Connect Gujarat
ગુજરાત

વડોદરા: પાલેજ નારેશ્વર માર્ગ પર અજાણ્યા વાહનની ટક્કરે બાઇક સવાર નાના-નાની અને પૌત્રનું મોત

વડોદરા જિલ્લાના કરજણ તાલુકાના માલોદ ગામ નજીક અજાણ્યા વાહન અને બાઇક વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાતા ત્રણ વ્યક્તિઓના કરૂણ મોત નિપજ્યાં હતા

X

વડોદરા જિલ્લાના કરજણ તાલુકાના માલોદ ગામ નજીક અજાણ્યા વાહન અને બાઇક વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાતા ત્રણ વ્યક્તિઓના કરૂણ મોત નિપજ્યાં હતા.

ભરૂચ તાલુકાના ઝનોર ગામનું એક પરિવાર ઝનોરથી વાસણા ગામ જવા મોટરસાયકલ પર સવાર થઈ જઈ રહ્યા હતા ત્યારે માલોદ ગામ નજીક અજાણ્યા વાહન સાથે અક્સ્માત સર્જાયો હતો. સર્જાયેલા અકસ્માતમાં મોટરસાયકલ પર સવાર ઈશ્વરભાઈ માછી, ભિખીબેન માછી તેમજ ઈશ્વર ભાઈની દીકરીનો પુત્ર માનવને શરીરે ગંભીર ઈજાઓ થતા ત્રણેયના ઘટના સ્થળે જ કમકમાટીભર્યા મોત નિપજયા હતા. અકસ્માતના પગલે લોકટોળા ઘટના સ્થળે દોડી આવ્યા હતા.

પોલીસ કાફલો પણ ઘટના સ્થળે દોડી આવ્યો હતો અને મૃતકોના મૃતદેહને પોસ્ટ મોર્ટમ અર્થે ખસેડયા હતા. અત્ર ઉલ્લેખનીય છે કે પાલેજ નારેશ્વર માર્ગ પર અગાઉ પણ અકસ્માતના અનેક બનાવો બની ચૂક્યા છે. આ માર્ગ પર દોડતા રેતી ભરેલા વાહનોના કારણે અકસ્માતોની સંખ્યામાં વધારો થયો હોવાના સ્થાનિકો આક્ષેપ કરી રહ્યા છે

Next Story