બોટાદ : સાળંગપુરમાં રાજ્યનું પ્રથમ 1100 રૂમ ધરાવતું ગોપાળાનંદ સ્વામી યાત્રિક ભવન તૈયાર, ગૃહમંત્રી અમિત શાહ કરશે લોકાર્પણ

બોટાદ જિલ્લાના સુપ્રસિદ્ધ યાત્રાધામ સાળંગપુર હનુમાનજી મંદિર પરિસરમાં આધ્યાત્મિક સ્થળનું અને ગુજરાતનું પહેલું 1100 રૂમનું ગોપાળાનંદ સ્વામી યાત્રિક ભવન બનીને તૈયાર થયું છે,

New Update

સાળંગપુર મંદિર પરિસરમાં આધ્યાત્મિક સ્થળનું નિર્માણ

રાજ્યનું પ્રથમ 1100 રૂમવાળું યાત્રિક ભવન બનીને તૈયાર

યાત્રિકોની સુવિધાને ધ્યાનમાં રાખી યાત્રિક ભવનનું નિર્માણ

ગોપાળાનંદ સ્વામી યાત્રિક ભવનનું કરવામાં આવશે લોકાર્પણ

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ સહિત સંતો-મહંતો રહેશે ઉપસ્થિત

બોટાદ જિલ્લાના સુપ્રસિદ્ધ યાત્રાધામ સાળંગપુર હનુમાનજી મંદિર પરિસરમાં આધ્યાત્મિક સ્થળનું અને ગુજરાતનું પહેલું 1100 રૂમનું ગોપાળાનંદ સ્વામી યાત્રિક ભવન બનીને તૈયાર થયું છેત્યારે સેવન સ્ટાર હોટેલને ટક્કર આપે તેવું યાત્રિક ભવનનું લોકાર્પણ તા. 31મી ઓક્ટોબરના કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહના હસ્તે કરવામાં આવનાર છે.

સાળંગપુરમાં દિવસે અને દિવસે દાદાના દર્શન માટે લાખો ભક્તો ઉમટી રહ્યા છે. દાદાના ભક્તોને કોઈ તકલીફ ન પડે એ માટે મંદિરના સંતો દ્વારા સેવન સ્ટાર હોટેલને ટક્કર આપે તેવું ગોપાળાનંદ સ્વામી યાત્રિક ભવન બનાવવામાં આવ્યું છે. સાળંગપુર હનુમાનજી મંદિરના પરિસરમાં 200 કરોડ રૂપિયાથી વધુના ખર્ચે વિશ્વના દરેક આધ્યાત્મિક સ્થળનું અને ગુજરાતનું પહેલું સૌથી વધુ રૂમવાળું 1100 રૂમનું ગોપાળાનંદ સ્વામી યાત્રિક ભવન બનીને તૈયાર થઈ ગયું છે. આ 8 ફ્લોરવાળા ગેસ્ટ હાઉસનું લોકાર્પણ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ અને વડતાલ ગાદીના આચાર્ય મહારાજ 1008 રાકેશપ્રસાદ તથા સંતોના હસ્તે તા. 31 ઓક્ટોબર 2024ના રોજ કરવામાં આવનાર છે. મહત્વનું છે કેશ્રી હરિપ્રકાશદાસજી સ્વામીના સંકલ્પ તથા કોઠારી સ્વામી વિવેકસાગરદાસજી-અથાણાવાળાના માર્ગદર્શન અને વડતાલ ટેમ્પલ બોર્ડના સહકારથી આ રાજમહેલ જેવું ગોપાળાનંદ સ્વામી યાત્રિક ભવનનું નિર્માણ કરવામાં આવ્યું છે. આ યાત્રિક ભવન શ્રી કષ્ટભંજન દેવ હનુમાનજી મંદિરની ડાબી બાજુ થોડાક અંતરે અને નવા ભોજનાલયની પાછળના ભાગે બનાવાયું છે. અહી યાત્રિકો ગણતરીની મિનિટોમાં જ રૂમ બુક કરાવી શકે છે. યાત્રિકો માટે કુલ 1 હજારથી વધુ રૂમ ઉપલબ્ધ છે. જેમાં 500 AC અને 300 નોન AC રૂમ5 સર્વન્ટ હોલ14 સ્ટોર રૂમ. યાત્રિકો પોતાના રૂમમાં આરામથી જઈ શકે તે માટે સીડી ઉપરાંત 10 હાઈ સ્પીડ લિફ્ટની સુવિધા પણ રાખવામાં આવી છે. યાત્રિક ભવનમાં 300થી વધુ હાઈટેક સીસીટીવી કેમેરા પણ લગાવાયા છે.

 

Read the Next Article

ગાંધીનગર : રાજ્યપાલ આચાર્ય દેવવ્રતની ઉપસ્થિતિમાં રાજભવન ખાતે 11મા આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી કરાય..

રાજભવન પરિવારના તમામ અધિકારીઓ અને કર્મચારીઓએ ઉત્સાહભેર સમૂહ યોગાભ્યાસ કર્યો યોગાભ્યાસ બાદ રાજ્યપાલ આચાર્ય દેવવ્રતએ સૌને સ્વસ્થ જીવનશૈલી અપનાવવાના શપથ પણ લેવડાવ્યા

New Update
  • રાજભવન ખાતે 11મા આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી

  • રાજ્યપાલ આચાર્ય દેવવ્રતની ઉપસ્થિતિમાં ઉજવણી કરાય

  • રાજભવન પરિવારના અધિકારીઓ-કર્મચારીઓની ઉપસ્થિતી

  • યોગ દિવસ નિમિત્તે ઉપસ્થિતોએ સમૂહમાં યોગાભ્યાસ કર્યો

  • યોગને જીવનનો નિયમિત ભાગ બનાવો : આચાર્ય દેવવ્રત 

ગાંધીનગર રાજભવન ખાતે રાજ્યપાલ આચાર્ય દેવવ્રતની પ્રેરક ઉપસ્થિતિમાં 11મા આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. 11મા આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ગાંધીનગર રાજભવન ખાતે રાજ્યપાલ આચાર્ય દેવવ્રતની પ્રેરક ઉપસ્થિતિમાં ઉજવણી કરવામાં આવી હતી. જેમાં રાજભવન પરિવારના તમામ અધિકારીઓ અને કર્મચારીઓએ ઉત્સાહભેર સમૂહ યોગાભ્યાસ કર્યો હતો.

યોગાભ્યાસ બાદ રાજ્યપાલ આચાર્ય દેવવ્રતએ સૌને સ્વસ્થ જીવનશૈલી અપનાવવાના શપથ પણ લેવડાવ્યા હતા. આ પ્રસંગે રાજ્યપાલ આચાર્ય દેવવ્રતએ જણાવ્યું હતું કેયોગને જીવનનો નિયમિત ભાગ બનાવો. વધુમાં તેમણે કહ્યું કેયોગથી જીવનમાં આરોગ્ય અને સુખ તો આવે જ છેસાથોસાથ આધ્યાત્મિક ઉન્નતિનો માર્ગ પણ પ્રશસ્ત થાય છે.