સુરેન્દ્રનગર : લીંબડીના રાજમહેલમાં થયેલ ચોરીનો ભેદ ઉકેલાયો, રૂ. 24 લાખના મુદ્દામાલ સાથે 6 શખ્સોની ધરપકડ

સુરેન્દ્રનગર જિલ્લાના લીંબડી ખાતે આવેલા રાજમહેલમાંથી 56 કિલો ચાંદી તેમજ એન્ટિક વસ્તુઓની થયેલ ચોરીનો ભેદ ઉકેલાયો છે.

New Update
સુરેન્દ્રનગર : લીંબડીના રાજમહેલમાં થયેલ ચોરીનો ભેદ ઉકેલાયો, રૂ. 24 લાખના મુદ્દામાલ સાથે 6 શખ્સોની ધરપકડ

સુરેન્દ્રનગર જિલ્લાના લીંબડી ખાતે આવેલા રાજમહેલમાંથી 56 કિલો ચાંદી તેમજ એન્ટિક વસ્તુઓની થયેલ ચોરીનો ભેદ ઉકેલાયો છે. જેમાં LCB પોલીસે ધ્રાંગધ્રાના 6 શખ્સોને કુલ રૂપિયા 24 લાખથી વધુના મુદ્દામાલ સાથે ઝડપી પાડ્યા છે.

લીંબડી ખાતે આવેલ રાજવી પરિવારના રાજમહેલમાંથી અંદાજે 56 કિલો ચાંદી તેમજ અન્ય એન્ટિક વસ્તુઓની ચોરી થતાં સમગ્ર પંથકમાં ચકચાર મચી હતી, ત્યારે રાજવી પરિવાર દ્વારા ચોરી અંગેની ફરિયાદ નોંધાવતા સુરેન્દ્રનગર જિલ્લા LCB પોલીસની ટીમ દ્વારા તપાસનો ધમધમાટ શરૂ કરવામાં આવ્યો હતો. LCB પોલીસની ટીમને ચોક્કસ બાતમી મળી હતી કે, ધ્રાંગધ્રા હળવદ હાઇવે પર રહેતા 6 શખ્સો આ ચોરીમાં સંડોવાયેલા છે, અને તેમની પાસે ચોરી કરેલો કિંમતી સામાન પણ છે. જે બાતમીના આધારે LCB પોલીસે કાટીયો વિરમગામીયા, કમલેશ વિરમગામીયા, કાયો કુંઢીયા, દિલીપ કુંઢીયા, સંજય ધ્રાંગધરીયા અને સુરેશ કુંઢીયા નામના 6 શખ્સોને દબોચી લીધા હતા. પોલીસે આરોપીઓ પાસેથી 29 કિલો ચાંદી, રૂપિયા 6.45 લાખથી વધુની રોકડ રકમ તેમજ ચોરી કરેલ ચાંદીના તારવાળા રજવાડી કાપડ અને ઘડીયાળો સહીત કુલ 24,08,390 રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો.

પોલીસ તપાસમાં આ તસ્કર ટોળકીએ ફેબ્રુઆરી માસ દરમિયાન અલગ અલગ 8 દિવસોમાં 8 વાર મહેલમાં પ્રવેશ કરી લોખંડના કટર વડે મહેલની બારીની ગ્રીલ કાપી અંદર પ્રવેશ કરી ચોરીને અંજામ આપ્યો હોવાની કબૂલાત આપી હતી. ઉપરાંત મહેલમાંથી ચોરી કરેલી વસ્તુઓ પૈકી 15 કિલો ચાંદીની વસ્તુઓ અમદાવાદના અરૂણ વિરમગામીયાને વેચી હતી, જ્યારે અન્ય એન્ટિક વસ્તુઓ હોય તેનાં વધારે રૂપિયા મેળવવા તસ્કર ગેંગના મુખ્ય સુત્રધાર કાટીયો વિરમગામીયા તથા અમદાવાદનો અરૂણ વિરમગામીયા પ્લેનમાં દિલ્હી અને મુંબઇ સુધી જઇ આવ્યા હોવાનું પણ પોલીસ સમક્ષ જણાવ્યુ હતું. જોકે, આ તસ્કર ટોળકીની પૂછપરછમાં અન્ય વધુ ગુનાઓના ભેદ પણ ઉકેલાય તેવી પોલીસને આશા છે.

Read the Next Article

બનાસકાંઠા : ચંડીસર ખાતે ઘી બનાવતી ઉત્પાદક પેઢીમાં ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગના દરોડા, રૂ. 3.50 લાખનો 674 કિલો ઘીનો જથ્થો જપ્ત

બનાસકાંઠા ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ દ્વારા કાર્યવાહી કરવામાં આવી છે. ચંડીસર ખાતે આવેલ શ્રી સેલ્સ નામની ઘી બનાવતી ઉત્પાદક પેઢીના બે અલગ અલગ ઘીના

New Update
bnaskantha

બનાસકાંઠા ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ દ્વારા કાર્યવાહી કરવામાં આવી છે. ચંડીસર ખાતે આવેલ શ્રી સેલ્સ નામની ઘી બનાવતી ઉત્પાદક પેઢીના બે અલગ અલગ ઘીના નમૂના લેબોરેટરી ખાતે તપાસ અર્થે મોકલવામાં આવ્યા છેઅને રૂપિયા ૩.૫૦ લાખની કિંમતનો ૬૭૪ કિલો ઘીનો જથ્થો જપ્ત કર્યો છે.

 ફૂડ સેફટી એન્ડ સ્ટાન્ડર્ડ એકટ ૨૦૦૬ અને તે અન્વયેના રૂલ્સ અને રેગ્યુલેશન હેઠળ ખોરાક અને ઔષધ નિયમન તંત્ર બનાસકાંઠા દ્વારા જાહેર જનતાના આરોગ્યના હિતમાં ફુડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ એક્ટ -૨૦૦૬ હેઠળ કામગીરી કરવામાં આવી છે. બનાસકાંઠા ખોરાક અને ઔષધ નિયમન તંત્રના ડેઝિગ્નેટેડ ઓફિસર ટી.એચ.પટેલફૂડ સેફ્ટી ઓફિસર  કે.કે ચૌધરી તથા ઈ.એસ.પટેલ દ્વારા ૧૮ જૂન ૨૦૨૫ના રોજ પ્લોટ નંબર ૨૩૮જી.આઇ.ડી.સીચંડીસર ખાતે આવેલ શ્રી સેલ્સ નામની ઘી બનાવતી ઉત્પાદક પેઢીની તપાસ કરવામાં આવી હતી. આ તપાસ દરમિયાન ઘીના જુદાજુદા બે નમુનાઓ સામેલ વિગતે પેઢીના માલિક પાસેથી ફૂડ સેફટી એન્ડ સ્ટાન્ડર્ડ એકટ ૨૦૦૬ હેઠળ લેવામાં આવ્યા હતા અને ચકાસણી અર્થે ફૂડ લેબોરેટરી ખાતે મોકલી આપવાની કાર્યવાહી હાથ ધરાઈ હતી. જોકેનમૂના લીધા બાદ બાકીનો શંકાસ્પદ ગુણવત્તાનો ઘીનો ૬૭૪ કિલોગ્રામનો જથ્થો કેજેની કિંમત આશરે ૩,૫૦,૪૮૦ રૂપિયાનો જથ્થો જપ્ત કરવામાં આવ્યો છે. પેઢી ઘુમર નામે ગાયનું અને ભેંસનું ઘી બનાવી જુદા જુદા રાજ્યોમાં વેચાણ કરતા હોવાનું તપાસમાં માલૂમ પડેલ છે. ફૂડ વિભાગ દ્વારા હાલમાં સેમ્પલ મેળવ્યા બાદ આગળની કાર્યવાહી હાથ ઘરવામાં આવી છે.