સુરેન્દ્રનગર : લીંબડીના ખંભલાવમાં ખેતરમાંથી જીરૂની ચોરી, 2 આરોપીની પોલીસે કરી ધરપકડ

સુરેન્દ્રનગર જિલ્લામાં લીંબડી તાલુકાના ખંભલાવ ગામની સીમમાં ખેડુતે મહામહેનતે તૈયાર કરેલ જીરુંના પાકમાં તસ્કરો ત્રાટક્યા હતા.અને ખેતરમાંથી જીરું વાઢીને ચોર ફરાર થઇ ગયા હતા.

New Update
  • હવે ખેતર પણ સુરક્ષિત રહ્યા નથી

  • ખેતરમાંથી જીરૂ ચોરીની ઘટનાથી ચકચાર

  • જીરૂનો તૈયાર પાક વાઢીને ચોરીને આપ્યો અંજામ

  • પાંચ કિલોથી વધુ જીરૂની થઇ ચોરી

  • પોલીસે બે આરોપીની કરી ધરપકડ 

Advertisment

સુરેન્દ્રનગર જિલ્લામાં લીંબડી તાલુકાના ખંભલાવ ગામની સીમમાં ખેડુતે મહામહેનતે તૈયાર કરેલ જીરુંના પાકમાં તસ્કરો ત્રાટક્યા હતા.અને ખેતરમાંથી જીરું વાઢીને ચોર ફરાર થઇ ગયા હતા.આ ઘટનામાં પોલીસે બે આરોપીની ધરપકડ કરી હતી.

સુરેન્દ્રનગર જિલ્લામાં લીંબડી પંથકમાં ખેતરમાં રહેલા તૈયાર પાક પણ જાણે સલામત ન હોય તેમ ખેતપેદાશોની ચોરીના બનાવો બનતા ખેડૂતોમાં ચિંતા જોવા મળી રહી છે.લીંબડી તાલુકાના ખંભલાવ ગામે રહેતા ધીરૂ મગનભાઇ દલવાડીએ પોતાના ખેતરમાં જીરૂનું વાવેતર કર્યું હતું.હાલ જીરૂનો પાક સંપૂર્ણ તૈયાર થઈ ગયો હતો.ત્યારે રાત્રીના સમયે તસ્કરો ખેતરમાં ત્રાટક્યા હતા અને ખેતર માંથી અંદાજે પાંચ કિલોથી વધુ જીરું વાઢીને ચોરીને ફરાર થઇ ગયા હતા.ખેતરના માલિક ધીરૂ બીજા દિવસે સવારે ખેતરમાં આવતા ખેતરમાંથી જીરૂની ચોરી થયા અંગે જાણ થતા પાણશીણા પોલીસ મથકે આ અંગેની ફરિયાદ નોંધાવી હતી.

પોલીસે ગુનો નોંધી તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો અને જીરૂની ચોરીને અંજામ આપી ખેડૂતોની ઊંઘ હરામ કરનાર બે તસ્કરો ગડા માથાસુરીયા અને ઘનશ્યામ ચુનારા નામના બે શખ્સોની પોલીસે ધરપકડ કરી હતી.અને વધુ તપાસ શરૂ કરી હતી.

 

Advertisment
Read the Next Article

“ઓપરેશન અખરોટ” : બાળકની શ્વાસનળીમાં ફસાયેલ અખરોટના ટુકડાને વલસાડના તબીબોએ સફળતાપૂર્વક બહાર કાઢ્યો...

વલસાડ શહેરમાં 4 વર્ષીય બાળકની શ્વાસનળીમાંથી અખરોટનો ટુકડો કાઢી તેનો જીવ બચાવવામાં આવ્યો છે, ત્યારે બાળકના પરિવારે તબીબોનો આભાર વ્યક્ત કર્યો હતો.

New Update
62

વલસાડ શહેરમાં 4 વર્ષીય બાળકની શ્વાસનળીમાંથી અખરોટનો ટુકડો કાઢી તેનો જીવ બચાવવામાં આવ્યો છેત્યારે બાળકના પરિવારે તબીબોનો આભાર વ્યક્ત કર્યો હતો.

Advertisment

નવસારી જિલ્લાના બીલીમોરા શહેરમાંથી માતા-પિતા માટે લાલબત્તી સમાન કિસ્સો સામે આવ્યો છે. મળતી માહિતી અનુસારબીલીમોરાના રહેવાસી પરિવારમાં 4 વર્ષીય બાળક અખરોટ ખાતો હતો.

આ દરમ્યાન રમતા રમતા બાળકની શ્વાસનળીમાં અખરોટનો ટુકડો ફસાઈ ગયો હતો. જે બાદ બાળકને શ્વાસ લેવામાં તકલીફ પડતાં પરિવાર હેબતાઈ ગયો હતો.

જોકેબાળકને તાત્કાલિક સારવાર અર્થે વલસાડ ખાતે ખસેડવામાં આવ્યો હતોજ્યાં ડો. મિતેષ મોદી દ્વારા તાત્કાલિક બાળકનું દૂરબીનની મદદથી ઓપરેશન કરવામાં આવ્યો હતો.

ડો. મિતેષ મોદી સહિતના સ્ટાફે બાળકની શ્વાસનળીમાંથી સફળતાપૂર્વક અખરોટનો ટુકડો કાઢ્યો હતો. અત્રે ઉલ્લેખનીય છે કેઆ ઓપરેશન દરમ્યાન બાળકના શરીર પર કોઈપણ કટ કેકાપ મુકવામાં આવ્યો ન હતો.

તો બીજી તરફસફળતાપૂર્વક પાર પડાયેલા ઓપરેશન બાદ બાળકના પરિવારે તબીબોનો આભાર વ્યક્ત કર્યો હતો.

Advertisment