સુરેન્દ્રનગર : કરમડ સ્થિત શ્રી સ્વામિનારાયણ ગુરુકુળ નૂતન વિદ્યાર્થી છાત્રાલયનો CM ભુપેન્દ્ર પટેલના હસ્તે શિલાન્યાસ સંપન્ન...

સુરેન્દ્રનગર જિલ્લાના કરમડ ગામે શ્રી સ્વામિનારાયણ ગુરુકુળ ખાતે નૂતન વિદ્યાર્થી છાત્રાલયના નિર્માણ કાર્યનો રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલના હસ્તે શિલાન્યાસ કરવામાં આવ્યો હતો.

New Update
  • કરમડ ગામ સ્થિત શ્રી સ્વામિનારાયણ ગુરુકુળ દ્વારા આયોજન

  • ગુરુકુળ પરિસરમાં નૂતન વિદ્યાર્થી છાત્રાલયનું કરાશે નિર્માણ

  • મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલના હસ્તે શિલાન્યાસ વિધિ સંપન્ન થઈ

  • તૃતીય સમૂહ લગ્નોત્સવમાં 51 નવયુગલોના પ્રભુતામાં પગલાં

  • મુખ્યમંત્રીએ નવયુગલોને ભાવિ જીવનની શુભકામના પાઠવી

સુરેન્દ્રનગર જિલ્લાના કરમડ ગામે શ્રી સ્વામિનારાયણ ગુરુકુળ ખાતે નૂતન વિદ્યાર્થી છાત્રાલયના નિર્માણ કાર્યનો રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલના હસ્તે શિલાન્યાસ કરવામાં આવ્યો હતો. આ સાથે જ તૃતીય સમૂહ લગ્નોત્સવમાં 51 નવયુગલોએ પ્રભુતામાં પગલાં પાડ્યા હતા. આ નવયુગલોને મુખ્યમંત્રીએ ભાવિ જીવનની શુભકામનાઓ પાઠવી હતી.

સુરેન્દ્રનગર જિલ્લાના કરમડ ગામ સ્થિત શ્રી સ્વામિનારાયણ ગુરુકુળ દ્વારા હાલમાં ત્રિદિવસીય પંચાબ્દિ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. આ મહોત્સવના બીજા દિવસે રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ વિશેષ ઉપસ્થિત રહ્યા હતા. કરમડ ખાતે પધાર્યા બાદ મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે નૂતન વિદ્યાર્થી છાત્રાલયનું ખાતમુહૂર્ત કર્યું હતુંઅને ત્યારબાદ તેઓ મહોત્સવના સભામંડપમાં પધાર્યા હતા. આ તકે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે મહોત્સવમાં સભામાં ઉપસ્થિત ભાવિકોને સંબોધતા કહ્યું હતું કેકરમડ ગામની પાવન ભૂમિમાં શ્રી હરિની અસીમ કૃપાથી તેમજ જોગી સ્વામીના દિવ્ય આશિષથી વિદ્યાસદવિદ્યા અને બ્રહ્મ વિદ્યાનું પ્રવર્તમાન કરતી ગુરુકુળરૂપી ગંગાનું પ્રાગટ્ય થયું છે. ભગવાન સ્વામિનારાયણે રચેલી શિક્ષાપત્રી લોકસેવાનો પથ ચીંધે છેસાથે સરળ જીવન કેવી રીતે જીવવું તેનો માર્ગ બતાવે છે.

જાહેર જીવનમાં રહેલા લોકો માટે ભગવાન સ્વામિનારાયણના ઉપદેશો આજે પણ પ્રસ્તુત હોવાનું મુખ્યમંત્રીએ જણાવ્યુ હતું. એટલું જ અંહીસ્વામિનારાયણ સંપ્રદાય ગુરુકુળની પરંપરાને જીવંત રાખીને ભારતીય ઋષિ સંસ્કૃતિને જાળવી રાખવાનું કાર્ય કરી રહ્યું છે. ગુરુકુળ શિક્ષણ પ્રણાલી દ્વારા સ્વામિનારાયણ સંપ્રદાય મૂલ્યનિષ્ઠ અને કર્મઠ સમાજ રચના માટે સમર્પિત યુવા પેઢી તૈયાર કરી રહ્યું છે. ઉપરાંત વ્યસન મુક્તિ તેમજ વિવિધ સામાજિક કાર્યો માટે સ્વામિનારાયણ સંપ્રદાય દ્વારા થતી પ્રવૃત્તિઓને મુખ્યમંત્રીએ બીરદાવી હતી. આ સાથે જ આયોજિત તૃતીય સમૂહ લગ્નોત્સવમાં 51 નવયુગલોએ પ્રભુતામાં પગલાં પાડ્યા હતાત્યારે આ તમામ નવયુગલોને મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલએ ભાવિ જીવનની શુભકામનાઓ પાઠવી હતી. આ પ્રસંગે વડતાલ પીઠાધિપતિ આચાર્ય રાકેશપ્રસાદમહોત્સવના અધ્યક્ષ દેવપ્રસાદદાસ સ્વામીભકિત જીવનદાસ સ્વામીક્રિષ્ન વલ્લભદાસજી સ્વામીગુજરાત વિધાનસભાના  નાયબ મુખ્ય દંડક જગદીશ મકવાણાસાંસદ ચંદુ શિહોરાધારાસભ્ય કિરીટ રાણાપી.કે.પરમારસુરેન્દ્રનગર જિલ્લા કલેક્ટર કેયુર સંપટરાજકીય અગ્રણી હિતેન્દ્રસિંહ ચૌહાણજયેશ પટેલ સહિતના મહાનુભાવોદાતાઓસંતો-મહંતો સહિત બહોળી સંખ્યામાં હરિભક્તો ઉપસ્થિત રહ્યા હતા.

Read the Next Article

અમદાવાદ પ્લેન ક્રેશ દુર્ઘટના : 222 DNA મેચ થયા, અને 208 મૃતદેહ સોંપવામાં આવ્યા, કાટમાળમાંથી મળેલા 100 મોબાઈલની FSL કરશે તપાસ

અમદાવાદમાં એર ઈન્ડિયાના પ્લેન ક્રેશની ઘટનાનો આજે 8મો દિવસ છે, ત્યારે અમદાવાદ પોલીસ કમિશનર જી.એસ.મલિકએ માહિતી આપતા જણાવ્યું હતું કે, ગત તા. 12 જૂન-2025

New Update

એર ઈન્ડિયાના પ્લેન ક્રેશ ઘટનાનો આજે 8મો દિવસ

ઘટનાસ્થળેથી મૃતદેહના 318 અવશેષ મળી આવ્યા

222 DNA મેચ થયા208 મૃતદેહ સોંપવામાં આવ્યા

કાટમાળમાંથી મળી આવ્યા 100 જેટલા મોબાઇલ ફોન

પ્લેન પાર્ટ્સ ભેગા કરી રિકન્સ્ટ્રક્શન કરાશે : જી.એસ.મલિક

અમદાવાદમાં એર ઈન્ડિયાના પ્લેન ક્રેશની ઘટનાનો આજે 8મો દિવસ છેત્યારે અમદાવાદ પોલીસ કમિશનર જી.એસ.મલિકએ માહિતી આપતા જણાવ્યું હતું કેગત તા. 12 જૂન-2025 પ્લેન ક્રેશની દુર્ઘટના બની હતીજેમાં 242 મુસાફર સવાર હતા. બપોરે 1:40 કલાકે પ્લેન ક્રેશ થયું હતું. 1:42 કલાકે પોલીસ કંટ્રોલને જાણ થઈ હતી. બનાવની જાણ થતાં જ અમદાવાદ પોલીસ કમિશનર ઝોન-4ના DCP, આર્મીએરફોર્સપેરામિલિટરી સહિત તમામ ઉચ્ચ અધિકારીઓનો કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો. અત્યાર સુધીમાં 214 લોકોના DNA સેમ્પલ મેચ થઈ ચૂક્યાં છેઅને અન્ય 8 મળી કુલ 222 લોકોની ઓળખ થઈ ચૂકી છે. પોલીસને કાટમાળમાંથી અત્યાર સુધીમાં 318 જેટલા માનવઅંગો મળ્યા છેજે તપાસ માટે લેવામા આવ્યા હતા. અંદાજિત 7 કલાકમાં 51 રિલેટિવના સેમ્પલ પહોંચાડી દેવામા આવ્યા હતા. 36 કલાકમાં પહેલું DNA મળી ગયું હતુંઅને 24 કલાકમાં મૃતદેહ રવાના કરવામાં આવ્યો હતો. આ ઉપરાંત 222 DNA મેચ થયાં છેઅને 208 મૃતદેહ સોંપવામાં આવ્યા છે. ઘટના સ્થળે કાટમાળમાંથી 100 જેટલા મોબાઈલ મળતાં FSLમાં મોકલવામાં આવ્યા છે. મોબાઈલની તપાસમાં જાણવાનો પ્રયાસ કરાશે કેજ્યારે વિમાન ટેક-ઓફ થયું અને ક્રેશ થયું એ સમયગાળા દરમિયાન કોઈ મોબાઈલમાં અંતિમ ક્ષણનો વીડિયો રેકોર્ડ થયો છે કેનહીં. એર ઈન્ડિયાના ક્રેશ થયેલા પ્લેનના જે પાર્ટ્સ મળ્યા છેતેને એકત્ર કરી રિકન્સ્ટ્રક્શન કરવાનો પણ નિર્ણય કરાયો છે. પોલીસે ઇન્વેસ્ટિગેશન અને હોસ્પિટલ માટે અલગ અલગ ટીમ બનાવી હતી. ડિટેલ પોસ્ટમોર્ટમની જગ્યાએ પાર્સલ ઓટોપ્સીના ઓર્ડર કર્યા હતા. પ્લેન ક્રેશના 8મા દિવસે પણ મૃતદેહો સુપરત કરવાની પ્રક્રિયા ઝડપથી ચાલુ છે. વધુમાં એક કમિટી બનાવવામાં આવી છેજેમાં બ્લેક બોક્સ અને અન્ય જે વસ્તુ મળી છેતે અંગે તપાસ કરવામાં આવશે.