Connect Gujarat
ગુજરાત

રાજ્યમાં આજે કોરોનાના નવા કેસોનો આંકડો 700 ને પાર, 673 દર્દીઓ થયા સાજા

આજે કોરોના વાયરસના નવા 742 કેસ નોંધાયા હતા. જેમાંથી સૌથી વધુ કેસ અમદાવાદ શહેરમાં નોંધાયા છે

રાજ્યમાં આજે કોરોનાના નવા કેસોનો આંકડો 700 ને પાર, 673 દર્દીઓ થયા સાજા
X

ગુજરાતમાં કોરોના વાયરસના નવા કેસોમાં મોટો વધારો જોવા મળ્યો હતો અને નવા કેસનો આંકડો 700ને પાર પહોંચી ગયો હતો. આજે કોરોના વાયરસના નવા 742 કેસ નોંધાયા હતા. જેમાંથી સૌથી વધુ કેસ અમદાવાદ શહેરમાં નોંધાયા છે. સાથે જ છેલ્લા 24 કલાકમાં કોરોના વાયરસ સંક્રમિત થયેલા 673 દર્દીઓ કોરોનાને હરાવીને સાજા થયા છે. આજે રાજ્યમાં એક પણ વ્યક્તિએ કોરોનાના કારણે જીવ ગુમાવ્યો નથી.

રાજ્યમાં આજે નોંધાયેલા નવા 742 કોરોના કેસોમાં સૌથી વધુ કેસ માત્ર અમદાવાદ શહેરમાં નોંધાયા છે. રાજ્યમાં આજે અમદાવાદ કોર્પોરેશનમાં નવા 254 કેસ નોંધાયા છે. રાજકોટ કોર્પોરેશનમાં 11, સુરત શહેરમાં 75, વડોદરા શહેરમાં 41, ગાંધીનગર શહેરમાં 24, ભાવનગર શહેરમાં 40, જામનગર શહેરમાં 12 કેસ નોંધાયા છે. અન્ય જિલ્લાઓના કેસ જોઈએ તો, મહેસાણામાં 63, કચ્છમાં 19, સુરત જિલ્લામાં 32, મોરબીમાં 4, ગાંધીનગરમાં 23, નવસારીમાં 9 કેસ, ભાવનગર જિલ્લામાં 13 કેસ, વલસાડમાં 22, પાટણમાં 19, ભાવનગરમાં 13, રાજકોટમાં 13, દેવભૂમિ દ્વારકામાં નવ, નવસારીમાં નવ, અમરેલીમાં આઠ, બનાસકાંઠામાં આઠ, સાબરકાંઠામાં આઠ, આણંદમાં સાત, ભરૂચમાં સાત, અમદાવાદમાં છ, ખેડા, મોરબી, વડોદરામાં ચાર નવા કેસ નોંધાયા હતા. તે સિવાય અરવલ્લીમાં ત્રણ, જૂનાગઢ, જૂનાગઢ કોર્પોરેશન, પોરબંદર અને સુરેન્દ્રનગરમાં એક-એક નવા કેસ નોંધાયા છે.

રાજ્યમાં આજે કોરોનાથી મુક્ત થઇને 673 દર્દીઓ સ્વસ્થ થયા છે. રાજ્યમાં અત્યાર સુધીમાં 12, 24, 576 દર્દીઓ સાજા થયા છે. રાજ્યમાં આજે એક્ટિવ કેસ વધીને 4225 થયા છે, જેમાં 3 દર્દી વેન્ટિલેટર પર છે. રાજ્યમાં અત્યાર સુધીમાં કોરોનાથી કુલ 10,950 મોત થયા છે. આ સાથે રાજ્યમાં આજે કુલ 30,541 લોકોને કોરોનાની રસીનો ડોઝ આપવામાં આવ્યો છે.

Next Story