વલસાડ : કેરલથી કેરી ભરી વડોદરા જતી ટ્રક પલટી મારી જતાં હાઇવે પર કેરીઓની રેલમછેલ...

વલસાડ જિલ્લાના વાપી નજીક નેશનલ હાઇવે પર કેરી ભરેલી ટ્રક પલટી મારી જતાં સમગ્ર હાઇવે પર કેરી ફેલાઈ ગઈ હતી.

New Update
વલસાડ : કેરલથી કેરી ભરી વડોદરા જતી ટ્રક પલટી મારી જતાં હાઇવે પર કેરીઓની રેલમછેલ...

વલસાડ જિલ્લાના વાપી નજીક નેશનલ હાઇવે પર કેરી ભરેલી ટ્રક પલટી મારી જતાં સમગ્ર હાઇવે પર કેરી ફેલાઈ ગઈ હતી. આ અકસ્માતના પગલે વાહન વ્હાવહારને પણ અસર થઈ હતી.

વલસાડ જિલ્લાના વાપી નજીક નેશનલ હાઇવે પર આવેલા બલિઠા ગામ પાસે કેરી ભરેલી ટ્રક પલટી મારી ગઈ હતી. કેરળથી કેરી ભરીને આ ટ્રક વડોદરા જતી હતી, તે દરમિયાન ટ્રકના ચાલકે સ્ટિયરિંગ પરથી કાબૂ ગુમાવતાં આ દુર્ઘટના સર્જાય હતી. સમગ્ર માર્ગપર કેરી જ કેરી ફેલાઈ જતાં વાહન વ્યવહારને પણ અસર પહોચી હતી. જોકે, બનાવના પગલે હાઇવે પેટ્રોલીંગ પોલીસે તરત ઘટના સ્થળે પહોચી જઈ પરિસ્થિતી સંભાળી લીધી હતી, અને આગળની કાર્યવાહી હાથ ધરી હતી. સદનસીબે આ ઘટનામાં કોઈને ઇજા થઈ ન હતી, અને ટ્રક ચાલકનો પણ આબાદ બચાવ થયો હતો.

Read the Next Article

સાબરકાંઠા જિલ્લાના  તલોદ GIDCમાં રબર ફેક્ટરીમાં લાગી ભીષણ આગ

સાબરકાંઠા જિલ્લાના તલોદ GIDC વિસ્તારમાં આજે 29 જૂન, 2025ના રોજ સાંજે એક ભીષણ આગ લાગવાની ઘટના ઘટી છે. જેના કારણે આખા વિસ્તારમાં દોડધામ મચી ગઈ.

New Update
aag

સાબરકાંઠા જિલ્લાના તલોદ GIDC વિસ્તારમાં આજે 29 જૂન, 2025ના રોજ સાંજે એક ભીષણ આગ લાગવાની ઘટના ઘટી છે. જેના કારણે આખા વિસ્તારમાં દોડધામ મચી ગઈ. આ ઘટના તલોદ GIDCમાં આવેલી પુષ્પક ઈન્ડિયા લિમિટેડ નામની ફેક્ટરીમાં બની, જે ટાયરની ટ્યૂબનું ઉત્પાદન કરે છે. આ આગે ફેક્ટરીમાં મોટું નુકસાન કર્યું,

પરંતુ રાહતની વાત એ છે કે આ ઘટનામાં કોઈ જાનહાની થઈ નથી.સાંજે આશરે 4 વાગ્યાની આસપાસ પુષ્પક ઈન્ડિયા લિમિટેડ ફેક્ટરીમાં અચાનક આગ ભભૂકી ઉઠી. ફેક્ટરીમાંથી ધુમાડાના ગોટેગોટા નીકળતા જોવા મળ્યા, જેના કારણે ફેક્ટરીમાં કામ કરતા કામદારો અને આસપાસના વિસ્તારના લોકોમાં ભયનો માહોલ સર્જાયો. આગની જ્વાળાઓ અને ધુમાડાને જોતાં નાસભાગ મચી ગઈ, અને સ્થાનિક લોકોમાં અફરાતફરીનો માહોલ ફેલાયો.ઘટનાની જાણ તલોદ નગરપાલિકાને થતાં તાત્કાલિક ફાયર બ્રિગેડની ટીમ ઘટનાસ્થળે પહોંચી. ફાયર ફાઇટર્સે ત્વરિત કાર્યવાહી કરીને આગ પર કાબૂ મેળવ્યો, જેના કારણે ઘટના વધુ વિકટ બનતાં અટકી. જોકે આગ લાગવાનું ચોક્કસ કારણ હજુ સુધી જાણી શકાયું નથી, અને આ અંગે તપાસ ચાલી રહી છે. પ્રાથમિક માહિતી અનુસાર, આગના કારણે ફેક્ટરીમાં મોટું નાણાકીય નુકસાન થયું હોવાનું જાણવા મળે છે, જેમાં રબર ઉત્પાદનની સામગ્રી, મશીનરી, અને અન્ય સાધનોનો સમાવેશ થઈ શકે છે.ફેક્ટરીના કામદારોમાં ચિંતા આ અગ્નિકાંડની ઘટનાએ તલોદ GIDC વિસ્તારમાં રહેતા લોકો અને ફેક્ટરીના કામદારોમાં ચિંતાનું વાતાવરણ સર્જ્યું છે. સ્થાનિક લોકોએ જણાવ્યું કે, આગની જ્વાળાઓ અને ધુમાડાને જોતાં એવું લાગ્યું કે કોઈ મોટી દુર્ઘટના સર્જાઈ શકે છે. જોકે, ફાયર બ્રિગેડની ત્વરિત કાર્યવાહીએ ઘટનાને વધુ ગંભીર થતાં રોકી.તલોદ નગરપાલિકાએ આ ઘટના અંગે ગંભીર નોંધ લીધી છે, અને આગના કારણોની તપાસ માટે એક ટીમ નિયુક્ત કરવામાં આવી શકે છે. પ્રાથમિક તપાસમાં આગ વિદ્યુત શોર્ટ સર્કિટ, રબરની સામગ્રીના સંગ્રહની ખામી, અથવા અન્ય કોઈ તકનીકી ખામીને કારણે લાગી હોવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે. જોકે, આ અંગે સત્તાવાર રિપોર્ટ આવ્યા બાદ જ સ્પષ્ટતા થશે.

Latest Stories