Connect Gujarat
ગુજરાત

સુરેન્દ્રનગર : સુરસાગર ડેરીના પનીર પ્લાન્ટનું કેબિનેટ મંત્રીના હસ્તે ઉદઘાટન કરાયું, સુકન્યા સમૃધ્ધિ યોજનાના ચેક વિતરણ કરાયા...

વન અને પર્યાવરણ કેબિનેટ મંત્રી કિરીટસિંહ રાણાના અધ્યક્ષસ્થાને સુરેન્દ્રનગર જિલ્લાના વઢવાણ સ્થિત સુરસાગર ડેરીના પનીર પ્લાન્ટનો ઉદઘાટન સમારોહ તેમજ સુકન્યા સમૃધ્ધિ યોજના અંતર્ગત ચેક વિતરણ કાર્યક્રમ યોજાયો હતો.

X

વન અને પર્યાવરણ કેબિનેટ મંત્રી કિરીટસિંહ રાણાના અધ્યક્ષસ્થાને સુરેન્દ્રનગર જિલ્લાના વઢવાણ સ્થિત સુરસાગર ડેરીના પનીર પ્લાન્ટનો ઉદઘાટન સમારોહ તેમજ સુકન્યા સમૃધ્ધિ યોજના અંતર્ગત ચેક વિતરણ કાર્યક્રમ યોજાયો હતો.

સુરેન્દ્રનગર જિલ્લાના વઢવાણ સ્થિત સુરસાગર ડેરીના પનીર પ્લાન્ટનું કેબિનેટ મંત્રી કિરીટસિંહ રાણાના હસ્તે ઉદઘાટન કરવામાં આવ્યું હતું. જેમ રોજની 2 મેટ્રિક ટનની કેપેસિટી ધરાવતા આ પનીર પ્લાન્ટ રૂપિયા 3.7 કરોડના ખર્ચે નિર્માણ પામેલ છે. પહેલા પનીર સાબર જેવી બહારની ડેરીઓમાંથી લાવતા હતા, જ્યારે આજે આપણી પાસે પોતાનો પ્લાન્ટ છે. આ પ્લાન્ટમાંથી 100gm, 200gm, અને 1 kgમાં પનીરનું પેકેજીંગ થશે. જેના થકી સમગ્ર જિલ્લાની જનતાને તાજું પનીર મળશે. આ પ્રસંગે કેબિનેટ મંત્રી કિરીટસિંહ રાણાએ જણાવ્યું હતું કે, કેન્દ્રમાં વડાપ્રધાન બનવાની સાથે નરેન્દ્ર મોદીએ નર્મદા પ્રોજેક્ટને પૂર્ણ ઉંચાઇ સુધી લઈ જવાની મંજૂરી આપી હતી, અને પાણીથી વંચિત રહી જતા ગામો સુધી નર્મદાનાં પવિત્ર જળ પહોંચાડી પોતે આપેલુ વચન પૂર્ણ કર્યું છે.

આ પહેલાના સમયમાં રાજ્યમાં રસ્તા, આરોગ્ય, પાણી જેવી મૂળભૂત માળખાકીય સુવિધાઓની પણ તકલીફ હતી પણ આજે ગુજરાતમાં દરેકે-દરેક ગામમાં પાકા રસ્તા, પાણી સહિતની સુવિધાઓનું માળખુ મજબૂત કરવામાં આવ્યું છે, અને અંતરિયાળ ગામનાં લોકો સુધી આ સુવિધાઓ ઉપલબ્ધ કરાવવામાં આવી છે. સાથે જ સરકારની વિવિઘ યોજનાઓનો લાભ લોકોને મળી રહ્યો છે. મા કાર્ડ, આયુષ્માન ભારત કાર્ડ જેવી આરોગ્ય યોજનાઓના કારણે લોકોને આરોગ્ય અંગેનું સુરક્ષા કવચ આપવામાં આવી રહ્યું છે. આમ સરકારની અનેક કલ્યાણકારી યોજનાઓથી છેવાડાના લોકોનુ કલ્યાણ થાય તે માટે સરકાર કટિબધ્ધ છે. આ પ્રસંગે વઢવાણ ધારાસભ્ય ધનજી પટેલ, નગરપાલિકા પ્રમુખ વિરેન્દ્ર આચાર્ય સહિત મોટી સંખ્યામાં પશુપાલકો ઉપસ્થિત રહ્યા હતા.

Next Story