સુરેન્દ્રનગર : લીંબડીના ખંભલાવમાં ખેતરમાંથી જીરૂની ચોરી, 2 આરોપીની પોલીસે કરી ધરપકડ

સુરેન્દ્રનગર જિલ્લામાં લીંબડી તાલુકાના ખંભલાવ ગામની સીમમાં ખેડુતે મહામહેનતે તૈયાર કરેલ જીરુંના પાકમાં તસ્કરો ત્રાટક્યા હતા.અને ખેતરમાંથી જીરું વાઢીને ચોર ફરાર થઇ ગયા હતા.

New Update
  • હવે ખેતર પણ સુરક્ષિત રહ્યા નથી

  • ખેતરમાંથી જીરૂ ચોરીની ઘટનાથી ચકચાર

  • જીરૂનો તૈયાર પાક વાઢીનેચોરીને આપ્યો અંજામ

  • પાંચ કિલોથી વધુ જીરૂની થઇ ચોરી

  • પોલીસે બે આરોપીની કરી ધરપકડ 

સુરેન્દ્રનગર જિલ્લામાં લીંબડી તાલુકાના ખંભલાવ ગામની સીમમાં ખેડુતે મહામહેનતે તૈયાર કરેલ જીરુંના પાકમાં તસ્કરો ત્રાટક્યા હતા.અને ખેતરમાંથી જીરું વાઢીનેચોર ફરાર થઇ ગયા હતા.આ ઘટનામાં પોલીસે બે આરોપીની ધરપકડ કરી હતી.

સુરેન્દ્રનગર જિલ્લામાં લીંબડી પંથકમાં ખેતરમાં રહેલા તૈયાર પાક પણ જાણે સલામત ન હોય તેમ ખેતપેદાશોની ચોરીના બનાવો બનતા ખેડૂતોમાં ચિંતા જોવા મળી રહી છે.લીંબડી તાલુકાના ખંભલાવ ગામે રહેતા ધીરૂ મગનભાઇ દલવાડીએ પોતાના ખેતરમાં જીરૂનું વાવેતર કર્યું હતું.હાલ જીરૂનો પાક સંપૂર્ણ તૈયાર થઈ ગયો હતો.ત્યારે રાત્રીના સમયે તસ્કરો ખેતરમાં ત્રાટક્યા હતા અને ખેતર માંથી અંદાજે પાંચ કિલોથી વધુ જીરું વાઢીનેચોરીને ફરાર થઇ ગયા હતા.ખેતરના માલિક ધીરૂ બીજા દિવસે સવારે ખેતરમાં આવતા ખેતરમાંથી જીરૂની ચોરી થયા અંગે જાણ થતા પાણશીણા પોલીસ મથકે આ અંગેની ફરિયાદ નોંધાવી હતી.

પોલીસે ગુનો નોંધી તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો અને જીરૂની ચોરીને અંજામ આપી ખેડૂતોની ઊંઘ હરામ કરનાર બે તસ્કરો ગડા માથાસુરીયા અને ઘનશ્યામ ચુનારા નામના બે શખ્સોની પોલીસે ધરપકડ કરી હતી.અને વધુ તપાસ શરૂ કરી હતી.

Read the Next Article

સુરતના એકમાત્ર “પ્લાસ્ટિક મુક્ત” અલથાણ પોલીસ સ્ટેશનનું ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીના હસ્તે લોકાર્પણ કરાયું...

સુરત જિલ્લાના નાગરિકોને ઝડપી ન્યાય મળે અને સરળતાથી પોલીસ સેવા સુલભ બને તે માટે અલથાણ પોલીસ સ્ટેશનનું ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું હતું.

New Update

નાગરિકો માટે પોલીસ સેવા સુલભ બને તેવું આયોજન

સુરતનું એકમાત્ર પ્લાસ્ટિક મુક્ત અલથાણ પોલીસ સ્ટેશન

અલથાણ પોલીસ સ્ટેશનનો લોકાર્પણ કાર્યક્રમ યોજાયો

ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીના વરદ હસ્તે લોકાર્પણ કરાયું

પોલીસ સ્ટેશનમાં રેઇન વોટર હારવેસ્ટિંગની વિશેષ વ્યવસ્થા

સુરત જિલ્લાના નાગરિકોને ઝડપી ન્યાય મળે અને સરળતાથી પોલીસ સેવા સુલભ બને તે માટે અલથાણ પોલીસ સ્ટેશનનું ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું હતું. અલથાણ પોલીસ સ્ટેશન સુરતનું એકમાત્ર પ્લાસ્ટિક મુક્ત પોલીસ સ્ટેશન તેમજ સોલાર પાવર સિસ્ટમથી સંચાલિત છેત્યારે આ પોલીસ સ્ટેશનમાં રેઇન વોટર હારવેસ્ટિંગની પણ વિશેષ વ્યવસ્થા કરવામાં આવી છે.

ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવીએ અલથાણ પોલીસ સ્ટેશનનું નિરીક્ષણ કર્યું હતું. ગૃહ રાજ્યમંત્રીએ રાજ્યમાં શાંતિસુરક્ષા સલામતીના મૂળમાં ઉત્તમ કાયદો અને વ્યવસ્થા તેમજ ન્યાયની આશામાં પોલીસ સ્ટેશને આવતા ફરિયાદી તથા આમ નગારિક નિરાશ ન થાય તેમજ નાગરિકોની સમસ્યાઓફરિયાદોમાં અલથાણ પોલીસ સ્ટેશન મદદરૂપ થાય તેવી અપેક્ષા વ્યક્ત કરી હતી. આ લોકાર્પણ કાર્યક્રમમાં રાજ્ય સરકારના મંત્રી મુકેશ પટેલસંદીપ દેસાઈધારાસભ્ય સંગીતા પાટીલસુરત શહેર પોલીસ કમિશનર સહિત પોલીસ અધિકારીઓસામાજિક આગેવાનો  સહિત મોટી સંખ્યામાં નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા.