વલસાડ : ગૃહ રાજ્યમંત્રીએ દાદિયા ફળિયા-ધરમપુરમાં શ્રીજીના દર્શન કર્યા, વ્યસનથી દૂર રહેવા યોવાઓને અપીલ કરી…

હર્ષ સંઘવીએ ધરમપુરમાં વિવિધ ગણેશ પંડાલોની મુલાકાત લઇ દાદાના દર્શન કર્યા હતા. ત્યારબાદ વલસાડમાં પણ અનેક ગણેશ પંડાલોમાં તેઓએ દાદાના દર્શન કરી આશીર્વાદ લીધા

New Update

ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી આવ્યા વલસાડ જિલ્લાની મુલાકાતે

હર્ષ સંઘવીએ દાદિયા ફળિયા - ધરમપુરમાં શ્રીજીના દર્શન કર્યા

ગણેશ પંડાલમાં પોતાના સંબોધનમાં હર્ષ સંઘવીએ કરી અપીલ

યુવાઓને ડ્રગ્સ અને વ્યસનના દૂષણથી દૂર રહેવા અપીલ કરી

ભાજપના અગ્રણીઓ-કાર્યકર્તાઓ સહિત નગરજનોની ઉપસ્થિતી

ગુજરાત રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવીએ વલસાડ શહેરના દાદિયા ફળિયા અને ધરમપુરના ગાર્ડન રોડ ગણપતિના દર્શન કર્યા હતા. આ સાથે જ તેઓએ યુવાઓને ડ્રગ્સ અને વ્યસનના દૂષણથી દૂર રહેવા અપીલ કરી હતી.

રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવી આજે વલસાડ જિલ્લાની મુલાકાતે આવી પહોચ્યા હતાજ્યાં તેઓએ સૌપ્રથમ ધરમપુરમાં વિવિધ ગણેશ પંડાલોની મુલાકાત લઇ દાદાના દર્શન કર્યા હતા. ત્યારબાદ વલસાડમાં પણ અનેક ગણેશ પંડાલોમાં તેઓએ દાદાના દર્શન કરી આશીર્વાદ લીધા હતા. ધરમપુરમાં ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ ભાજપના એક અગ્રણીના ઘરે દુઃખદ પ્રસંગમાં હાજરી આપી હતી.

ત્યારબાદ શહેરના પૌરાણિક લક્ષ્મી નારાયણ મંદિરના દર્શન કરી વિવિધ ગણેશ મંડપમાં દાદાના દર્શન કર્યા હતા. વલસાડના દાદીયા ફળિયામાં યોજાય રહેલા ગણેશ મહોત્સવમાં દાદાના દર્શન કરી ધન્યતા અનુભવી હતી. આ સાથે જ પોતાના સંબોધનમાં યુવાઓને ડ્રગ્સ અને વ્યસનના દૂષણથી દૂર રહેવા અપીલ કરી હતી. ડ્રગ્સના દુષણ સામેની લડાઇમાં મહિલાઓને પણ મહત્વનું યોગદાન આપવા અપીલ કરી હતી.

આમ ગણેશ મહોત્સવમાં શાંતિપૂર્ણ માહોલમાં ઉજવણી કરી સમાજમાં પ્રવર્તતી બદીઓથી દૂર રહેવા લોકોને અપીલ કરી હતી. આ પ્રસંગે ભાજપના અગ્રણીઓ અને કાર્યકર્તાઓ સહિત મોટી સંખ્યામાં નગરજનો ઉપસ્થિત રહ્યા હતા.

Read the Next Article

ભરૂચ: જંબુસર BRC ભવન ખાતે દિવ્યાંગ બાળકો માટે એસએસમેન્ટ કેમ્પ યોજાયો, 250 વિધ્યાર્થીઓએ લીધો લાભ

વિશિષ્ટ જરૂરિયાત ધરાવતા વિદ્યાર્થીઓને એડીપ્સ યોજના હેઠળ સાધન સહાયનો લાભ મળે તે માટે જિલ્લાવાર, બ્લોક કક્ષાએ એસેસમેન્ટ કેમ્પનું આયોજન કરવામાં આવી રહ્યું છે

New Update
  • ભરૂચના જંબુસરમાં કરવામાં આવ્યું આયોજન

  • બી.આર.સી.ભવન ખાતે આયોજન

  • દિવ્યાંગ બાળકો માટે કેમ્પ યોજાયો

  • 250 બાળકોએ લીધો લાભ

  • સાધન સહાયનું કરાયુ વિતરણ

ભરૂચના જંબુસર બી આર સી ભવન ખાતે દિવ્યાંગ બાળકો માટે એસએસમેન્ટ કેમ્પ યોજાયો હતો જેનો 250 જેટલા વિદ્યાર્થીઓએ લાભ લીધો હતો. સમગ્ર શિક્ષા ગાંધીનગર પ્રેરિત જિલ્લા શિક્ષણ અધિકારી કચેરી તથા પ્રોજેક્ટ કો ઓર્ડીનેટરની કચેરી ભરૂચ દ્વારા એલિમ્કોના સહયોગથી દિવ્યાંગ બાળકો માટે એસએસમેન્ટ કેમ્પ બી.આર.સી ભવન જંબુસર ખાતે જિલ્લા આઈ.ઇ. ડી કોઓર્ડીનેટર ચૈતાલી પટેલની અધ્યક્ષતામાં યોજાયો હતો.
જેમાં ૨૫૦ બાળકોએ ભાગ લીધો હતો. વર્ષ 2025_26 ના બાલવાટિકાથી ધોરણ 12માં અભ્યાસ કરતા વિશિષ્ટ જરૂરિયાત ધરાવતા વિદ્યાર્થીઓને એડીપ્સ યોજના હેઠળ સાધન સહાયનો લાભ મળે તે માટે જિલ્લાવાર, બ્લોક કક્ષાએ એસેસમેન્ટ કેમ્પનું આયોજન કરવામાં આવી રહ્યું છે.કેમ્પમાં બીઆરસી કો-ઓર્ડીનેટર અશ્વિન પઢીયાર, આસિફભાઇ,આઇડી સ્ટાફ,સ્પેશિયલ એજ્યુકેટર તેમજ વાલીઓ ઉપસ્થિત રહ્યા હતા.