પાટણ: હારીજ ચાણસ્મા હાઇવે પર ટ્રેલર અને ઇકો કાર વચ્ચે ગમખ્વાર અકસ્માત,બેના મોત અને 7 થયા ઇજાગ્રસ્ત

પાટણ જિલ્લાના હારીજ ચાણસ્મા હાઇવે પર ટ્રેલર અને ઇકો કાર વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો,સર્જાયેલા અકસ્માતમાં બે વ્યક્તિના મોત નિપજ્યા હતા,

New Update

પાટણ હારીજ ચાણસ્મા હાઇવે પર સર્જાયો ગોઝારો અકસ્માત 

પેસેન્જર ભરેલી ઇકો કાર અને ટ્રેલર વચ્ચે સર્જાયો અકસ્માત 

ગંભીર રીતે ઈજાગ્રસ્ત બે લોકોના ઘટના સ્થળ પર જ નિપજ્યા મોત

અકસ્માતમાં 7 ઈજાગ્રસ્ત લોકો સારવાર હેઠળ 

પોલીસે અકસ્માત અંગેની તપાસ શરૂ કરી  

પાટણ જિલ્લાના હારીજ ચાણસ્મા હાઇવે પર ટ્રેલર અને ઇકો કાર વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો,સર્જાયેલા અકસ્માતમાં બે વ્યક્તિના મોત નિપજ્યા હતા,જ્યારે 7 લોકોને ઈજાઓ પહોંચતા સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા. 
પાટણ જિલ્લાના હારીજ ચાણસ્મા હાઇવે પર પેસેન્જર બેસાડીને દોડતી ઇકો કાર સાથે ટ્રેલર ધડાકાભેર અથડાયુ હતું.સર્જાયેલા માર્ગ અકસ્માતમાં ગંભીર ઈજાને પગલે ઘટના સ્થળ પર જ બે મુસાફરોના કરૂણ મોત નિપજ્યા હતા.જ્યારે 7 લોકો ઈજાગ્રસ્ત થતા 108ની મદદથી સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા.ઘટના અંગેની જાણ થતાની સાથે જ પોલીસ કાફલો દોડી આવ્યો હતો,અને મૃતદેહોને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડીને વધુ તપાસ શરૂ કરી હતી. 
Read the Next Article

અંકલેશ્વર: ખરોડ ગામે યુવાનની હત્યા કરનાર આરોપીની ક્રાઇમ બ્રાન્ચે કરી ધરપકડ, અગાઉ થયેલ માથાકૂટની રીસ રાખી હત્યા કરાય

અંકલેશ્વર તાલુકાના ખરોડ ગામેથી મળી આવેલ મૃતદેહના મામલામાં ચોકાવનારો ખુલાસો થયો છે પોલીસે યુવાનની હત્યા કરનાર આરોપીની ધરપકડ કરી તેની સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

New Update

અંકલેશ્વરના ખરોડમાં મળી આવ્યો હતો મૃતદેહ

હત્યા થઈ હોવાનું આવ્યું બહાર

પોલીસે હત્યારાની કરી ધરપડક

અગાઉના ઝઘડાની રીસ રાખી કરાય હત્યા

પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી


અંકલેશ્વર તાલુકાના ખરોડ ગામેથી મળી આવેલ મૃતદેહના મામલામાં ચોકાવનારો ખુલાસો થયો છે પોલીસે યુવાનની હત્યા કરનાર આરોપીની ધરપકડ કરી તેની સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

અંકલેશ્વરના ખરોડ ગામની સીમમાં આવેલ બાકરોલ વગામાં ખેતરના શેઢા ઉપર અજાણ્યા વ્યક્તિનો મૃતદેહ વિકૃત હાલતમાં મળી આવ્યો હતો.આ બાબતે પાનોલી પોલીસે ગુનો નોંધી મૃત્યુનું કારણ જાણવા તપાસ શરૂ કરી હતી.આ તરફ ક્રાઇમ બ્રાન્ચ પણ તપાસમાં જોડાય હતી દરમ્યામ પોલીસને બાતમી મળી હતી કે આ ગુનામાં  અક્કલકુવાનો શંકર મોવરીયા વસાવા નામનો ઈસમ સંડોવાયો છે જે અંકલેશ્વર તથા પાનોલી વિસ્તારમા છુટક મજુરી કરે છે.પોલીસે હ્યુમન ઇન્ટેલીજન્સના આધારે આરોપીની ખરોડ નજીકથી ધરપકડ કરી હતી. પોલીસની પૂછપરછમાં ચોંકાવનારો ખુલાસો થયો હતો. આ મામલામાં મરણ જનાર ઇસમે થોડા દિવસ અગાઉ મારમારી 1500 રૂપિયા લૂંટી લીધા હતા જેની રીસ રાખી આરોપી શંકર વસાવાએ મૃતકને શોધી તેને મજૂરી કામ અપાવવાના બહાને ખરોડ ગામની સીમમાં લઈ ગયો હતો અને ત્યાં પથ્થરના ઘા મારી હત્યા કર્યા બાદ તેના વતન ફરાર થઇ ગયો હતો.પોલીસે આરોપીની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.