તાપી : નિઝરમાં માનવતાને શર્મસાર કરતા કિસ્સાથી ચકચાર, નરાધમ વૃધ્ધે 7 વર્ષીય બાળ પર આચર્યું દુષ્કર્મ

તાપી જિલ્લાના નિઝર તાલુકામાં માનવતાને શર્મસાર કરતો કિસ્સો પ્રકાશ આવ્યો છે.જેમાં એક 60 વર્ષીય વૃદ્ધ નરાધમે 7 વર્ષની બાળાને પેપ્સી આપવાની લાલચ આપી દુષ્કર્મ આચરતા ચકચાર મચી છે.

New Update
  • માનવતાને શર્મસાર કરતો કિસ્સો

  • નિઝરમાં વૃદ્ધ બન્યો હેવાન

  • વૃદ્ધે 7 વર્ષીય બાળાને પીંખી નાખી

  • દુકાને સમાન લેવા જતા વૃદ્ધે આચર્યું દુષ્કર્મ

  • પોલીસે નરાધમ વૃદ્ધની કરી ધરપકડ

તાપી જિલ્લાના નિઝર તાલુકામાં માનવતાને શર્મસાર કરતો કિસ્સો પ્રકાશ આવ્યો છે.જેમાં એક 60 વર્ષીય વૃદ્ધ નરાધમે 7 વર્ષની બાળાને પેપ્સી આપવાની લાલચ આપી દુષ્કર્મ આચરતા ચકચાર મચી છે.બનાવની ગંભીરતા સમજી પોલીસે ગણતરીના કલાકોમાં આરોપી વૃદ્ધની ધરપકડ કરી કાર્યવાહી હાથ ધરી છે.

તાપી જિલ્લાના નિઝર તાલુકાના એક ગામમાં 7 વર્ષની બાળા દુકાનમાં કોઈ ચીજવસ્તુ લેવા ગઈ હતી.જ્યાં દુકાન ચલાવતા 60 વર્ષીય હવસખોર વૃદ્ધે ઉંમરની લાજ રાખ્યાવીના બાળાને પીંખી નાખતા ચકચાર મચી છે.જેમાં 60 વર્ષીય વૃદ્ધ નરાધમ દશરથ બદુભાઈ પાડવીએ બાળાને પેપ્સી આપવાની લાલચ આપી તેના ઘરના માળ પર લઈ જઈ જબરદસ્તી દુષ્કર્મ આચર્યું હતું.

બનાવ બાદ બાળા રડતી રડતી ઘરે જઈ માતા પિતાને ગંદુ કામ કર્યા વિશે વાત કરતા પરિવારના સભ્યો દ્વારા નિઝર પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવવામાં આવી હતી.પોલીસે તાત્કાલિક કાર્યવાહી હાથ ધરી આરોપી દશરથ બદુભાઈ પાડવીની ધરપકડ કરીને કાર્યવાહી હાથ ધરી છે.

Read the Next Article

બનાસકાંઠા : પાલનપુરમાં અંતિમ ચિઠ્ઠી લખીને પોલીસ કોન્સ્ટેબલના આપઘાતથી ચકચાર

બનાસકાંઠના પાલનપુરના જગણા ગામે પોલીસ કોન્સ્ટેબલ વિંદલરાજ ચૌહાણે પોતાના જ ખાતાના ઉચ્ચ અધિકારીઓ પર માનસિક ત્રાસ આપવાનો આરોપ લગાવી ગળે ફાંસો ખાઇ આપઘાત કર્યો હતો.

New Update
  • પાલનપુરમાં પોલીસકર્મીનો આપઘાત

  • અંતિમ ચિઠ્ઠી લખીને કર્યો આપઘાત

  • ગળે ફાંસો ખાઈને જીવનલીલા સંકેલી 

  • પોલીસ અધિકારીઓ પર લગાવ્યો આક્ષેપ

  • ગુજરાત પોલીસ બેડામાં ચકચાર

  • પરિવારજનોએ કરી યોગ્ય ન્યાયની માંગણી

બનાસકાંઠાના પાલનપુરના જગણા ગામે પોલીસ કોન્સ્ટેબલ વિંદલરાજ ચૌહાણે મોડી રાત્રે ઘરમાં ગળે ફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો,જોકે તેઓએ અંતિમ ચિઠ્ઠી લખીને પોલીસ અધિકારીઓ અને મેડિકલ ઓફિસર સામે ગંભીર આક્ષેપ કર્યા હતા.

બનાસકાંઠના પાલનપુરના જગણા ગામે પોલીસ કોન્સ્ટેબલ વિંદલરાજ ચૌહાણે પોતાના જ ખાતાના ઉચ્ચ અધિકારીઓ પર માનસિક ત્રાસ આપવાનો આરોપ લગાવી ગળે ફાંસો ખાઇ આપઘાત કર્યો હતો. કોન્સ્ટેબલ આત્મહત્યા કરતા પહેલા એક સુસાઇડ નોટ લખી હતી,જેમાં પોલીસ અધિકારીઓ દ્વારા ત્રાસ આપવાની વાતનો ચોંકાવનારો ખુલાસો કર્યો હતો.

ઘટના સંદર્ભે પરિવારજનોએ પણ ગુજરાત પોલીસના ઉચ્ચ અધિકારીઓ પર આરોપ લગાવ્યો છે. પરિવારે કહ્યુ કેવિંદલરાજે આપઘાત કરતા પહેલા એક સુસાઇડ નોટ લખી હતી. જેમાં ઉચ્ચ અધિકારીઓ દ્વારા માનસિક ત્રાસ આપવામાં આવતો હોવાનો ઉલ્લેખ કર્યો હતો. સુસાઈડ નોટમાં લખ્યું છે કે,અધિકારીઓ માનસિક ત્રાસ આપી રહ્યા છે, SP વિકાસ સુડા અને PI બી.પી.ખરાડી સામે આક્ષેપ કર્યો છે. આ સાથે નલિયા CHCના મેડિકલ ઓફિસર સામે પણ આક્ષેપ કરવામાં આવ્યા છે.

સૂત્રો દ્વારા જાણવા મળ્યા મુજબ મૃતક પોલીસ કોન્સ્ટેબલ વિંદલરાજ ચૌહાણ સામે કચ્છમાં પ્રોહિબિશનનો કેસ નોંધાયેલો હતો.અને ત્યાર બાદ તેની ટ્રાન્સફર સુરત ગ્રામ્યમાં કરવામાં આવી હતી.

ગુજરાત પોલીસમાં ચકચાર જગાવનાર કોન્સ્ટેબલના ચકચારી આપઘાતની ઘટનામાં બનાસકાંઠા ASP સુબોધ માનકર દ્વારા જણાવવામાં આવ્યું હતું કે પોલીસ કોન્સ્ટેબલ  વિંદલરાજ ચૌહાણના આપઘાત મુદ્દે અકસ્માત મોત અંગેની ફરિયાદ દાખલ કરવામાં આવી છેવિંદલરાજ ચૌહાણ સામે પ્રોહીબીશનનો કેસ નોંધવામાં આવ્યો હતો,અને તેમની બદલી સુરત ગ્રામ્યમાં કરવામાં આવી હતી.હાલમાં પોલીસને કોઈ સ્યુસાઇડ નોટ મળી નથી.તેમજ આ ઘટના અંગે તપાસ કરવામાં આવી રહી છે.