વલસાડ : પારનેરા ડુંગર સ્થિત મહાદેવ મંદિરે દર્શન કરવા આવેલા ભક્તનું હાર્ટએટેકથી મોત

વલસાડના પારનેરા ડુંગર સ્થિત મહાદેવ મંદિર ખાતે કિશોર પટેલ નામના વ્યક્તિ દર્શન કરવા માટે આવ્યા હતા. કિશોર પટેલ શિવલિંગ પાસે બેસી અભિષેક કરી રહ્યા કરી રહ્યા હતા. તે દરમ્યાન હાર્ટએટેક આવતા તેઓ મંદિરમાં ઢળી પડ્યા હતા

New Update
  • પારનેરા ડુંગર સ્થિત મહાદેવ મંદિરમાં સર્જાય ઘટના

  • મહાદેવના દર્શન માટે આવેલ ભક્તનું હાર્ટએટેકથી મોત

  • મંદિરમાં હાજર અન્ય ભક્તોએ કિશોર પટેલનેCPR આપ્યું

  • દુર્ઘટના મંદિરમાં લાગેલાCCTV કેમેરામાં કેદ થઈ

  • મોભીનું મોત નિપજતા પરિવારમાં ગમગીન છવાઈ

વલસાડના પારનેરા ડુંગર સ્થિત મહાદેવ મંદિર ખાતે દર્શન કરવા આવેલ ભક્તનું હાર્ટએટેકથી મોત નિપજતા પરિવારમાં ગમગીન છવાઈ છે. છેલ્લા કેટલાક સમયથી રમતો રમી રહેલા યુવાન તેમજ તંદુરસ્ત લાગતા લોકોના હાર્ટએટેકથી મૃત્યુ નીપજવાની ઘટનાઓ સામે આવી રહી છેત્યારે વલસાડના પારનેરા ડુંગર સ્થિત મહાદેવ મંદિર ખાતે કિશોર પટેલ નામના વ્યક્તિ દર્શન કરવા માટે આવ્યા હતા.

કિશોર પટેલ શિવલિંગ પાસે બેસી અભિષેક કરી રહ્યા કરી રહ્યા હતા. તે દરમ્યાન હાર્ટએટેક આવતા તેઓ મંદિરમાં ઢળી પડ્યા હતાત્યારે મંદિરમાં હાજર અન્ય ભક્તોએ કિશોર પટેલનેCPR આપ્યું હતું. પરંતુ તેઓનું મોત નીપજયું હતું. જોકેઆ દુર્ઘટના મંદિરમાં લાગેલાCCTV કેમેરામાં પણ કેદ થઈ જવા પામી છે.ત્રે ઉલ્લેખનીય છે કેકિશોર પટેલ નિયમિત પારનેરા ડુંગર ચઢી મહાદેવ મંદિર ખાતે દર્શન અને આરતી માટે જાય છેત્યારે કિશોર પટેલના આકસ્મિક મોતથી પરિવારમાં ગમગીની છવાઈ છે. હૃદયરોગ વિશેષજ્ઞોનું માનવું છે કેજો શરીરનું યોગ્ય રીતે ધ્યાન રાખવામાં આવે અને કેટલીક સાવચેતીઓ રાખવામાં આવે તો આ પ્રકારે અચાનક મૃત્યુની ઘટનાઓને ટાળી શકાય છે.

Read the Next Article

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે બનાસકાંઠાના નડાબેટમાં સરહદના સંત્રીઓ BSF જવાનો સાથે કર્યો સંવાદ

બનાસકાંઠા જિલ્લાને વિવિધ વિકાસકામોની ભેટ આપવા સુઈ ગામની મુલાકાત દરમિયાન મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે નડાબેટ બોર્ડર સિક્યોરિટી ફોર્સના જવાનો અને અધિકારીઓને મળીને તેમની સાથે સંવાદ ગોષ્ઠી કર્યા હતા.

New Update

CM ભુપેન્દ્ર પટેલે નડા બેટની લીધી મુલાકાત

CMBSFના જવાનો સાથે કર્યો સંવાદ

આ પ્રસંગેCMએ વિકાસકાર્યોની આપી ભેટ

BSF માટે મીઠા પાણીની સુવિધાનો પ્રારંભ

CMએ સમા દર્શનના કાર્યને બિરદાવ્યું

બનાસકાંઠા જિલ્લાને વિવિધ વિકાસકામોની ભેટ આપવા સુઈ ગામની મુલાકાત દરમિયાન મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે નડાબેટ બોર્ડર સિક્યોરિટી ફોર્સના જવાનો અને અધિકારીઓને મળીને તેમની સાથે સંવાદ ગોષ્ઠી કર્યા હતા. વડાપ્રધાન નરેન્દ્ર  મોદીના મક્કમ નિર્ધારણને પગલે ઓપરેશન સિંદુરની જ્વલંત સફળતામાંBSF અને સેનાના જવાનોના શૌર્યસભર યોગદાન માટે તેમણે જવાનોને અભિનંદન પાઠવ્યા હતા.રાજ્ય સરકારે નડાબેટ ખાતે શરૂ કરેલા સીમા દર્શનને પરિણામેBSFને નજીકથી જાણવાની લોકોને તક મળી છે અને લાખો પ્રવાસીઓ સીમા દર્શન અન્વયે બોર્ડર ટુરિઝમને વેગ આપે છે. એમ પણ તેમણે ઉમેર્યું હતું.

BSFના આઈ.જી.અભિષેક પાઠકે રાજ્ય સરકારે નડાબેટ સહિતના સરહદી વિસ્તારોમાંBSF માટે મીઠા પાણીની સુવિધા અને અન્ય ઇન્ફ્રાસ્ટ્રક્ચરની કરેલી વ્યવસ્થા માટે આભાર વ્યક્ત કર્યોહતો.

મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલને આ પ્રસંગેBSF જવાનોએ ગાર્ડ ઓફ ઓનર આપ્યું હતું અને સ્મૃતિ ચિન્હ અર્પણ કર્યું હતું.આ મુલાકાતમાં વિધાનસભાના અધ્યક્ષ શંકર ચૌધરી અને ઉદ્યોગ મંત્રી  બળવંતસિંહ રાજપૂત પણ જોડાયા હતા.