વલસાડ : વાપીમાં સ્ક્રેપ માર્કેટમાં ભીષણ આગ,12 ભંગારના ગોડાઉન આગની ચપેટમાં આવ્યા

વલસાડ જિલ્લાના વાપી ખાતે ડુંગરી ફળિયા વિસ્તારમાં ભંગારના ગોડાઉનમાં ભીષણ આગ લાગી હતી.એક ગોડાઉનથી શરૂ થયેલી આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું.

New Update
  • વાપીમાં ભંગારના ગોડાઉનમાં ભીષણ આગ

  • આગના પગલે દોડધામ મચી

  • ડ્રમ,પેપર,પ્લાસ્ટિકને કારણે આગ વિકરાળ બની

  • 12 જેટલા ગોડાઉન આગની ચપેટમાં આવ્યા

  • ફાયર બ્રિગેડનો આગ પર કાબુ મેળવવાનો પ્રયાસ 

વલસાડ જિલ્લાના વાપી ખાતે ડુંગરી ફળિયા વિસ્તારમાં ભંગારના ગોડાઉનમાં ભીષણ આગ લાગી હતી.એક ગોડાઉનથી શરૂ થયેલી આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું.આગની ચપેટમાં આજુબાજુના અન્ય ગોડાઉન પણ આવી ગયા છે.

વલસાડ જિલ્લાના વાપી ખાતે ડુંગરી ફળિયા વિસ્તારમાં ભંગારના ગોડાઉનમાં ભીષણ આગ લાગી હતી.આ ગોડાઉનમાં કેમિકલ ડ્રમપેપરપ્લાસ્ટિક અને અન્ય દહનશીલ સામગ્રી સંગ્રહિત હતી. આ કારણે આગે ભયાનક સ્વરૂપ ધારણ કર્યું હતું. ઘટનાની જાણ થતાં જ વાપીભીલાડઉમરગામપારડી અને વલસાડની ફાયર બ્રિગેડની 10થી વધુ ટીમો તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી.

ફાયર બ્રિગેડની ટીમોએ સતત પાણીનો મારો ચલાવી આગ પર કાબૂ મેળવવાનો પ્રયાસ કર્યો હતો. આગમાં કુલ 12 ગોડાઉન બળીને ખાખ થઈ ગયા છે. ગોડાઉન રહેણાંક વિસ્તારની નજીક હોવાથી લોકોમાં ભયનો માહોલ સર્જાયો હતો. જો કેસમયસર લોકો સલામત સ્થળે ખસી જતાં કોઈ જાનહાની થઈ નથી. ફાયર બ્રિગેડની ટીમો હજુ પણ આગ પર સંપૂર્ણ કાબુ મેળવવા પ્રયત્નશીલ કરી રહી છે. આગ લાગવાનું ચોક્કસ કારણ હજુ સુધી જાણી શકાયું નથી.

Read the Next Article

અંકલેશ્વર: મહોરમનું પર્વ શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન થતા તાજીયા કમિટી દ્વારા તંત્રનો આભાર વ્યક્ત કરાયો

અંકલેશ્વર શહેર-તાલુકા તાજીયા કમિટી દ્વારા વહીવટી તંત્ર, પોલીસ પ્રશાસન, ગુજરાત વિદ્યુત બોર્ડ અને અંકલેશ્વર નગરપાલિકાનો આભાર વ્યક્ત કરી સન્માન કરવામાં આવ્યું

New Update
Tajiya Commitee
અંકલેશ્વર શહેર-તાલુકા તાજીયા કમિટી દ્વારા વહીવટી તંત્ર, પોલીસ પ્રશાસન, ગુજરાત વિદ્યુત બોર્ડ અને અંકલેશ્વર નગરપાલિકાનો આભાર વ્યક્ત કરી સન્માન કરવામાં આવ્યું હતું. અંકલેશ્વરમાં મોહરમનું પર્વ શાંતિપૂર્ણ અને કોમી એખલાસભર્યા વાતાવરણમાં સંપન્ન થયું છે જે બદલ અંકલેશ્વર શહેર તાલુકા તાજીયા કમિટી દ્વારા પ્રાંત અધિકારી, મામલતદાર  કરણસિંહ રાજપૂત, નાયબ પોલીસ અધિક્ષક,ડો.કુશલ ઓઝા,પોલીસ ઇન્સ્પેકટર  પી જી ચાવડા, પાલિકા પ્રમુખ લલીતાબેન રાજપુરોહિત, શિક્ષણ સમિતિ ચેરમેન ગણેશ અગ્રવાલ, ભાજપ શહેર પ્રમુખ ધર્મેન્દ્ર પુષ્કર્ણા સહિતના આગેવાનોનો આભાર વ્યક્ત કરી તેઓનું સન્માન કરવામાં આવ્યું હતું.

Tajiya Commitee Ankleshwar

આ પ્રસંગે કમિટીના પ્રમુખ બખ્તિયાર પટેલ, સેક્રેટરી વસીમ ફડવાલા, ઉપપ્રમુખ અમન પઠાણ, નૂર કુરેશી, લીગલ એડવાઈઝર હારુન મલેક સહિતના આગેવાનો અને સભ્યો ઉપસ્થિત રહ્યા હતા.