Connect Gujarat
ગુજરાત

સુરેન્દ્રનગર : રાજ્યના મુખ્યમંત્રીએ અમદાવાદ-રાજકોટ ધોરીમાર્ગના કાર્યનું નિરીક્ષણ કર્યું...

રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે અમદાવાદ-રાજકોટ હાઇવે પર ચાલતા વિવિધ માર્ગોના વિકાસ કામોના નિરીક્ષણ માટે જાત મુલાકાત લીધી હતી.

X

રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે અમદાવાદ-રાજકોટ હાઇવે પર ચાલતા વિવિધ માર્ગોના વિકાસ કામોના નિરીક્ષણ માટે જાત મુલાકાત લીધી હતી. ગાંધીનગરથી તેઓ મુખ્ય સચિવ પંકજકુમાર સાથે સુરેન્દ્રનગરના લીંબડી ખાતે આવી સમીક્ષા કરી હતી.

ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ અને મુખ્ય સચિવ પંકજકુમાર તેમજ માર્ગ મકાન વિભાગના સચિવ સંદિપ વસાવા સાથે લીંબડી-બગોદરા વચ્ચે ચાલતા 6 માર્ગીય ડામર કામના માર્ગનું નિરીક્ષણ કરી જાત માહિતી મેળવી હતી. બગોદરા-તારાપુર 6 માર્ગીય માર્ગના કામ અન્વયે અરણેજ ખાતે બની રહેલા બ્રિજના કામોની પણ મુલાકાત લીધી હતી. અમદાવાદ-રાજકોટ ધોરીમાર્ગને 6 લેન કરવાના પ્રગતિ હેઠળના કામોના સ્થળ નિરીક્ષણ અને ગુણવત્તા વગેરેની જાત માહિતી મેળવવા હેતુ મુખ્યમંત્રી મોટર માર્ગે આ રૂટ પર નીકળ્યા હતા. જુદા જુદા સ્થળોની માર્ગ નિર્માણ કાર્ય નિહાળી કામગીરી સાથે સંકળાયેલા ઇજનેરો અને અધિકારીઓ સાથે પણ ચર્ચા કરી હતી.

Next Story