જન્મદિવસ પહેલા જ યુવકને મળ્યું મોત, અવાવરું બિલ્ડીંગમાંથી મળ્યો મૃતદેહ

વલસાડ જિલ્લાના પારડી તાલુકાના બાલદા ગામ નજીક આવેલ અવાવરું બિલ્ડીંગમાંથી શંકાસ્પદ હાલતમાં યુવકનો મૃતદેહ મળી આવતા ચકચાર મચી જવા પામી છે.

New Update
  • પારડી તાલુકાના બાલદા ગામ નજીકની ઘટના

  • અવાવરું બિલ્ડીંગમાંથી મળ્યો યુવકનો મૃતદેહ

  • શંકાસ્પદ હાલતમાં મૃતદેહ મળી આવતા ચકચાર

  • એસપી, FSL સહિતનો પોલીસ કાફલો દોડી આવ્યો

  • કિશોરની હત્યા થઈ હોવાની આશંકા વ્યક્ત કરાય

વલસાડ જિલ્લાના પારડી તાલુકાના બાલદા ગામ નજીક આવેલ અવાવરું બિલ્ડીંગમાંથી શંકાસ્પદ હાલતમાં યુવકનો મૃતદેહ મળી આવતા ચકચાર મચી જવા પામી છે.

વલસાડ જિલ્લાનું પારડી ફરી એકવાર ચર્ચામાં આવ્યું છે. કોલેજિયન યુવતીના રેપ અને મર્ડર બાદ આ વખતે બાલદાનું નામ સામે આવ્યું છે. બાલદા ગામ નજીક એક નિર્માણાધિન અવાવરું બિલ્ડીંગમાંથી યુવકનો મૃતદેહ મળી આવ્યો હતો. બનાવની જાણ થતાં જ જિલ્લા પોલીસવડા કરણરાજસિંહ વાઘેલા, FSL અને સહિતનો પોલીસ કાફલો તાત્કાલિક ઘટનાસ્થળે પહોચ્યો હતોજ્યાં બિલ્ડીંગના લિફ્ટના અંડર ગ્રાઉન્ડ પેસેજમાં ઈંટોની નીચે દબાયેલી હાલતમાં કિશોરનો મૃતદેહ મળી આવ્યો હતો.

મૃતક અતુલ યોગેન્દ્ર શેન જન્મ દિવસના આગળના દિવસથી જ ગુમ થયો હોવાનું પોલીસ તપાસમાં બહાર આવ્યું છે. મૃતક અતુલનો જન્મદિવસ હતોત્યારે અતુલ ન મળતાં પિતા અને કાકા તેને શોધવા નીકળ્યાં હતાં. જેમાં અવાવરૂ બિલ્ડીંગમાંથી શંકાસ્પદ હાલતમાં કિશોરનો મૃતદેહ મળ્યો હતો. કિશોરની હત્યા થયાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છેત્યારે હાલ તો બનાવની ગંભીરતાને લઇ પોલીસ દ્વારા તપાસનો ધમધમાટ ચલાવવામાં આવ્યો છે.

 

Read the Next Article

ભરૂચ: ખાણ-ખનીજ વિભાગનો સપાટો, 7 દિવસમાં ખનીજ માફિયાઓના 8 વાહનો મળી રૂ.1.90 કરોડનો.મુદ્દામાલ કર્યો જપ્ત

ભરૂચ જિલ્લા વહીવટીતંત્રના માર્ગદર્શન હેઠળ ભરૂચ જિલ્લામાં ખનીજનું બિનઅધિકૃત વહન સદંતર બંધ રહે, ખનીજ ચોરી અટકે તે ઉદ્દેશથી સરપ્રાઇઝ ચેકીંગ અને ગેરકાયદેસર ખનન

New Update
MixCollage-16-Jun-2025-09-09-PM-1828

ભરૂચ જિલ્લા વહીવટીતંત્રના માર્ગદર્શન હેઠળ ભરૂચ જિલ્લામાં ખનીજનું બિનઅધિકૃત વહન સદંતર બંધ રહે, ખનીજ ચોરી અટકે તે ઉદ્દેશથી સરપ્રાઇઝ ચેકીંગ અને ગેરકાયદેસર ખનન અને ખનીજનું બિનઅધિકૃત વહનની પ્રવૃતિ મળી આવ્યે થી કાયદેસરની કાર્યવાહી સતત કરવામાં આવી રહી છે.

જે અંતર્ગત ભુસ્તરશાસ્ત્રી  સુચના અન્વયે ભુસ્તરવિજ્ઞાન અને ખનીજ કચેરી ભરૂચની ક્ષેત્રિય તપાસ ટીમ દ્વારા તા.૦૯ થી ૧૫ જુન ૨૦૨૫નાં દિવસ દરમ્યાન ભરૂચ જીલ્લાના અલગ- અલગ સ્થળોએ આકસ્મિક તપાસ કરી હતી. આ તપાસ દરમ્યાન વાગરા તાલુકાના પંખાજણ, ભરૂચ તાલુકાના ઝાડેશ્વર અને ઝઘડીયા તાલુકાના રાજપારડી- ઝધડીયા ખાતે કરવામાં આવેલી તપાસ દરમ્યાન બ્લેક્ટ્રેપ, સાદી રેતી અને સાદી માટી ખનીજના બિનઅધિકૃત વહન કરતાં કુલ ૮ વાહનોને સીઝ કરી કુલ-૧.૯૦કરોડનો મુદ્દામાલ જપ્ત કરી જીલ્લા સેવાસદન,ઝધડિયા પોલીસ સ્ટેશન, રાજપારડી પોલીસ સ્ટેશન અને વાગરા પોલીસ સ્ટેશન ખાતે મુદ્દામાલ જપ્ત કરી રાખવામાં આવ્યો છે.