સાબરકાંઠા: હિંમતનગરમાં ખેડૂતે પપૈયાની કરી સફળ ખેતી, મળેવી 27 લાખની આવક

સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર હાજીપુરના શાંતિલાલ પટેલે પપૈયાની ખેતી કરી આર્થિક સધ્ધરતા મેળવી ત્રણ એકરમાં પપૈયાની ખેતી કરી 27 લાખની આવક મેળવી છે

New Update
  • હિંમતનગરના ખેડૂતની ખેતીમાં સફળતા

  • ત્રણ એકર જમીનમાં પપૈયાની કરી ખેતી

  • પપૈયાની ખેતીમાંથી મેળવી 27 લાખની આવક

  • ખેતીમાં આધુનિક ટેક્નોલોજી બની સહાયરૂપ

  • અન્ય ખેડૂતો માટે બન્યા પ્રેરણારૂપ   

સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર હાજીપુરના શાંતિલાલ પટેલે પપૈયાની ખેતી કરી આર્થિક સધ્ધરતા મેળવી ત્રણ એકરમાં પપૈયાની ખેતી કરી 27 લાખની આવક મેળવી છે,અને તેઓએ સરકારની બાગાયત ખેતીની યોજનાનો લાભ મળતા આભાર વ્યક્ત કર્યો હતો.

સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર તાલુકાના હાજીપુર ગામના ખેડૂત શાંતિલાલ પટેલે પોતાના ત્રણ એકર જમીનમાં પપૈયાની ખેતી કરીને ગત વર્ષે 27 લાખની આવક મેળવી છે.આ ઉપરાંત  તેઓ બટાકાની ખેતી પણ કરી રહ્યા છે. તેઓને બાગાયત વિભાગ દ્વારા બાગાયતી ખેતી માટે સહાય પણ આપવામાં આવી છે. શાંતિલાલ પટેલ જણાવે છે કે અમારા વિસ્તારમાં લગભગ મોટા ભાગના ખેડુતો પરંપરાગત ખેતી કરતા હતા.વર્ષો પહેલા કપાસના પાકનું વાવેતર કરતા હતા.

શરૂઆતમાં 100 મણ કરતા પણ વધારે ઉત્પાદન મળતુ પણ જેમ જેમ વર્ષો વિતતા ગયા તેમ તેમ ઉત્પાદન ઘટવા લાગ્યું હતું.ત્યાર બાદ તેઓએ પપૈયાની ખેતીનો વિચાર કર્યો અને ત્રણ એકરમાં પપૈયાની ખેતી કરીને ગત વર્ષે 27 લાખની ચોખ્ખી આવક મેળવી છે. આ વર્ષે અઢી એકરમાં પપૈયા વાવ્યા છે. તેનો ગ્રોથ ખુબ સરસ છે. શાંતિલાલ પટેલ પપૈયાની ખેતી દ્વારા નફો વધાર્યો છેસાથે જ  તેમણે પોતાના ગામમાં અને આસપાસના વિસ્તારોમાં ખેડૂતો માટે પ્રેરણારૂપ બન્યા છે. હવે તેઓ અન્ય ખેડૂતોથી ખેતીના સિદ્ધાંત અને ટેકનિક પર દિશા આપી રહ્યા છે.

Read the Next Article

ભરૂચ: ખાણ-ખનીજ વિભાગનો સપાટો, 7 દિવસમાં ખનીજ માફિયાઓના 8 વાહનો મળી રૂ.1.90 કરોડનો.મુદ્દામાલ કર્યો જપ્ત

ભરૂચ જિલ્લા વહીવટીતંત્રના માર્ગદર્શન હેઠળ ભરૂચ જિલ્લામાં ખનીજનું બિનઅધિકૃત વહન સદંતર બંધ રહે, ખનીજ ચોરી અટકે તે ઉદ્દેશથી સરપ્રાઇઝ ચેકીંગ અને ગેરકાયદેસર ખનન

New Update
MixCollage-16-Jun-2025-09-09-PM-1828

ભરૂચ જિલ્લા વહીવટીતંત્રના માર્ગદર્શન હેઠળ ભરૂચ જિલ્લામાં ખનીજનું બિનઅધિકૃત વહન સદંતર બંધ રહે, ખનીજ ચોરી અટકે તે ઉદ્દેશથી સરપ્રાઇઝ ચેકીંગ અને ગેરકાયદેસર ખનન અને ખનીજનું બિનઅધિકૃત વહનની પ્રવૃતિ મળી આવ્યે થી કાયદેસરની કાર્યવાહી સતત કરવામાં આવી રહી છે.

જે અંતર્ગત ભુસ્તરશાસ્ત્રી  સુચના અન્વયે ભુસ્તરવિજ્ઞાન અને ખનીજ કચેરી ભરૂચની ક્ષેત્રિય તપાસ ટીમ દ્વારા તા.૦૯ થી ૧૫ જુન ૨૦૨૫નાં દિવસ દરમ્યાન ભરૂચ જીલ્લાના અલગ- અલગ સ્થળોએ આકસ્મિક તપાસ કરી હતી. આ તપાસ દરમ્યાન વાગરા તાલુકાના પંખાજણ, ભરૂચ તાલુકાના ઝાડેશ્વર અને ઝઘડીયા તાલુકાના રાજપારડી- ઝધડીયા ખાતે કરવામાં આવેલી તપાસ દરમ્યાન બ્લેક્ટ્રેપ, સાદી રેતી અને સાદી માટી ખનીજના બિનઅધિકૃત વહન કરતાં કુલ ૮ વાહનોને સીઝ કરી કુલ-૧.૯૦કરોડનો મુદ્દામાલ જપ્ત કરી જીલ્લા સેવાસદન,ઝધડિયા પોલીસ સ્ટેશન, રાજપારડી પોલીસ સ્ટેશન અને વાગરા પોલીસ સ્ટેશન ખાતે મુદ્દામાલ જપ્ત કરી રાખવામાં આવ્યો છે.