-
વ્યારાની જનરલ હોસ્પિટલનો વિવાદ
-
સરકાર દ્વારા ખાનગીકરણ કરવાનો નિર્ણય
-
આદિવસી સમાજ દ્વારા ખાનગીકરણનોકરાયો વિરોધ
-
રેલી યોજી કલેક્ટરને પાઠવ્યું આવેદનપત્ર
-
ખાનગીકરણ ન કરવા અંગે લેખિતમાં માંગી બાંહેધરી
તાપી જિલ્લાના વડા મથક વ્યારા ખાતે આવેલ જનરલ હોસ્પિટલને સરકાર દ્વારા ખાનગીકરણ કરવાના વિરોધમાં આદિવાસી સમાજના લોકોએ રેલી કાઢી જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવ્યું હતું.
તાપી જિલ્લાના વડા મથક વ્યારા ખાતે આવેલ જનરલ હોસ્પિટલ અને આવનારી મેડિકલ કોલેજને સરકાર દ્વારા ખાનગીકરણ કરવાની પહેલ કરાઈ હતી.જેના વિરોધમાં આદિવાસી સમાજ દ્વારા અગાઉ પણ અનેકવાર વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું છે,પરંતુ કોઈ ઉકેલ નહીં આવતા આદિવાસી સમાજના આગેવાનો છેલ્લા 19 દિવસથી અચોક્કસ મુદતના ધરણા પર બેઠા હતા.ત્યારે આજે વિશ્વ વન દિવસ નિમિતે વિવિધ આદિવાસી સમાજના આગેવાનો અને લોકો મોટી સંખ્યામાં વ્યારા ખાતે ભેગા મળીને રેલી કાઢી હતી,અને જાહેર સભા યોજીને જિલ્લા કલેકટરને આવેદનપત્ર પાઠવ્યું હતું.અને માંગ કરવામાં આવી છે કે સરકાર તેઓને લેખિતમાં બાંહેધરી આપે કે સરકારી હોસ્પિટલ ખાનગી નહીં થાય અને એ હોસ્પિટલ સરકારી જ રહે એવી માંગ સાથે વિરોધ કરવામાં આવ્યો હતો.