વઢવાણ-લખતર હાઇવે પર સર્જાયો ગમખ્વાર અકસ્માત
2 કાર ટકરાતા આગ ફાટી નીકળી, મુસાફરો જીવતા ભૂંજાયા
ગમખ્વાર અકસ્માતમાં 8 વ્યક્તિના કમકમાટીભર્યા મોત
બનાવના પગલે પોલીસ કાફલો તુરંત ઘટનાસ્થળે પહોચ્યો
ગોઝારી ઘટનાના પગલે ઘટનાસ્થળે લોકોના ટોળા પહોચ્યા
સુરેન્દ્રનગર જિલ્લાના વઢવાણ-લખતર હાઇવે પર ઝમર-દેદાદરા માર્ગ પર 2 કાર વચ્ચે જોરદાર ટક્કર થઈ હતી. જોકે, આ અકસ્માત બાદ આગ ફાટી નીકળતા કારમાં સવાર 2 બાળકો સહિત 8 લોકો જીવતા ભૂંજાયા હોવાનું જાણવા મળ્યું છે. અકસ્માત સર્જાયા બાદ એક કાર રોડની સાઈડમાં ખાબક્યા બાદ સળગી ઉઠી હતી. જેમાં સળગી ઉઠેલ કારમાં સવાર કુલ 8 લોકોના મોત નીપજ્યાં છે, જ્યારે એક વ્યક્તિને ઇજાગ્રસ્ત હાલતમાં સારવાર અર્થે સુરેન્દ્રનગર હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે.
આ ઘટનાના પગલે હાઈવે પર લાંબા ટ્રાફિકજામના દ્રશ્યો સર્જાયા હતા, જ્યારે આ ગોઝારી ઘટનાના પગલે લોકોના ટોળેટોળા ઘટના સ્થળે ઉમટ્યા હતા. તો બીજી તરફ, બનાવની જાણ થતાં જ ફાયર બ્રિગેડ સહિત 108 એમ્બ્યુલન્સ તાત્કાલિક ઘટના સ્થળે પહોચી હતી, જ્યારે લખતર પોલીસે અકસ્માતે 8 લોકોના મોત મામલે વધુ તપાસ હાથ ધરી છે.
મૃતકોના નામની યાદી:-
(1 ) મીનાબા વિરેન્દ્રસિંહ રાણા (કડુ)
(2) કૈલાબા જગદીશસિંહ ચુડાસમા ( 55 વર્ષ, રહે-જીંજર હાલ-ભાવનગર)
(3) રાજેશ્રીબા નરેન્દ્રસિંહ રાણા ( 47 વર્ષ, કડુ)
(4) દિવ્યાબા હરદેવસિંહ જાડેજા ( 32 વર્ષ, કચ્છ )
(5) નીતાબા ભગીરથસિંહ જાડેજા ( 53 વર્ષ ગામ-જામનગર )
(6) પ્રતિપાલસિંહ જગદીશસિંહ ચુડાસમા ( 35 વર્ષ )
(7) રિદ્ધિબા પ્રતિપાલસિંહ (ઉ.વ.13)
(8) દિવ્યેશ્રીબા પ્રતિપાલસિંહ (10 માસ)