તરસ્યું નહીં રહે ગુજરાત..! : 4 મહિનાના ચોમાસામાં રાજ્યના 139 ડેમ ઓવરફ્લો, સિંચાઈ-પીવા માટે પૂરતું પાણી ઉપલબ્ધ

ગુજરાતમાંથી ચોમાસાની વિદાય થઈ ચૂકી છે, ત્યારે આ વર્ષે રાજ્યમાં સરેરાશ કરતાં 41 ટકા વધુ વરસાદ વરસ્યો હતો. 4 મહિનાના ચોમાસામાં રાજ્યના 139 ડેમ ઓવરફ્લો થઈ ચૂક્યા છે.

New Update

સમગ્ર ગુજરાતમાંથી ચોમાસાની થઈ ચૂકી છે વિદાય

આ વર્ષે સરેરાશ કરતાં 41 ટકા વધુ વરસાદ વરસ્યો

4 મહિનાના ચોમાસામાં રાજ્યના 139 ડેમ ઓવરફ્લો

4 ઝોનના 18 ડેમમાં 97.71% પાણીના જથ્થાનો સંગ્રહ

સિંચાઈ અને પીવા માટે પૂરતું પાણી ઉપલબ્ધ બન્યું

ગુજરાતમાંથી ચોમાસાની વિદાય થઈ ચૂકી છેત્યારે આ વર્ષે રાજ્યમાં સરેરાશ કરતાં 41 ટકા વધુ વરસાદ વરસ્યો હતો. 4 મહિનાના ચોમાસામાં રાજ્યના 139 ડેમ ઓવરફ્લો થઈ ચૂક્યા છે.

આ વર્ષે ચોમાસા વેળા ગુજરાત રાજ્યના કુલ 207 ડેમમાંથી 139 ડેમ ઓવરફ્લો થઈ ચૂક્યા છેજ્યારે 46 ડેમ એવા છે કેજેમાં 70 ટકાથી 100 ટકા13 ડેમમાં 50 ટકાથી 70 ટકા જળસંગ્રહ થયો છેજ્યારે 4 ડેમમાં 25 ટકાથી 50 ટકા અને 4 ડેમ એવા છે કેજેમાં 25 ટકા કરતાં પણ ઓછો જળસંગ્રહ થયો છે. ચારેય ઝોનના મહત્વના ગણાતા નર્મદા સહિતના જે 18 ડેમ છેતેમાં 97.71 ટકા પાણીના જથ્થાનો સંગ્રહ થઈ ચૂક્યો છેજ્યારે રાજ્યના તમામ ડેમોમાં પણ 96.99 ટકા જળસંગ્રહ થઈ ચૂક્યો છે. જોકેરાજ્યમાં આ વર્ષે સૌથી ઓછો જળસંગ્રહ થયો હોય તો તે બનાસકાંઠાના સિપુ અને દાંતીવાડા ડેમ છે. ઉપરવાસમાંથી પાણીની ઓછી આવક થતાં સિપુ ડેમ ફક્ત 11.45 ટકા ભરાયો છેજ્યારે દાંતીવાડા ડેમ 52.89 ટકા જ ભરાયો છે. આ વિસ્તારમાં નર્મદાનું પાણી કેનાલથી પહોંચતું હોય પીવાના પાણીની તો તકલીફ નહીં પડે પણ ખેડૂતોને સિંચાઈ માટે પાણી નહીં મળે અથવા ઓછું મળશે. રાજ્યમાં ચાલુ વર્ષે સારા વરસાદના કારણે 99.18 ટકા વિસ્તારમાં વાવેતર થઈ ચૂક્યું છે. પરંતુસરેરાશ કરતાં 41 ટકા વધુ વરસાદના કારણે અનેક જિલ્લામાં ખરીફ પાકને નુકશાની થઈ છે. જોકેપાણીની ઉપસ્થિતિના કારણે ખેડૂતોને રવિ પાકની સિઝનમાં ફાયદો થવાની શક્યતાઓ છે. રાજ્યના તમામ ઝોનમાં સરેરાશ કરતાં 41 ટકા વધુ વરસાદ અને મુખ્ય જળાશયોમાં પણ નોંધપાત્ર પાણીનો જથ્થો ઉપલબ્ધ હોવાના કારણે સિંચાઈ અને પીવા માટે પૂરતું પાણી ઉપલબ્ધ બન્યું છે.

Read the Next Article

અમદાવાદ પ્લેન ક્રેશ દુર્ઘટના : 222 DNA મેચ થયા, અને 208 મૃતદેહ સોંપવામાં આવ્યા, કાટમાળમાંથી મળેલા 100 મોબાઈલની FSL કરશે તપાસ

અમદાવાદમાં એર ઈન્ડિયાના પ્લેન ક્રેશની ઘટનાનો આજે 8મો દિવસ છે, ત્યારે અમદાવાદ પોલીસ કમિશનર જી.એસ.મલિકએ માહિતી આપતા જણાવ્યું હતું કે, ગત તા. 12 જૂન-2025

New Update

એર ઈન્ડિયાના પ્લેન ક્રેશ ઘટનાનો આજે 8મો દિવસ

ઘટનાસ્થળેથી મૃતદેહના 318 અવશેષ મળી આવ્યા

222 DNA મેચ થયા208 મૃતદેહ સોંપવામાં આવ્યા

કાટમાળમાંથી મળી આવ્યા 100 જેટલા મોબાઇલ ફોન

પ્લેન પાર્ટ્સ ભેગા કરી રિકન્સ્ટ્રક્શન કરાશે : જી.એસ.મલિક

અમદાવાદમાં એર ઈન્ડિયાના પ્લેન ક્રેશની ઘટનાનો આજે 8મો દિવસ છેત્યારે અમદાવાદ પોલીસ કમિશનર જી.એસ.મલિકએ માહિતી આપતા જણાવ્યું હતું કેગત તા. 12 જૂન-2025 પ્લેન ક્રેશની દુર્ઘટના બની હતીજેમાં 242 મુસાફર સવાર હતા. બપોરે 1:40 કલાકે પ્લેન ક્રેશ થયું હતું. 1:42 કલાકે પોલીસ કંટ્રોલને જાણ થઈ હતી. બનાવની જાણ થતાં જ અમદાવાદ પોલીસ કમિશનર ઝોન-4ના DCP, આર્મીએરફોર્સપેરામિલિટરી સહિત તમામ ઉચ્ચ અધિકારીઓનો કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો. અત્યાર સુધીમાં 214 લોકોના DNA સેમ્પલ મેચ થઈ ચૂક્યાં છેઅને અન્ય 8 મળી કુલ 222 લોકોની ઓળખ થઈ ચૂકી છે. પોલીસને કાટમાળમાંથી અત્યાર સુધીમાં 318 જેટલા માનવઅંગો મળ્યા છેજે તપાસ માટે લેવામા આવ્યા હતા. અંદાજિત 7 કલાકમાં 51 રિલેટિવના સેમ્પલ પહોંચાડી દેવામા આવ્યા હતા. 36 કલાકમાં પહેલું DNA મળી ગયું હતુંઅને 24 કલાકમાં મૃતદેહ રવાના કરવામાં આવ્યો હતો. આ ઉપરાંત 222 DNA મેચ થયાં છેઅને 208 મૃતદેહ સોંપવામાં આવ્યા છે. ઘટના સ્થળે કાટમાળમાંથી 100 જેટલા મોબાઈલ મળતાં FSLમાં મોકલવામાં આવ્યા છે. મોબાઈલની તપાસમાં જાણવાનો પ્રયાસ કરાશે કેજ્યારે વિમાન ટેક-ઓફ થયું અને ક્રેશ થયું એ સમયગાળા દરમિયાન કોઈ મોબાઈલમાં અંતિમ ક્ષણનો વીડિયો રેકોર્ડ થયો છે કેનહીં. એર ઈન્ડિયાના ક્રેશ થયેલા પ્લેનના જે પાર્ટ્સ મળ્યા છેતેને એકત્ર કરી રિકન્સ્ટ્રક્શન કરવાનો પણ નિર્ણય કરાયો છે. પોલીસે ઇન્વેસ્ટિગેશન અને હોસ્પિટલ માટે અલગ અલગ ટીમ બનાવી હતી. ડિટેલ પોસ્ટમોર્ટમની જગ્યાએ પાર્સલ ઓટોપ્સીના ઓર્ડર કર્યા હતા. પ્લેન ક્રેશના 8મા દિવસે પણ મૃતદેહો સુપરત કરવાની પ્રક્રિયા ઝડપથી ચાલુ છે. વધુમાં એક કમિટી બનાવવામાં આવી છેજેમાં બ્લેક બોક્સ અને અન્ય જે વસ્તુ મળી છેતે અંગે તપાસ કરવામાં આવશે.