સુરેન્દ્રનગર: ખાણખનીજ કચેરીના જુનિયર ક્લાર્ક રૂપિયા 10 હજારની લાંચ લેતા રંગે હાથ ઝડપાયા

સુરેન્દ્રનગરના ખાણ ખનીજ કચેરીના જુનિયર કલાર્કની લાંચ રૂશ્વત વિરોધી શાખાના અધિકારીઓએ ધરપકડ કરી હતી,ફરિયાદી પાસેથી રૂપિયા 10 હજારની લાંચ સ્વીકારવા જતા લાંચિયો અધિકારી ACBના છટકામાં આબાદ ઝડપાઈ ગયો હતો. 

New Update
a

સુરેન્દ્રનગરના ખાણ ખનીજ કચેરીના જુનિયર કલાર્કની લાંચ રૂશ્વત વિરોધી શાખાના અધિકારીઓએ ધરપકડ કરી હતી,ફરિયાદી પાસેથી રૂપિયા 10 હજારની લાંચ સ્વીકારવા જતા લાંચિયો અધિકારી ACBના છટકામાં આબાદ ઝડપાઈ ગયો હતો. 

પ્રાપ્ત માહિતી અનુસાર સુરેન્દ્રનગરમાં ખાણ ખનીજ કચેરીમાં વર્ગ 3માં જુનિયર ક્લાર્ક તરીકે ફરજ બજાવતા અમૃત ઉર્ફે આનંદ કેહરભાઈએ ફરિયાદ કરેલી RTIની પુરી માહિતી આપવા માટે રૂપિયા 10 હજારની લાંચ માંગી હતી.જે બાબત અંગે ફરિયાદ દ્વારા ACB જામનગર શાખાનો સંપર્ક કર્યો હતો.અને ફરિયાદના આધારે ACB દ્વારા ખાણ ખનીજ કચેરીના ગેટ પાસે,બહુમાળી ભવન,સુરેન્દ્રનગર ખાતે છટકું ગોઠવવામાં આવ્યું હતું,જેમાં ફરિયાદી પાસેથી રૂપિયા 10 હજારની લાંચ લેતા  ખાણ ખનીજ કચેરીના જુનિયર કલાર્ક અમૃત ઉર્ફે આનંદ કેહરભાઈ રંગે હાથ ઝડપાઇ ગયો હતો. ACB ની સફળ ટ્રેપને પગલે લાંચિયા અધિકારીઓ માં ફફડાટ વ્યાપી ગયો હતો.

Read the Next Article

અંકલેશ્વર: ખરોડ ગામે યુવાનની હત્યા કરનાર આરોપીની ક્રાઇમ બ્રાન્ચે કરી ધરપકડ, અગાઉ થયેલ માથાકૂટની રીસ રાખી હત્યા કરાય

અંકલેશ્વર તાલુકાના ખરોડ ગામેથી મળી આવેલ મૃતદેહના મામલામાં ચોકાવનારો ખુલાસો થયો છે પોલીસે યુવાનની હત્યા કરનાર આરોપીની ધરપકડ કરી તેની સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

New Update

અંકલેશ્વરના ખરોડમાં મળી આવ્યો હતો મૃતદેહ

હત્યા થઈ હોવાનું આવ્યું બહાર

પોલીસે હત્યારાની કરી ધરપડક

અગાઉના ઝઘડાની રીસ રાખી કરાય હત્યા

પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી


અંકલેશ્વર તાલુકાના ખરોડ ગામેથી મળી આવેલ મૃતદેહના મામલામાં ચોકાવનારો ખુલાસો થયો છે પોલીસે યુવાનની હત્યા કરનાર આરોપીની ધરપકડ કરી તેની સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

અંકલેશ્વરના ખરોડ ગામની સીમમાં આવેલ બાકરોલ વગામાં ખેતરના શેઢા ઉપર અજાણ્યા વ્યક્તિનો મૃતદેહ વિકૃત હાલતમાં મળી આવ્યો હતો.આ બાબતે પાનોલી પોલીસે ગુનો નોંધી મૃત્યુનું કારણ જાણવા તપાસ શરૂ કરી હતી.આ તરફ ક્રાઇમ બ્રાન્ચ પણ તપાસમાં જોડાય હતી દરમ્યામ પોલીસને બાતમી મળી હતી કે આ ગુનામાં  અક્કલકુવાનો શંકર મોવરીયા વસાવા નામનો ઈસમ સંડોવાયો છે જે અંકલેશ્વર તથા પાનોલી વિસ્તારમા છુટક મજુરી કરે છે.પોલીસે હ્યુમન ઇન્ટેલીજન્સના આધારે આરોપીની ખરોડ નજીકથી ધરપકડ કરી હતી. પોલીસની પૂછપરછમાં ચોંકાવનારો ખુલાસો થયો હતો. આ મામલામાં મરણ જનાર ઇસમે થોડા દિવસ અગાઉ મારમારી 1500 રૂપિયા લૂંટી લીધા હતા જેની રીસ રાખી આરોપી શંકર વસાવાએ મૃતકને શોધી તેને મજૂરી કામ અપાવવાના બહાને ખરોડ ગામની સીમમાં લઈ ગયો હતો અને ત્યાં પથ્થરના ઘા મારી હત્યા કર્યા બાદ તેના વતન ફરાર થઇ ગયો હતો.પોલીસે આરોપીની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.