સાબરકાંઠા: હિંમતનગરમાં ખેડૂતે પપૈયાની કરી સફળ ખેતી, મળેવી 27 લાખની આવક

સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર હાજીપુરના શાંતિલાલ પટેલે પપૈયાની ખેતી કરી આર્થિક સધ્ધરતા મેળવી ત્રણ એકરમાં પપૈયાની ખેતી કરી 27 લાખની આવક મેળવી છે

New Update
  • હિંમતનગરના ખેડૂતની ખેતીમાં સફળતા

  • ત્રણ એકર જમીનમાં પપૈયાની કરી ખેતી

  • પપૈયાની ખેતીમાંથી મેળવી 27 લાખની આવક

  • ખેતીમાં આધુનિક ટેક્નોલોજી બની સહાયરૂપ

  • અન્ય ખેડૂતો માટે બન્યા પ્રેરણારૂપ   

સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર હાજીપુરના શાંતિલાલ પટેલે પપૈયાની ખેતી કરી આર્થિક સધ્ધરતા મેળવી ત્રણ એકરમાં પપૈયાની ખેતી કરી 27 લાખની આવક મેળવી છે,અને તેઓએ સરકારની બાગાયત ખેતીની યોજનાનો લાભ મળતા આભાર વ્યક્ત કર્યો હતો.

સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર તાલુકાના હાજીપુર ગામના ખેડૂત શાંતિલાલ પટેલે પોતાના ત્રણ એકર જમીનમાં પપૈયાની ખેતી કરીને ગત વર્ષે 27 લાખની આવક મેળવી છે.આ ઉપરાંત  તેઓ બટાકાની ખેતી પણ કરી રહ્યા છે. તેઓને બાગાયત વિભાગ દ્વારા બાગાયતી ખેતી માટે સહાય પણ આપવામાં આવી છે. શાંતિલાલ પટેલ જણાવે છે કે અમારા વિસ્તારમાં લગભગ મોટા ભાગના ખેડુતો પરંપરાગત ખેતી કરતા હતા.વર્ષો પહેલા કપાસના પાકનું વાવેતર કરતા હતા.

શરૂઆતમાં 100 મણ કરતા પણ વધારે ઉત્પાદન મળતુ પણ જેમ જેમ વર્ષો વિતતા ગયા તેમ તેમ ઉત્પાદન ઘટવા લાગ્યું હતું.ત્યાર બાદ તેઓએ પપૈયાની ખેતીનો વિચાર કર્યો અને ત્રણ એકરમાં પપૈયાની ખેતી કરીને ગત વર્ષે 27 લાખની ચોખ્ખી આવક મેળવી છે. આ વર્ષે અઢી એકરમાં પપૈયા વાવ્યા છે. તેનો ગ્રોથ ખુબ સરસ છે. શાંતિલાલ પટેલ પપૈયાની ખેતી દ્વારા નફો વધાર્યો છેસાથે જ  તેમણે પોતાના ગામમાં અને આસપાસના વિસ્તારોમાં ખેડૂતો માટે પ્રેરણારૂપ બન્યા છે. હવે તેઓ અન્ય ખેડૂતોથી ખેતીના સિદ્ધાંત અને ટેકનિક પર દિશા આપી રહ્યા છે.

Read the Next Article

ગીર સોમનાથ : સુત્રાપાડાના સમુદ્રકાંઠે 57.50 લાખની કિંમતનું 1150 ગ્રામ બિનવારસી ચરસ મળી આવતા ચકચાર

ગીર સોમનાથ જિલ્લાના સુત્રાપાડાના GHCL કંપની નજીકના સમુદ્ર કિનારેથી અફઘાન પ્રોડક્ટનું 1150 ગ્રામનું ચરસનું પેકેટ બિનવારસી હાલતમાં મળી આવ્યું છે.

New Update
  • અફઘાન પ્રોડક્ટ લખેલું બિનવારસી મળ્યું પેકેટ

  • 1150 ગ્રામ ચરસ મળી આવતા ચકચાર

  • જિલ્લાનો 110 કિમીનો કોસ્ટલ બેલ્ટ એલર્ટ 

  • પોલીસે 57.50 લાખનું ચરસ કર્યું  જપ્ત

  • SOG,LCB,મરીન પોલીસ તપાસમાં જોડાય

ગીર સોમનાથ જિલ્લાના સુત્રાપાડાનાGHCL કંપની નજીકના સમુદ્ર કિનારેથી અફઘાન પ્રોડક્ટનું 1150 ગ્રામનું ચરસનું પેકેટ બિનવારસી હાલતમાં મળી આવ્યું છે. આ ઘટનાની જાણ થતાંSOG, LCB અને સ્થાનિક પોલીસની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી.અને તપાસ શરૂ કરી હતી.

ગીર સોમનાથ જિલ્લાના સુત્રાપાડાનાGHCL કંપની નજીકના દરિયા કિનારેથી અફઘાન પ્રોડક્ટનું 57.50 લાખની કિંમતનું 1150 ગ્રામ બિનવારસી ચરસ મળી આવ્યું હતું.ઘટનાને પગલે ગીર સોમનાથSOG,LCB અને સ્થાનિક પોલીસની ટીમ ઘટના સ્થળે દોડી આવી હતી.અને પોલીસે આ વિસ્તારમાં સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું. અગાઉ પણ ગીર સોમનાથના વેરાવળધામળેજ અને વડોદરા ઝાલા સહિતના દરિયાકિનારા વિસ્તારમાંથી ચરસના પેકેટો મળી આવ્યા હતા. સૌરાષ્ટ્ર-કચ્છનો દરિયાકિનારો નશીલા પદાર્થોની હેરાફેરી માટે ઉપયોગમાં લેવાતો હોવાની આશંકા છે.

પ્રાથમિક તપાસમાં એવું અનુમાન છે કે આ પેકેટ સમુદ્રમાંથી તણાઈને કિનારે આવ્યું હોઈ શકે છે. ગિર સોમનાથ સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ અને લોકલ ક્રાઈમ બ્રાન્ચના અધિકારીઓ જિલ્લા પોલીસ અધિક્ષક મનોહરસિંહ જાડેજાના માર્ગદર્શન હેઠળ સઘન તપાસ કરી રહ્યા છે.