્ટ દ્વારા લોકોની સુરક્ષાને કેન્દ્રમાં રાખીને સરકારના સુરક્ષા માપદંડો મેળવવામાં નિષ્ફળ ગયેલ એજન્સીનું ટેન્ડર રદ કરી મોટી રાઇડ બંધ રાખવાનો નિર્ણય લેવાયો હતો. ત્યારે આ નિર્ણય લોકો અને વેપારીઓ બંને માટે આશીર્વાદરૂપ સાબિત થયો છે. જે સામાન્ય પરિવારો મેળામાં બે કે ત્રણ રાઈડમાં બેસીને ખાણીપીણીમાં ઓછો ખર્ચો કરતા તેની સામે ખાણીપીણી, રાચરચીલાનો વ્યાપાર અનેક ગણો વધ્યો છે.
અત્યાર સુધી ક્યારેય પહેલા દિવસે ન આવી હોય તેટલી મેદની 2 દિવસમાં જોવા મળી છે.જેથી મેળામાં વેપારીઓ આનંદમાં છે.સાથે મેળામાં આવનાર મુલાકાતીઓ પણ જણાવી રહ્યા છે કે મેળામાં રાઇડ્સમાં ખર્ચો કરવા ઉપરાંત પણ સલામતીની ચિંતા સતાવતી હોય છે. ત્યારે સોમનાથ ટ્રસ્ટે સલામતી ન હોય તેવી રાઇડ્સ બંધ રાખવાનો જે નિર્ણય કર્યો છે તે આવકારદાયક છે.સાથે સાથે જે રાઇડ્સમાં ખર્ચો કરવાના હતા તે બાળકો સાથે ખાણીપીણી અને ખરીદીમાં કરીએ છીએ જેથી પરિવાર પણ ખુશ છે.
Advertisment
Read the Next Article

સાબરકાંઠા : તલોદ માર્કેટ યાર્ડમાં બાજરીની હરાજીમાં ઓછા ભાવ બોલાતા ખેડૂતો વિફર્યા..!

સાબરકાંઠા જિલ્લાના વેપારી મથક તરીકે ઓળખાતા તલોદ માર્કેટયાર્ડમાં હરાજીમાં બાજરીના ઓછા ભાવ બોલાતા ખેડૂતો વિફર્યા હતા. જોકે, સત્તાવાળાઓએ દરમિયાનગીરી કરી ફરીથી હરાજી શરૂ કરાવતા ખેડૂતોએ રાહત અનુભવી હતી.

New Update
  • તલોદ માર્કેટ યાર્ડમાં શરૂ કરવામાં આવી હતી હરાજી

  • હરાજીમાં બાજરીના ઓછા ભાવ બોલાતા ખેડૂતો વિફર્યા

  • નીચા ભાવથી બોલી શરૂ કરાતાં ખેડૂતો નિરાશ થયા

  • આખરે માર્કેટયાર્ડના સત્તાવાળાએ કરી દરમિયાનગીરી

  • ફરીથી હરાજી શરૂ કરાવતા ખેડૂતોએ રાહત અનુભવી

Advertisment

સાબરકાંઠા જિલ્લાના વેપારી મથક તરીકે ઓળખાતા તલોદ માર્કેટયાર્ડમાં હરાજીમાં બાજરીના ઓછા ભાવ બોલાતા ખેડૂતો વિફર્યા હતા. જોકેસત્તાવાળાઓએ દરમિયાનગીરી કરી ફરીથી હરાજી શરૂ કરાવતા ખેડૂતોએ રાહત અનુભવી હતી.

સાબરકાંઠા જિલ્લાના માર્કેટયાર્ડમાં બાજરીની હરાજી શરૂ થતાની સાથે જ વેપારીઓએ એકસંપ કરીને ઉનાળુ બાજરીનો ભાવ ખૂબ જ નીચો બોલીને હરાજીમાં ભાગ લેતા કેટલાક ખેડૂતોએ હોબાળો મચાવીને હરાજીનું કામકાજ અટકાવી દીધું હતું. જોકેખેડૂતોએ કરેલા હોબાળા અંગે માર્કેટ યાર્ડના સત્તાવાળાઓને જાણ થયા બાદ ખેડૂતો અને વેપારીઓ સાથે દરમિયાનગીરી કરી ફરીથી હરાજીનું કામકાજ શરૂ કરાવ્યુ હતું. તલોદ ખાતે તાજેતરમાં શરૂ કરાયેલ ટેકાના ભાવે બાજરી ખરીદી કરવા માટે કેન્દ્રનો પ્રારંભ કર્યો છે. જેમાં સરકારે ઉનાળુ બાજરીના પ્રતિ 20 કિલોના ભાવ અંદાજે રૂપિયા 585 નક્કી કર્યો છે.

દરમિયાન ગુરૂવારે તલોદ માર્કેટયાર્ડમાં તાલુકા સહિત અન્ય સ્થળેથી ઉનાળુ બાજરી વેચવા માટે અનેક ખેડૂતો વાહનો લઇને લાઇનમાં ઉભા થઇ ગયા હતા. તો બીજી તરફવેપારીઓએ એકસંપ થઇને ઉનાળુ બાજરીની ગુણવત્તા ચકાસ્યા વગર પ્રતિ 20 કિલો બાજરીનો ભાવ અંદાજે રૂપિયા 400થી હરાજી શરૂ કરવાને બદલે કેટલાક વેપારીઓએ રૂપિયા 200થી 250નો ભાવ બોલી હરાજી શરૂ કરી હતી. જેને લઇને ઉપસ્થિત ખેડૂતોમાં નિરાશા વ્યાપી ગઇ હતી. જેથી ઉશ્કેરાયેલા ખેડૂતોએ વેપારીઓની મનમાની સામે તલોદ માર્કેટ યાર્ડના મુખ્ય દરવાજા આગળ કેટલાક ટ્રેક્ટરો ઉભા કરી દઇને આડશ ગોઠવી દીધી હતી. ત્યારબાદ તલોદ માર્કેટયાર્ડના ચેરમેન સહિત કર્મચારીઓએ વેપારીઓ તથા ખેડૂતો સાથે વાતચીત કરી હતીજ્યાં ખેડૂતો પાસેથી બાજરી ખરીદવા માટે અંદાજે 20 કિલોનો ભાવ રૂપિયા 400થી શરૂ કરીને રૂપિયા 520 સુધીનો બોલીને બાજરીની ખરીદી કરી હતી.

Advertisment