હનુમાનજી પ્રત્યે અનોખી શ્રદ્ધા : જુનાગઢના 10 વર્ષીય બાળકે ભગવાનના ચિત્ર સાથે અલૌકિક શાલ તૈયાર કરી…

નાનપણથી જ હનુમાન ભક્ત અને શ્રીરામ ભગવાનના ચાહક એવા નિજ કુંડારીયાએ એક્રેલિક કલરથી અલૌકિક ચિત્ર તૈયાર કર્યું છે. એટલું જ નહીં, માત્ર 25 કલાકની અંદર જ આ પેન્ટિંગ તૈયાર કરી બતાવ્યુ

New Update
  • 10 વર્ષીય બાળકમાં હનુમાનજી પ્રત્યે અનોખી શ્રદ્ધા

  • નિજ કુંડારીયા દ્વારા હનુમાન જયંતીની વિશેષ ઉજવણી

  • બાળકે હનુમાન જયંતી નિમિત્તે અનોખી શાલ તૈયાર કરી

  • ભગવાન શ્રીરામઅનેભક્ત હનુમાનનું ચિત્ર તૈયાર કર્યું

  • 6.30 ફૂટની અલૌકિક શાલ હનુમાન મંદિરે અર્પણ કરી

આજના યુગમાં બાળકો મોબાઈલ પર વધુ સમય પસાર કરતા હોય છેઅને તેને અધ્યાત્મ સાથે દૂર સુધી કોઈ નાતો હોતો નથીત્યારે જુનાગઢના એક બાળકે હનુમાન જયંતી નિમિત્તે 6.30 ફૂટની અનોખી શાલ તૈયાર કરી ભગવાનને અર્પણ કરી છે.

બાળકોમાં દિવસેને દિવસે મોબાઈલનું ચલણ વધી રહ્યું છે અને મા-બાપ પણ પોતાના બાળકોને મોબાઈલ આપી સંતોષ માની લેતા હોય છેજ્યારે અધ્યાત્મ શું છેઅને ભક્તિ કેવી રીતે થાય તે બાળકમાં ઓછી સમજણ હોય છેત્યારે જુનાગઢના 10 વર્ષના નિજ કુંડારીયા નામના બાળકે હનુમાન જયંતી નિમિત્તે શાલ ઉપર 6.30 ફૂટની પેઇન્ટિંગ બનાવી છે.

નાનપણથી જ હનુમાન ભક્ત અને શ્રીરામ ભગવાનના ચાહક એવા નિજ કુંડારીયાએ એક્રેલિક કલરથી અલૌકિક ચિત્ર તૈયાર કર્યું છે. એટલું જ નહીંમાત્ર 25 કલાકની અંદર જ આ પેન્ટિંગ તૈયાર કરી બતાવ્યુ છેત્યારે આજે હનુમાન જયંતીના પાવન અવસરે પોતાના ગામમાં આવેલ હનુમાન મંદિર હનુમાનજીના બાળભક્ત દ્વારા આ શાલ અર્પણ કરવામાં આવી હતી. નિજ કુંડારીયાની આ મહેનત અને લગનને તેના પરિવાર સહિત સ્થાનિકોએ પણ બિરદાવી હતી.

Read the Next Article

અંકલેશ્વર: મહોરમનું પર્વ શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન થતા તાજીયા કમિટી દ્વારા તંત્રનો આભાર વ્યક્ત કરાયો

અંકલેશ્વર શહેર-તાલુકા તાજીયા કમિટી દ્વારા વહીવટી તંત્ર, પોલીસ પ્રશાસન, ગુજરાત વિદ્યુત બોર્ડ અને અંકલેશ્વર નગરપાલિકાનો આભાર વ્યક્ત કરી સન્માન કરવામાં આવ્યું

New Update
Tajiya Commitee
અંકલેશ્વર શહેર-તાલુકા તાજીયા કમિટી દ્વારા વહીવટી તંત્ર, પોલીસ પ્રશાસન, ગુજરાત વિદ્યુત બોર્ડ અને અંકલેશ્વર નગરપાલિકાનો આભાર વ્યક્ત કરી સન્માન કરવામાં આવ્યું હતું. અંકલેશ્વરમાં મોહરમનું પર્વ શાંતિપૂર્ણ અને કોમી એખલાસભર્યા વાતાવરણમાં સંપન્ન થયું છે જે બદલ અંકલેશ્વર શહેર તાલુકા તાજીયા કમિટી દ્વારા પ્રાંત અધિકારી, મામલતદાર  કરણસિંહ રાજપૂત, નાયબ પોલીસ અધિક્ષક,ડો.કુશલ ઓઝા,પોલીસ ઇન્સ્પેકટર  પી જી ચાવડા, પાલિકા પ્રમુખ લલીતાબેન રાજપુરોહિત, શિક્ષણ સમિતિ ચેરમેન ગણેશ અગ્રવાલ, ભાજપ શહેર પ્રમુખ ધર્મેન્દ્ર પુષ્કર્ણા સહિતના આગેવાનોનો આભાર વ્યક્ત કરી તેઓનું સન્માન કરવામાં આવ્યું હતું.

Tajiya Commitee Ankleshwar

આ પ્રસંગે કમિટીના પ્રમુખ બખ્તિયાર પટેલ, સેક્રેટરી વસીમ ફડવાલા, ઉપપ્રમુખ અમન પઠાણ, નૂર કુરેશી, લીગલ એડવાઈઝર હારુન મલેક સહિતના આગેવાનો અને સભ્યો ઉપસ્થિત રહ્યા હતા.