વલસાડ : ગૃહ રાજ્યમંત્રીએ દાદિયા ફળિયા-ધરમપુરમાં શ્રીજીના દર્શન કર્યા, વ્યસનથી દૂર રહેવા યોવાઓને અપીલ કરી…

હર્ષ સંઘવીએ ધરમપુરમાં વિવિધ ગણેશ પંડાલોની મુલાકાત લઇ દાદાના દર્શન કર્યા હતા. ત્યારબાદ વલસાડમાં પણ અનેક ગણેશ પંડાલોમાં તેઓએ દાદાના દર્શન કરી આશીર્વાદ લીધા

New Update

ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી આવ્યા વલસાડ જિલ્લાની મુલાકાતે

હર્ષ સંઘવીએ દાદિયા ફળિયા - ધરમપુરમાં શ્રીજીના દર્શન કર્યા

ગણેશ પંડાલમાં પોતાના સંબોધનમાં હર્ષ સંઘવીએ કરી અપીલ

યુવાઓને ડ્રગ્સ અને વ્યસનના દૂષણથી દૂર રહેવા અપીલ કરી

ભાજપના અગ્રણીઓ-કાર્યકર્તાઓ સહિત નગરજનોની ઉપસ્થિતી

ગુજરાત રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવીએ વલસાડ શહેરના દાદિયા ફળિયા અને ધરમપુરના ગાર્ડન રોડ ગણપતિના દર્શન કર્યા હતા. આ સાથે જ તેઓએ યુવાઓને ડ્રગ્સ અને વ્યસનના દૂષણથી દૂર રહેવા અપીલ કરી હતી.

રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવી આજે વલસાડ જિલ્લાની મુલાકાતે આવી પહોચ્યા હતાજ્યાં તેઓએ સૌપ્રથમ ધરમપુરમાં વિવિધ ગણેશ પંડાલોની મુલાકાત લઇ દાદાના દર્શન કર્યા હતા. ત્યારબાદ વલસાડમાં પણ અનેક ગણેશ પંડાલોમાં તેઓએ દાદાના દર્શન કરી આશીર્વાદ લીધા હતા. ધરમપુરમાં ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ ભાજપના એક અગ્રણીના ઘરે દુઃખદ પ્રસંગમાં હાજરી આપી હતી.

ત્યારબાદ શહેરના પૌરાણિક લક્ષ્મી નારાયણ મંદિરના દર્શન કરી વિવિધ ગણેશ મંડપમાં દાદાના દર્શન કર્યા હતા. વલસાડના દાદીયા ફળિયામાં યોજાય રહેલા ગણેશ મહોત્સવમાં દાદાના દર્શન કરી ધન્યતા અનુભવી હતી. આ સાથે જ પોતાના સંબોધનમાં યુવાઓને ડ્રગ્સ અને વ્યસનના દૂષણથી દૂર રહેવા અપીલ કરી હતી. ડ્રગ્સના દુષણ સામેની લડાઇમાં મહિલાઓને પણ મહત્વનું યોગદાન આપવા અપીલ કરી હતી.

આમ ગણેશ મહોત્સવમાં શાંતિપૂર્ણ માહોલમાં ઉજવણી કરી સમાજમાં પ્રવર્તતી બદીઓથી દૂર રહેવા લોકોને અપીલ કરી હતી. આ પ્રસંગે ભાજપના અગ્રણીઓ અને કાર્યકર્તાઓ સહિત મોટી સંખ્યામાં નગરજનો ઉપસ્થિત રહ્યા હતા.

Read the Next Article

તાલાલા સહિત સમગ્ર ગીર પંથકમાં ભૂકંપનો આંચકો અનુભવાયો, તીવ્રતા રિક્ટર સ્કેલ પર 2.2 નોંધાઈ

ગીર સોમનાથથી એક મોટા સમાચાર સામે આવ્યા છે. વાસ્તવમાં આજે તાલાલા સહિત સમગ્ર ગીર પંથકમાં ભૂકંપનો આંચકો અનુભવાયો છે. પ્રાથમિક વિગતો મુજબ ભૂકંપની તીવ્રતા રિક્ટર સ્કેલ પર 2.2 નોંધાઈ હતી.

New Update
Pakistan Earthquake

ગીર સોમનાથથી એક મોટા સમાચાર સામે આવ્યા છે. વાસ્તવમાં આજે તાલાલા સહિત સમગ્ર ગીર પંથકમાં ભૂકંપનો આંચકો અનુભવાયો છે. પ્રાથમિક વિગતો મુજબ ભૂકંપની તીવ્રતા રિક્ટર સ્કેલ પર 2.2 નોંધાઈ હતી.

આ તરફ ભૂકંપનું એપી સેન્ટર તાલાલાથી 11 કિલોમીટર દૂર ઈસ્ટ-નોર્થ-ઈસ્ટ દિશામાં નોંધાયું છે. વિગતો મુજબ ભૂકંપનો આંચકો જમીનમાં 6 કિલોમીટરની ઊંડાઈએથી ઉદ્ભવ્યો હતો. જોકે હજી સુધી કોઈ જાનહાનિના સમાચાર સામે આવ્યા નથી.

  • ભૂકંપના ઝટકા જેવા આવે તુરંત વાર કર્યા વગર ઓફિસ કે ઘરની બહાર નિકળી જવું.
  • વીજળીના થાંભલા, ઝાડ અને ઉંચી ઈમારતથી દૂર ઉભા રહેવુ.
  • ઘર કે ઓફિસ બહાર જતી વખતે લીફ્ટનો ઉપયોગ ન કરવો, સીડીનો ઉપયોગ કરવો.
  • ઘર આસપાસ જો મેદાન ન હોય તો એવી જગ્યા શોધો જ્યા છૂપાઈને બેસી શકાય.
  • ભૂકંપ આવે ત્યારે ખાસ કરીને ઘરમાં રહેલી ભારે વસ્તુથી દૂર રહેવું.
  • ઘરમાં રહેલા ભારે સામાન અને કાચથી દૂર રહેવુ જેથી વાગવાની શક્યતા ન રહે.
  • ભાગવાનો સમય ન મળે તો ટેબલ, પલંગ, ડેસ્ક જેવી મજબૂત જગ્યા નીચે ઘૂસી જવું.
  • દરવાજા હોય ત્યા ન ઉભા રહેવું જેથી દરવાજો ખુલે કે પડે તો વાગે નહીં.