વલસાડ: ધરમપુરમાં કોંગ્રેસના જનમંચ કાર્યક્રમમાં વિરોધ પક્ષના નેતા અમિત ચાવડાના ભાજપ પર ભ્રષ્ટાચારના આક્ષેપ

વલસાડ જિલ્લાના ધરમપુર ખાતે કોંગ્રેસ દ્વારા જનમંચ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.આ પ્રસંગે વિરોધ પક્ષના નેતા અમિત ચાવડા ઉપસ્થિત રહીને ભાજપ સરકાર પર કટી રાજના આક્ષેપ કર્યા હતા.

New Update

ધરમપુરમાં કોંગ્રેસનો જનમંચ કાર્યક્રમ યોજાયો 

Advertisment W3.CSS

કમલમ સુધી કટકી રાજના આક્ષેપ

વિરોધ પક્ષના નેતાનાં ભાજપ સરકાર પર ભ્રષ્ટાચારના આક્ષેપ 

કોંગ્રેસના આક્ષેપોથી રાજકારણ ગરમાયુ 

સ્થાનિક સ્વરાજની ચૂંટણીની કોંગ્રેસે તૈયારી કરી શરુ 

વલસાડ જિલ્લાના ધરમપુર ખાતે કોંગ્રેસ દ્વારા જનમંચ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.આ પ્રસંગે વિરોધ પક્ષના નેતા અમિત ચાવડા ઉપસ્થિત રહીને ભાજપ સરકાર પર કટી રાજના આક્ષેપ કર્યા હતા.
વલસાડ જિલ્લાના ધરમપુર ખાતે વિધાનસભાના વિરોધ પક્ષના નેતા અમિત ચાવડાની વિશેષ ઉપસ્થિતિમાં જનમંચનો કાર્યક્રમ યોજાયો હતો.આ પ્રસંગે અમિત ચાવડાએ કમલમ સુધી કમિશન પહોંચાડવા કટકી રાજ ચાલતું હોવાના ગંભીર આક્ષેપો કર્યા હતા.વલસાડ જિલ્લામાં તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયત સહિત ગ્રામ પંચાયતોમાં પણ અધિકારીઓ અને જન પ્રતિનિધિઓ કમીશનરૂપી કટકી માંગતા હોવાના અમિત ચાવડાએ આક્ષેપ કરતા જિલ્લાનું રાજકારણ ગરમાયું હતું.વલસાડ જિલ્લામાં આગામી સમયમાં નગરપાલિકાની ચૂંટણીઓને લઈ કોંગ્રેસ ફરી એક વખત જિલ્લામાં સક્રિય થઈ રહી છે. આ કાર્યક્રમમાં વલસાડ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ દિનેશ પટેલ સહિત જિલ્લા કોંગ્રેસના અગ્રણીઓને કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.આ કાર્યક્રમમાં ધરમપુર અને આસપાસના વિસ્તારના લોકોના સ્થાનિક પ્રશ્નોને અમિત ચાવડાએ સાંભળ્યા હતા.કોંગ્રેસના યોજાયેલા આ કાર્યક્રમમાં આ વિસ્તારના અનેક લોકોએ પોતાની સમસ્યાઓ રજૂ કરી હતી.લોકોએ પોતાની વ્યક્તિગત અને સામૂહિક સમસ્યાને પણ કોંગ્રેસ અગ્રણીઓ સમક્ષ વ્યક્ત કરી હતી.કોંગ્રેસના આ કાર્યક્રમમાં લોકોએ ભ્રષ્ટાચારના અને પોતાના વિસ્તારમાં કામો જ નહીં થતા હોવાના આક્ષેપો પણ કર્યા હતા.
Read the Next Article

ભરૂચ: મનસુખ વસાવાએ પોલીસને કહ્યું "હવે આદિવાસીઓને છંછેડશો નહીં", આડકતરી રીતે BJPના નેતાઓને પણ આડેહાથ લીધા

ભરૂચના સાંસદ મનસુખ વસાવાની હાજરીમાં રાજપૂત છાત્રાલય ખાતે આદિવાસી સંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મનસુખ વસાવાએ તંત્ર અને પોલીસ વિભાગને આડે હાથ લેતા ખળભળાટ મચી જવા પામ્યો છે

New Update
  • ભરૂચમાં સંમેલનનું કરાયુ આયોજન

  • રાજપૂત છાત્રાલય ખાતે સંમેલન યોજાયું

  • આદિવાસી સંમેલનનું આયોજન

  • સાંસદ મનસુખ વસાવા રહ્યા ઉપસ્થિત

  • પોલીસ પર કર્યા આકરા પ્રહાર

Advertisment W3.CSS
ભરૂચના સાંસદ મનસુખ વસાવાની હાજરીમાં રાજપૂત છાત્રાલય ખાતે આદિવાસી સંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મનસુખ વસાવાએ તંત્ર અને પોલીસ વિભાગને આડે હાથ લેતા ખળભળાટ મચી જવા પામ્યો છે
સમગ્ર રાજ્ય સહિત ભરૂચ જિલ્લામાં ગ્રામપંચાયતોની ચૂંટણીના પડઘમ વાગી રહ્યા છે ત્યારે ભરૂચની રાજપૂત છાત્રાલય ખાતે સમસ્ત આદિવાસી સમાજ દ્વારા આદિવાસી સંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં સાંસદ મનસુખ વસાવા સહિત આદિવાસી સમાજના આગેવાનો તેમજ કાર્યકરો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.આ સંમેલનમાં સાંસદ મનસુખ વસાવાએ પોલીસ વિભાગ પર આકરા પ્રહારો કર્યા હતા અને આદિવાસી સમાજને સતત હેરાનગતિ કરાતી હોવાના પણ આક્ષેપ કર્યા હતા.સાંસદ મનસુખ વસાવાએ જણાવ્યું હતું કે, આદિવાસી વિસ્તારમાં પોલીસ વારંવાર લોકો પર દબાણ બનાવે છે. સરપંચો અને ગ્રામજનોને પણ બિનજરૂરી રીતે ત્રાસ આપવામાં આવે છે. હું સ્પષ્ટ કહી દઉં છું કે, હવે આદિવાસીઓને છંછેડશો નહીં.તેમણે વધુમાં જણાવ્યું હતું કે આદિવાસી યુવતીઓ સાથે મુસ્લિમ તત્વો દુર્વ્યવહાર કરે છે ત્યારે કોઈ પણ હિન્દૂ સંગઠન તેમની સાથે ઊભું રહેતું નથી. આદિવાસીઓ માટે લડનાર કોઇ નથી.
સાંસદે સત્તાધીશોને પણ લપેટમાં લેતાં જણાવ્યું કે, સત્તામાં રહેલા લોકો માત્ર ભીડ ભેગી કરવા માટે આદિવાસીઓને વાપરે છે, પણ તેઓના હક્ક માટે કોઇ ચોક્કસ પગલાં નથી લેતાં.