સુરેન્દ્રનગર: ચોટીલાના સુખપુરા વિસ્તારના લોકો વિવિધ પ્રશ્નોને લઈને નગરપાલિકાએ પહોંચ્યા,ચીફ ઓફિસરને કરી ઉગ્ર રજૂઆત

સુરેન્દ્ર નગરના ચોટીલાના સુખપરાના સ્થાનિકોએ પાણી તેમજ ગટર સહિતના પ્રશ્ને નગર સેવા સદનના મુખ્ય અધિકારીને ઉગ્ર રજૂઆત કરી હતી.

New Update
સુરેન્દ્રનગર: ચોટીલાના સુખપુરા વિસ્તારના લોકો વિવિધ પ્રશ્નોને લઈને નગરપાલિકાએ પહોંચ્યા,ચીફ ઓફિસરને કરી ઉગ્ર રજૂઆત

સુરેન્દ્ર નગરના ચોટીલાના સુખપરાના સ્થાનિકોએ પાણી તેમજ ગટર સહિતના પ્રશ્ને નગર સેવા સદનના મુખ્ય અધિકારીને ઉગ્ર રજૂઆત કરી હતી.

સુરેન્દ્રનગરનું ચોટીલા શહેર ઘણા સમયથી અલગ અલગ સમસ્યાથી ઘેરાયેલું છે ત્યારે ફરી એકવાર સુખપરાના મહીલાઓ અને પુરુષો નગરપાલિકાએ પહોંચ્યા હતાઅને ચોટીલા ચીફ ઓફિસરને પાણી ગટર રોડ વિશે ઉગ્ર રજૂઆત કરવામાં આવી હતી.સુખપરામાં વર્ષો પહેલા ભૂગર્ભ ગટર તો થઈ છે પણ હજી સુધી ભૂગર્ભ ગટરના કનેક્શન આપવામાં આવ્યા નથી તે પણ એક સવાલ છે અને વર્ષો થી ભુગર્ભ ગટર શોભાના ગાઠીયા સમાન છે.ભુગર્ભ ગટરના કનેક્શન ન આપેલ હોવાથી બાથરૂમના પાણી રોડ ઉપર જવાથી શૌચાલય માટે મહિલાઓને દૂર સુધી જવું પડે છે તેવા પણ પ્રશ્નોની રજૂઆત મહીલાઓ દ્વારા કરવામાં આવી હતી.ઘરે ઘરે નળ કનેક્શન તો છે પણ તેમાં પાણી આવતું નથી આમ રોડ ગટર અને પાણી ત્રણેય પ્રશ્નોનોથી સુખપરા ઘેરાયેલુ છે તો દરેક પ્રશ્ર્ન નો હલ થાય તેવી ચીફ ઓફિસર ને રજૂઆત કરવામાં આવી હતી

Read the Next Article

દેવભૂમિ દ્વારકા : થાઈલેન્ડના બૌદ્ધ ધર્મગુરુ સોમદેજ ફ્રા થેરાયન મુનિએ જગત મંદિરે ભગવાન દ્વારકાધીશના દર્શન કર્યા...

દેવભૂમિ દ્વારકાના દ્વારકા જગત મંદિર ખાતે થાઈલેન્ડના બૌદ્ધ ધર્મગુરુ સોમદેજ ફ્રા થેરાયન મુનિએ ભગવાન દ્વારકાધીશના દર્શન કરી ધન્યતાનો અનુભવ કર્યો હતો.

New Update
  • થાઈલેન્ડના બૌદ્ધ ધર્મગુરુ દેવભૂમિ દ્વારકાના મહેમાન બન્યા

  • હિન્દુ સંસ્કૃતિને નજીકથી જાણવાના ઉદ્દેશ્ય સાથે ભારત આવ્યા

  • બૌદ્ધ ધર્મગુરુ સોમદેજ ફ્રા થેરાયન મુનિ જગત મંદિરે પધાર્યા

  • ભગવાન દ્વારકાધીશના દર્શન કરી ધન્યતાનો અનુભવ કર્યો

  • બન્ને પક્ષોના ધાર્મિક વારસાને સમજવાની અનેરી તક મળી

દેવભૂમિ દ્વારકાના દ્વારકા જગત મંદિર ખાતે થાઈલેન્ડના બૌદ્ધ ધર્મગુરુ સોમદેજ ફ્રા થેરાયન મુનિએ ભગવાન દ્વારકાધીશના દર્શન કરી ધન્યતાનો અનુભવ કર્યો હતો.

થાઈલેન્ડના બૌદ્ધ ધર્મગુરુ સોમદેજ ફ્રા થેરાયન મુનિએ હિન્દુ સંસ્કૃતિને નજીકથી જાણવાના ઉદ્દેશ્ય સાથે દેવભૂમિ દ્વારકા જિલ્લાની મુલાકાત લીધી હતી. તેમની આ યાત્રા બન્ને ધર્મો વચ્ચેના ગાઢ સંબંધો અને પરસ્પર સમજણને વધુ મજબૂત બનાવવાની દિશામાં એક મહત્વપૂર્ણ પગલું છે. થાઈલેન્ડના ધર્મગુરુ સોમદેજ ફ્રા થેરાયન મુનિએ સૌપ્રથમ દ્વારક જગત મંદિરમાં બિરાજમાન ભગવાન દ્વારકાધીશના દર્શન કરી ધન્યતા અનુભવી હતી. આ દ્રશ્ય તેમની હિન્દુ સંસ્કૃતિ પ્રત્યેની આસ્થા અને આદરભાવને ઉજાગર કરે છે. ત્યારબાદ, તેમણે શારદાપીઠના બ્રહ્મચારીઓ અને સ્થાનિક ગુગળી બ્રાહ્મણો સાથે ધર્મ, આધ્યાત્મિકતા અને સાંસ્કૃતિક મૂલ્યો અંગે વિસ્તૃત ચર્ચાઓ કરી હતી. આ ચર્ચાઓ દરમિયાન તેમણે બૌદ્ધ પરંપરાઓ અને દર્શનશાસ્ત્ર વિશે પણ માહિતી આપી હતી. જેનાથી બન્ને પક્ષોને એકબીજાના ધાર્મિક વારસાને સમજવાની અનેરી તક મળી હતી.

Latest Stories