સુરેન્દ્રનગર : લીંબડી-રાજકોટ હાઈવે પર ખાનગી બસમાંથી મુસાફરના રૂ. 88 લાખના સોનાની ચોરી, જુઓ CCTV

સુરેન્દ્રનગર જિલ્લાના લીંબડી-રાજકોટ હાઈવે પર એક હોટલના કંપાઉન્ડમાં પાર્ક કરેલ ખાનગી બસમાંથી લૂંટ થઈ હોવાની ઘટના પ્રકાશમાં આવી છે.

New Update
સુરેન્દ્રનગર : લીંબડી-રાજકોટ હાઈવે પર ખાનગી બસમાંથી મુસાફરના રૂ. 88 લાખના સોનાની ચોરી, જુઓ CCTV

સુરેન્દ્રનગર જિલ્લાના લીંબડી-રાજકોટ હાઈવે પર એક હોટલના કંપાઉન્ડમાં પાર્ક કરેલ ખાનગી બસમાંથી લૂંટ થઈ હોવાની ઘટના પ્રકાશમાં આવી છે. જેમાં મુસાફરના રૂ. 88 લાખથી વધુના સોનાની ચોરી થતાં પોલીસે CCTV ફૂટેજના આધારે વધુ તપાસ હાથ ધરી છે.

સુરેન્દ્રનગર જિલ્લામાં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ કથળતી જઇ રહી છે, તેવા સંજોગોમાં ચોરી, લૂંટ, મારામારી અને હત્યાના બનાવો સતત વધી રહ્યા છે, ત્યારે રાજકોટ-અમદાવાદ હાઇવે ઉપર આવેલ દર્શન હોટલના કંપાઉન્ડમાં પાર્ક કરેલી ખાનગી બસમાંથી લૂંટ થઈ હોવાની ઘટના પ્રકાશમાં આવી છે. બસમાં સવાર યુવક પાસે રહેલા થેલાની અજાણ્યા લોકોએ ઉઠાંતરી કરી હતી. આ થેલામાં સોનુ હોવાનો ઘટસ્ફોટ થવા પામ્યો છે. રાજકોટના શૈલેષ પટોડીયા નામનો યુવક બસમાં મુસાફરી કરી અમદાવાદ તરફ જઈ રહ્યો હતો, ત્યારે સતત 2 કલાક મુસાફરી બાદ બસને રેસ્ટ માટે દર્શન હોટલ થોભવવામાં આવી હતી. જોકે, શૈલેષ પટોડીયા પોતાનો સોનુ ભરેલો થેલો બસમાં મૂકી ફ્રેશ થવા વોશરૂમ ગયા હતા, તે સમયે કોઇ અજાણ્યા ઇસમો દ્વારા બસમાંથી થેલાની લૂંટ ચલાવી ફરાર થયા હતા. સમગ્ર મામલે યુવક દ્વારા તાત્કાલિક પગલે જોરાનગર પોલીસનો સંપર્ક સાધવામાં આવ્યો હતો, ત્યારે બનાવની જાણ થતાં જ પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો. જોકે, આ થેલામાં રૂ. 88 લાખથી વધુનું સોનું હોવાનું ભોગ બનનાર મુસાફરે જણાવ્યુ હતું, ત્યારે હાલ તો CCTV ફૂટેજના આધારે પોલીસર વધુ તપાસ હાથ ધરી છે.

Read the Next Article

જૂનાગઢ : ગીર જંગલમાં વનરાજનું વેકેશન,15 જૂનથી 16 ઓક્ટોબર સુધી પ્રવાસીઓ માટે અભયારણ્ય બંધ

સિંહોના સવનન કાળમાં કોઈ ખલેલ ન પહોંચે તે માટે જંગલ પ્રવાસીઓ માટે બંધ રાખવામાં આવે છે. આ નિર્ણય વન્યજીવ સંરક્ષણની દ્રષ્ટિએ મહત્વપૂર્ણ માનવામાં આવે છે.

New Update
  • ગીર અભયારણ્યમાં વેકેશનનો સમય

  • 15 જૂનથી 16 ઓક્ટોબર સુધી સિંહ દર્શન બંધ

  • સાવજોનો સંવનન કાળ થયો શરૂ

  • આ સમય દરમિયાન સિંહ દર્શન રહેશે બંધ

  • આ વર્ષે 8.50 લાખ પ્રવાસીઓએ કર્યા સિંહ દર્શન

ગુજરાતમાં એશિયાટિક સિંહોનું ઘર ગણાતા ગીર અભયારણ્યમાં હવે વનરાજાનું વેકેશન શરૂ થયું છે,જેના કારણે તારીખ 15 જૂનથી 16 ઓક્ટોબર સુધી સિંહ દર્શન પ્રવાસીઓ માટે બંધ રખવામાં આવે છે.

ગીર અભયારણ્ય 15 જૂનથી 16 ઓક્ટોબર સુધી પ્રવાસીઓ માટે બંધ રહેશે. આ સમયગાળો સિંહ પ્રજાતિનો સંવનન કાળ ગણાય છે. અને ચોમાસા દરમિયાન જંગલના કાચા રસ્તાઓની સ્થિતિ પણ બગડી જાય છે.ગીર જંગલ દેશ-વિદેશના પ્રવાસીઓ માટે મુખ્ય આકર્ષણનું કેન્દ્ર બની ગયું છે. પ્રવાસીઓ બે સ્થળેથી સિંહ દર્શન કરી શકે છે.દેવળિયા સફારી પાર્ક વરસાદ ન હોય ત્યારે ચાલુ રાખવામાં આવે છે. 

તેમાં પ્રવાસીઓને જીપ્સીની સુવિધા પણ મળી રહે છે.2024-25ના વર્ષમાં અત્યાર સુધીમાં 8 લાખ 50 હજાર પ્રવાસીઓએ સિંહદર્શન કર્યું છે. પ્રવાસીઓની સંખ્યામાં સતત વધારો નોંધાઈ રહ્યો છે.વે છે.સિંહોના સવનન કાળમાં કોઈ ખલેલ ન પહોંચે તે માટે જંગલ પ્રવાસીઓ માટે બંધ રાખવામાં આવે છે. આ નિર્ણય વન્યજીવ સંરક્ષણની દ્રષ્ટિએ મહત્વપૂર્ણ માનવામાં આ