/connect-gujarat/media/post_banners/bc47820a47e8db603290b79ea1c1943b7761e00934cbfff6d27a1fa8c6cb5eaf.jpg)
સુરેન્દ્રનગર જીલ્લાનાં લખતર તાલુકાના વિઠ્ઠલગઢ ગામે પ્રાથમિક આરોગ્ય કેન્દ્રનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું.
સુરેન્દ્રનગરના લખતર તાલુકાના વિઠ્ઠલગઢ ગામે પ્રાથમિક આરોગ્ય કેન્દ્રનું પાટડી દસાડા ધારાસભ્ય પી.કે.પરમારના હસ્તે ખાતમુર્હત કરવામાં આવ્યું હતું. જે પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર અંદાજે ૧.૩૦ કરોડના ખર્ચ નિર્માણ થનાર છે.જે કાર્યક્રમમાં જીલ્લા પંચાયત ઉપપ્રમુખ જગદીશ મજેઠીયા, લખતર તાલુકા ભાજપ પ્રમુખ ડી.કે ચવાલિયા,લખતર મામલતદાર એચ.આર.પરમાર, તાલુકા હેલ્થ ઓફિસર ર્ડો. હાર્દિક ચૌહાણ, લખતર તાલુકા પંચાયત પ્રમુખ વાસુદેવ પટેલ સહિતના આગેવાનો અને ગ્રામજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા