Connect Gujarat
ગુજરાત

સુરેન્દ્રનગર: લીંબડી-રાજકોટ હાઇવે પર ટ્રક અને કાર વચ્ચે ગમખ્વાર માર્ગ અકસ્માતમાં 4 લોકોના મોત

લીંબડી-રાજકોટ નેશનલ હાઇવે ફરી એકવાર રક્તરંજિત બન્યો છે. મંગળવારે સવારે સર્જાયેલા અકસ્માતમાં 4 વ્યક્તિના કમકમાટીભર્યા મોત નિપજ્યા હતા

X

સુરેન્દ્રનગર નજીક લીંબડી-રાજકોટ નેશનલ હાઇવે ફરી એકવાર રક્તરંજિત બન્યો છે. મંગળવારે સવારે સર્જાયેલા અકસ્માતમાં 4 વ્યક્તિના કમકમાટીભર્યા મોત નિપજ્યા હતા

સુરેન્દ્રનગર જિલ્લામાંથી પસાર થતો અમદાવાદ-રાજકોટ નેશનલ હાઇવે ફરી એકવાર રક્તરંજિત બન્યો છે. મંગળવારે સવારે સર્જાયેલા અકસ્માતમાં 4 વ્યક્તિના જીવનદીપ બુઝાઈ ગયા છે. આયા ગામના બોર્ડ નજીક વહેલી સવારે ટ્રક અને ઇકો કાર વચ્ચે થયેલા અકસ્માતમાં 4 લોકોનાં ઘટનાસ્થળે જ મોત થયાં છે. આ અકસ્માતમાં ઇકો કારનો કચ્ચરઘાણ નીકળી ગયો છે. લીંબડી-રાજકોટ હાઈવેના આયા ગામના બોર્ડ નજીક ઇકો કાર અને ટ્રક વચ્ચે ટક્કર થઈ હતી. આ અકસ્માતમાં 4 લોકોનાં ઘટનાસ્થળે જ મોત નીપજ્યાં છે. અકસ્માતને પગલે સ્થાનિકોનાં ટોળેટોળાં વળ્યાં હતાં અને પોલીસને જાણ કરી હતી. ઘટનાની જાણ થતાં પોલીસ તરત આવી પહોંચી હતી અને સ્થાનિકોની મદદથી પતરાં ચીરીને મૃતદેહો બહાર કાઢ્યા હતા.

Next Story