તરસ્યું નહીં રહે ગુજરાત..! : 4 મહિનાના ચોમાસામાં રાજ્યના 139 ડેમ ઓવરફ્લો, સિંચાઈ-પીવા માટે પૂરતું પાણી ઉપલબ્ધ

ગુજરાતમાંથી ચોમાસાની વિદાય થઈ ચૂકી છે, ત્યારે આ વર્ષે રાજ્યમાં સરેરાશ કરતાં 41 ટકા વધુ વરસાદ વરસ્યો હતો. 4 મહિનાના ચોમાસામાં રાજ્યના 139 ડેમ ઓવરફ્લો થઈ ચૂક્યા છે.

New Update

સમગ્ર ગુજરાતમાંથી ચોમાસાની થઈ ચૂકી છે વિદાય

આ વર્ષે સરેરાશ કરતાં 41 ટકા વધુ વરસાદ વરસ્યો

4 મહિનાના ચોમાસામાં રાજ્યના 139 ડેમ ઓવરફ્લો

4 ઝોનના 18 ડેમમાં 97.71% પાણીના જથ્થાનો સંગ્રહ

સિંચાઈ અને પીવા માટે પૂરતું પાણી ઉપલબ્ધ બન્યું

ગુજરાતમાંથી ચોમાસાની વિદાય થઈ ચૂકી છેત્યારે આ વર્ષે રાજ્યમાં સરેરાશ કરતાં 41 ટકા વધુ વરસાદ વરસ્યો હતો. 4 મહિનાના ચોમાસામાં રાજ્યના 139 ડેમ ઓવરફ્લો થઈ ચૂક્યા છે.

આ વર્ષે ચોમાસા વેળા ગુજરાત રાજ્યના કુલ 207 ડેમમાંથી 139 ડેમ ઓવરફ્લો થઈ ચૂક્યા છેજ્યારે 46 ડેમ એવા છે કેજેમાં 70 ટકાથી 100 ટકા13 ડેમમાં 50 ટકાથી 70 ટકા જળસંગ્રહ થયો છેજ્યારે 4 ડેમમાં 25 ટકાથી 50 ટકા અને 4 ડેમ એવા છે કેજેમાં 25 ટકા કરતાં પણ ઓછો જળસંગ્રહ થયો છે. ચારેય ઝોનના મહત્વના ગણાતા નર્મદા સહિતના જે 18 ડેમ છેતેમાં 97.71 ટકા પાણીના જથ્થાનો સંગ્રહ થઈ ચૂક્યો છેજ્યારે રાજ્યના તમામ ડેમોમાં પણ 96.99 ટકા જળસંગ્રહ થઈ ચૂક્યો છે. જોકેરાજ્યમાં આ વર્ષે સૌથી ઓછો જળસંગ્રહ થયો હોય તો તે બનાસકાંઠાના સિપુ અને દાંતીવાડા ડેમ છે. ઉપરવાસમાંથી પાણીની ઓછી આવક થતાં સિપુ ડેમ ફક્ત 11.45 ટકા ભરાયો છેજ્યારે દાંતીવાડા ડેમ 52.89 ટકા જ ભરાયો છે. આ વિસ્તારમાં નર્મદાનું પાણી કેનાલથી પહોંચતું હોય પીવાના પાણીની તો તકલીફ નહીં પડે પણ ખેડૂતોને સિંચાઈ માટે પાણી નહીં મળે અથવા ઓછું મળશે. રાજ્યમાં ચાલુ વર્ષે સારા વરસાદના કારણે 99.18 ટકા વિસ્તારમાં વાવેતર થઈ ચૂક્યું છે. પરંતુસરેરાશ કરતાં 41 ટકા વધુ વરસાદના કારણે અનેક જિલ્લામાં ખરીફ પાકને નુકશાની થઈ છે. જોકેપાણીની ઉપસ્થિતિના કારણે ખેડૂતોને રવિ પાકની સિઝનમાં ફાયદો થવાની શક્યતાઓ છે. રાજ્યના તમામ ઝોનમાં સરેરાશ કરતાં 41 ટકા વધુ વરસાદ અને મુખ્ય જળાશયોમાં પણ નોંધપાત્ર પાણીનો જથ્થો ઉપલબ્ધ હોવાના કારણે સિંચાઈ અને પીવા માટે પૂરતું પાણી ઉપલબ્ધ બન્યું છે.

Read the Next Article

ગુજરાતમાં મેઘરાજા ફરી એક વખત મહેરબાન થયા, વહેલી સવારથી જ અનેક જિલ્લાઓમાં વરસાદી માહોલ

ગુજરાતમાં મેઘરાજા ફરી એક વખત મહેરબાન થયા છે. આજે વહેલી સવારથી જ અનેક જિલ્લાઓમાં વરસાદી માહોલ છે. હવામાન વિભાગે આગામી 7 દિવસ સુધી ગુજરાતમાં

New Update
varsada

ગુજરાતમાં મેઘરાજા ફરી એક વખત મહેરબાન થયા છે. આજે વહેલી સવારથી જ અનેક જિલ્લાઓમાં વરસાદી માહોલ છે.

હવામાન વિભાગે આગામી 7 દિવસ સુધી ગુજરાતમાં ક્યાંક ભારે તો ક્યાંક છૂટછવાયા વરસાદની આગાહી વ્યક્ત કરી છે. 

હવાામાન વિભાગે ઓગસ્ટના અંત સુધી રાજ્યમાં મેઘ મહેર યથાવત રહેવાના સંકેત આપ્યાં છે. બંગાળની ખાડીમાં બીજી એક સિસ્ટમ આકાર લઇ રહી છે. જને લઈ અનેક જિલ્લામાં આ સિસ્ટમ ભારે વરસાદ લાવશે.બંગાળની ખાડીમાં વધુ એક સિસ્ટમ બની છે. હવામાન વિભાગના અનુમાન મુજબ આ સિસ્ટમ ગુજરાતની નજીક આવતા રાજ્યમાં મધ્યમથી ભારે વરસાદની સ્થિતિ યથાવત રહેશે.

હવામાન વિભાગની આગાહી મુજબ ગુજરાતમાં 30 ઓગસ્ટ સુધી સતત ભારે વરસાદ વરસતો રહેશે. હવામાન વિભાગે સપ્ટેમ્બરના પ્રથમ સપ્તાહમાં પણ વરસાદની શક્યતા વ્યકત કરી છે.