Connect Gujarat
ગુજરાત

રાજ્યમાં આજે 8,934 નવા પોઝિટિવ કેસ નોધાયા, 34 દર્દીઓના થયા મોત

રાજ્યમાં આજે 8,934 નવા પોઝિટિવ કેસ નોધાયા,15,177 દર્દીઓ સાજા થઇ હેમખેમ ઘેર પરત ફર્યા

રાજ્યમાં આજે 8,934 નવા પોઝિટિવ કેસ નોધાયા, 34 દર્દીઓના થયા મોત
X

ગુજરાતમાં ફરી કોરોના ધીરે ધીરે વકરી રહ્યો છે. રાજ્યમાં આજે 8,934 નવા પોઝિટિવ કેસ નોધાયા છે. જેમાં આજે સૌથી વધુ અમદાવાદ શહેરમાં 3309 કેસ સામે આવ્યા છે જ્યારે સુરત શહેરમાં 265 કેસ તો રાજકોટ શહેરમાં 320 કેસ, વડોદરા 1512 શહેરમાં કેસ સામે આવ્યા છે. ગાંધીનગર શહેરમાં 279 કેસ, ભાવનગર શહેરમાં 97 કેસ સામે આવ્યા છે. રાજ્યમાં આજે કોરોનાને લીધે 34 લોકોએ જીવ ગુમાવ્યો છે. જ્યારે 15,177 દર્દીઓ સાજા થઇ હેમખેમ ઘેર પરત ફર્યા છે. રાજ્યમાં કુલ એક્ટિવ કેસની સંખ્યા 69,187 સુધી પહોંચી ગઈ છે.

રાજ્યમાં નવા નોધાયેલ કેસ પૈકી આજે અમદાવાદમાં 3368 કેસ, વડોદરામાં 1921 કેસ, રાજકોટમાં 478 કેસ, ગાંધીનગરમાં 431 કેસ, સુરતમાં 513 કેસ, જામનગરમાં 98 કેસ, જુનાગઢમાં 44 કેસ, ભાવનગરમાં 105 કેસ , મહેસાણા 227 કચ્છ 224 ભરૂચ 222 કેસ, પાટણ 189 બનાસકાંઠા 146 આણંદ 142 કેસ, ખેડા 129 સાબરકાંઠા 95 મોરબીમા 94 કેસ, વલસાડ 86 નવસારી 78 પંચમહાલ 62 કેસ,તાપી 55 અમરેલી 53 સુરેન્દ્રનગર 33 કેસ, દાહોદ 32 ગીર સોમનાથ 32 જુનાગઢ 30, ડાંગ 17 અરવલ્લી 13 છોટાઉદેપુર 12, નર્મદા 11 મહિસાગર 8, પોરબંદર 5, બોટાદ 04 કેસ કોરોના સામે આવ્યા છે.246 કોરોનાગ્રસ્ત દર્દીઓ વેન્ટિલેટર પર જ્યારે આજના 34 સાથે અત્યાર સુધી રાજ્યમા કુલ 10545 દર્દીના નિધન કોરોનાને લીધે થઈ ચૂક્યા છે.

Next Story