સોમનાથમાં કાર્તિકી પૂનમના મેળામાં જામી રંગત
મહાદેવના દર્શન અને મેળાનો આનંદ ઉઠાવતા શ્રદ્ધાળુઓ
બે દિવસમાં 3 લાખથી વધુ લોકોએ લીધી મેળાની મુલાકાત
સુરક્ષાના કારણોસર મોટી રાઇડ્સ બંધ રાખવાના નિર્ણયને લોકોએ આવકાર્યો
મેળામાં સુરક્ષાની સમીક્ષા કરવા માટે પોલીસ દ્વારા ડ્રોન સર્વેલન્સ
ટ્રસ્ટ દ્વારા લોકોની સુરક્ષાને કેન્દ્રમાં રાખીને સરકારના સુરક્ષા માપદંડો મેળવવામાં નિષ્ફળ ગયેલ એજન્સીનું ટેન્ડર રદ કરી મોટી રાઇડ બંધ રાખવાનો નિર્ણય લેવાયો હતો. ત્યારે આ નિર્ણય લોકો અને વેપારીઓ બંને માટે આશીર્વાદરૂપ સાબિત થયો છે. જે સામાન્ય પરિવારો મેળામાં બે કે ત્રણ રાઈડમાં બેસીને ખાણીપીણીમાં ઓછો ખર્ચો કરતા તેની સામે ખાણીપીણી, રાચરચીલાનો વ્યાપાર અનેક ગણો વધ્યો છે.