સોમનાથ : સોમનાથ મહાદેવના કરી શકાશે દર્શન પણ ઓનલાઇન બુકિંગ જરૂરી
શુક્રવારના રોજથી રાજયભરના મંદિરોના ખુલશે દ્રાર, સવારે 7.30 થી રાતના 8 વાગ્યા સુધી ખુલ્લુ રહેશે મંદિર
રાજયમાં કોરોનાની બીજી લહેર ઓછી થતાં હવે દેવાલયોને ખોલવાની મંજુરી સરકારે આપી છે. અરબી સમુદ્રના કિનારે આવેલું સોમનાથ મહાદેવ મંદિર તા. 11 એપ્રિલ 2021 થી દર્શનાર્થીઓ માટે બંધ કરવામાં આવ્યું હતું. જે હવે તા. 11 જૂનના રોજથી ભાવિકો માટે ખુલી જશે. આમ આ કોરોનાની બીજી લહેર બાદ 61 દિવસ બાદ ફરીથી મંદિર ખુલવા જઇ રહયું છે. મંદિર ટ્રસ્ટના જનરલ મેનેજર વિજયસિંહ ચાવડાએ જણાવ્યું હતું કે, સોશિયલ ડિસ્ટનસિંગ નું ચુસ્ત પાલન થાય તે માટે મંદિર ની એન્ટ્રી થી લઈ પરિસર સુધી ગોળ રાઉન્ડ તૈયાર કરવામાં આવ્યા છે. વધુમાં દર્શન માટે માસ્ક ફરજીયાત પહેરીને જ આવવાનું રહેશે.
ટ્રસ્ટની વેબસાઈટ www.somnath.org પર પણ દર્શન માટેના સ્લોટની લીંક મૂકવામાં આવી છે. જે લીંક દ્વારા ઓનલાઈન બુક કરાવી દર્શન પાસ મેળવી શકાશે. તેથી વધુ સમય લાઈનમાં ન ઉભા રહેવું પડે. સવારે 7:30 થી 11:30 અને 12:30 થી 6:30 સુધી માત્ર દર્શન માટે જ મંદિર ખુલશે. આરતીમાં કોઈને પણ પ્રવેશ આપવામાં નહીં આવે. આથી બહારથી આવતા શ્રદ્ધાળુઓ અગાઉથી ઓનલાઈન દર્શન નું બુકીંગ કરાવીને જ દર્શન માટે આવવાનું રહેશે. જેથી તેઓને પણ દર્શન માં બિનજરૂરી વધુ પડતો સમય ઉભા ન રહેવું પડે.
રૂ. 20 કરોડ : ભરૂચના દહેજથી રાજસ્થાનના બાડમેર સુધી 2 મહાકાય રિએક્ટર...
8 Aug 2022 8:32 AM GMTરક્ષાબંધનના દિવસે રાખડી બાંધવાનો સમયગાળો સવારે નહીં, પણ રાતે રહેશે...
6 Aug 2022 10:57 AM GMTઅંકલેશ્વર: સરદાર પટેલ હોસ્પિટલ નજીક ફાયરિંગમાં ઘવાયેલ ટ્રાવેલ્સ...
9 Aug 2022 10:58 AM GMTઅંકલેશ્વર: યુનિયન બેન્કમાં રૂ.44 લાખની લૂંટ કરનાર 5 આરોપી ઝડપાયા,...
5 Aug 2022 2:37 AM GMTઅંકલેશ્વર : ઓરિસ્સાના 4 યુવાનો ટ્રાવેલ બેગમાં ગાંજાના મોટા જથ્થા સાથે...
10 Aug 2022 10:54 AM GMT
અમદાવાદ: બેંક ફ્રોડના ઇતિહાસમાં 7 ભેજાબાજોએ અપનાવી નવા પ્રકારની...
12 Aug 2022 12:01 PM GMTપોલીસની "પરેડ" : આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત ભરૂચ-અંકલેશ્વરમાં યોજાય...
12 Aug 2022 11:35 AM GMTભરૂચ: જિલ્લા કક્ષાનો વન મહોત્સવ નાયબ મુખ્ય દંડક દુષ્યંત પટેલની...
12 Aug 2022 11:19 AM GMTઅમદાવાદ:એલિસબ્રિજ વિધાનસભામાં યુવા ભાજપ દ્વારા તિરંગા યાત્રાનું આયોજન,...
12 Aug 2022 9:52 AM GMTઅમદાવાદ: વાસણા બેરેજમાંથી છોડાશે વિપુલ પ્રમાણમાં પાણી,12 ગામોમાં...
12 Aug 2022 8:00 AM GMT