સુરેન્દ્રનગર : જન્મભૂમિ ચોટીલામાં રૂ. 5 કરોડના ખર્ચે નિર્માણ પામશે "મેઘાણી મ્યુઝિયમ", વાંચો વધુ...

New Update

ગુજરાત સરકાર દ્વારા રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણીની 125મી જન્મજયંતી ઉજવણી નિમિત્તે તેમની સાથે સંકળાયેલી સ્મૃતિઓને મહત્વના સ્થળ તરીકે વિકસાવવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. આ માટે દુનિયાભરના સાહિત્યરસિકો, સંશોધકો અને આગામી પેઢીઓને ઉપયોગી બની રહે તેવો એક સર્કિટ ડેવલપમેન્ટ પ્રોજેક્ટ પણ હાથ ધરાયો છે.

હાલમાં જ રાજ્ય સરકારે જાહેરાત કરી છે કે, આગામી બજેટમાં ચોટીલામાં જન્મ સ્મારક અને મેઘાણી સ્મૃતિ સ્થાનોને જોડતી સર્કિટ બનાવીને મેઘાણી પ્રેમીઓને સવાસો વર્ષે અંજલિરૂપે મોટી ભેટ આપવામાં આવી છે. જે અંતર્ગત મેઘાણી સાથે સંકળાયેલા તમામ સ્થળોને વિકસાવવામાં આવશે તેમજ તેમની યાદમાં મ્યુઝિયમ પણ બનાવાશે.

આ માટે હાલ રૂ. 10 કરોડની ફાળવણી કરાઇ છે, જેમાંથી રૂ. 5 કરોડ મ્યુઝિયમ પાછળ ખર્ચ કરવામાં આવશે. પ્રવાસન અને રમતગમત યુવા સેવા અને સાંસ્કૃતિક વિભાગ દ્વારા એનું કામ પણ શરૂ કરી દેવામાં આવ્યું છે. મેઘાણીની જન્મભૂમિ ચોટીલામાં મ્યુઝિયમ બનાવવા માટે વિવિધ એકથી વધુ વિભાગ સક્રિય છે. આ યોજનાના અમલીકરણ માટે એક ઉચ્ચસ્તરીય સમિતી પણ બનાવવામાં આવી છે, જેમાં ઉચ્ચ અધિકારીઓની સાથે સાહિત્યકારો અને ઝવેરચંદ મેઘાણીન‍ા પૌત્રનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે.

મેઘાણીની સ્મૃતિમાં વિકસાવવામાં આવનારા સ્થળોમાં મેઘાણીનો જન્મ થયો એ ઐતિહાસિક મકાન, તેની નજીક આવેલા જૂના સરકારી ક્વાર્ટર્સ સહિત કુલ 2200 ચોરસ મીટર જમીનનું હસ્તાંતરણ કરાયું છે. અહીં એક અલગ સ્મારક સંકુલ બનાવવાની યોજના છે, જેના માટે વર્ક ઓર્ડર પણ અપાઇ ગયા છે. આ સંકુલમાં મેઘાણીની જીવનને નિરૂપતા અદ્યતન દ્રશ્ય શ્રાવ્ય મલ્ટીમિડીયા પ્રદર્શન હોલ, ડ્રામા ફિલ્મ બતાવી શકાય એવી સાઉન્ડ લાઇટ ઇફેક્ટ, પુસ્તકાલય, મુલાકાતીઓ માટે વાંચન અને પ્રતિક્ષા હોલ સામેલ કરાશે. પાંચાળ વિસ્તાર સંતો-સૂરાની ભૂમિ છે. તેથી અહીં સ્થાનિક લોક સંસ્કૃતિ અને લોક જીવનને આલેખતું અલગ પ્રદર્શન પણ કરવામાં આવશે. આ ઉપરાંત ચોટીલામાં નવી પેઢીને સાંસ્કૃતિક વારસા સાથે સાંકળવાના નિયમિત આયોજન થાય છે, જેના માટે એક હોલ પણ બનાવાશે તેવું રાજ્ય સરકારનું આયોજન છે.

Read the Next Article

રાજકીય સન્માન સાથે આજે સાંજે રાજકોટમાં સ્વર્ગસ્થ વિજયભાઈ રૂપાણીના અંતિમ સંસ્કાર કરવામાં આવશે

રાજકીય સન્માન સાથે આજે સાંજે રાજકોટમાં સ્વર્ગસ્થ વિજયભાઈ રૂપાણીના અંતિમ સંસ્કાર કરવામાં આવશે. સવારે 11 વાગ્યે પરિવારને પાર્થિવદેહ સોંપાશે.

New Update
1749726703_new-project-8

રાજકીય સન્માન સાથે આજે સાંજે રાજકોટમાં સ્વર્ગસ્થ વિજયભાઈ રૂપાણીના અંતિમ સંસ્કાર કરવામાં આવશે. સવારે 11 વાગ્યે પરિવારને પાર્થિવદેહ સોંપાશે. તો સાંજે 4થી 5 વાગ્યા સુધી અંતિમ દર્શન કરી શકાશે. પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીના નિધન પર આજે એક દિવસનો રાજકીય શોક જાહેર કરાયો છે.

ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી અને ભારતીય જનતા પાર્ટીના વરિષ્ઠ નેતા વિજય રૂપાણીના દુઃખદ નિધનના પગલે રાજ્ય સરકારે એક દિવસનો રાજકીય શોક જાહેર કર્યો છે. રાજ્ય સરકાર દ્વારા આ અંગેની સત્તાવાર જાહેરાત કરવામાં આવી હતી. આ જાહેરાત મુજબ  સોમવાર, 16 જૂન 2025ના રોજ ગુજરાત રાજ્યમાં રાજકીય શોક પાળવામાં આવશે. આ દિવસ દરમિયાન શોકના પ્રતિક રૂપે ગુજરાતની તમામ સરકારી કચેરીઓ, જાહેર સંસ્થાઓ અને શૈક્ષણિક સંસ્થાઓ ખાતે રાષ્ટ્રીય ધ્વજ અડધી કાઠીએ ફરકાવવામાં આવશે.

  • સવારે11:00 વાગ્યે: ગાંધીનગર નિવાસસ્થાનેથી અમદાવાદની સિવિલ હોસ્પિટલ જવા રવાના થશે.
  • સવારે11:30 વાગ્યે: અમદાવાદ સિવિલ હોસ્પિટલ ખાતે પાર્થિવ દેહ પરિવારને સોંપાશે. સવારે 11:30 થી 12:30 વાગ્યે: સિવિલ હોસ્પિટલ, અમદાવાદથી એરપોર્ટ જવા રવાના થશે.
  • બપોરે12:30 થી 2:00 વાગ્યે: હવાઈ માર્ગે અમદાવાદ એરપોર્ટથી રાજકોટ એરપોર્ટ પહોંચશે.
  • બપોરે2:00 થી 2:30 વાગ્યે: રાજકોટ એરપોર્ટથી ગ્રીનલેન્ડ ચોકડી, રાજકોટ સુધી પહોંચશે.
  • બપોરે2:30 થી 4:00 વાગ્યે: ગ્રીનલેન્ડ ચોકડીથી રાજકોટ સ્થિત તેમના નિવાસસ્થાને (પૂજિત, 2/5 પ્રકાશ સોસાયટી, નિર્મલા કોન્વેન્ટ સ્કૂલ સામે, રાજકોટ) જવા માટે ભવ્ય અંતિમ યાત્રા નીકળશે. આ યાત્રા ગ્રીનલેન્ડ ચોકડી, રણછોડદાસ બાપુ આશ્રમ રોડ, બાલક હનુમાન ચોક, કેડી ચોક, સંત કબીર રોડ, સરદાર સ્કૂલ પાસેથી, પૂજિત રૂપાણી ટ્રસ્ટ, ભાવનગર રોડ ઝોન ઓફિસ, પારેવડી ચોક, કેસરીહિંદ પુલ, સિવિલ હોસ્પિટલ ચોક, ચૌધરી હાઈસ્કૂલ, બહુમાળી ભવન, જિલ્લા પંચાયત ચોક, કિશાનપરા ચોક, હનુમાન મઢી ચોક, રૈયા રોડ અને નિર્મલા કોન્વેન્ટ રોડ થઈને તેમના નિવાસસ્થાન પ્રકાશ સોસાયટી પહોંચશે.
  • સાંજે4:00 થી 5:00 વાગ્યે: તેમના નિવાસસ્થાને પાર્થિવ દેહના અંતિમ દર્શન માટે રાખવામાં આવશે, જ્યાં શોકમગ્ન જનતા અને મહાનુભાવો શ્રદ્ધાંજલિ અર્પણ કરી શકશે.
  • સાંજે5:00 થી 6:00 વાગ્યે: નિવાસસ્થાનેથી રામનાથપરા સ્મશાન સુધી અંતિમ યાત્રા નીકળશે. આ યાત્રા પ્રકાશ સોસાયટી, નિર્મલા કોન્વેન્ટ રોડ, કોટેચા ચોક (કાલાવડ રોડ), મહિલા કોલેજ ચોક, એસ્ટ્રોન ચોક, સરદારનગર મેઈન રોડ, યાજ્ઞિક રોડ, માલવિયા ચોક, ત્રિકોણબાગ ચોક, કોર્પોરેશન ચોક, બાલાજી મંદિર ચોક, રાજશ્રી ટોકીઝ રોડ, સ્વામિનારાયણ મંદિર (ભુપેન્દ્ર રોડ) થઈને રામનાથપરા સ્મશાન પહોંચશે.
  • સાંજે6:00 વાગ્યે: રામનાથપરા સ્મશાન ખાતે અંતિમ સંસ્કાર કરવામાં આવશે.  
Latest Stories