વલસાડ : કમોસમી વરસાદ અને વાવાઝોડાથી ખેતી-બાગાયત પાકને મોટું નુકશાન, સરકાર દ્વારા સર્વે શરૂ કરાયો...

વલસાડ જિલ્લામાં સૌથી વધુ ખેડૂતો આંબાવાડી ઉપર નભતા રહે છે. જિલ્લામાં 38 હજાર હેક્ટર જમીનમાં ખેડૂતોએ આંબાવાડી તૈયાર કરી છે.

New Update
  • કમોસમી વરસાદ અને વાવાઝોડાના કારણે નુકશાન

  • ખેતી-બાગાયત પાકને માવઠાએ પહોચાડ્યું નુકશાન

  • બાગાયત વિભાગ-ખેતીવાડી વિભાગ દ્વારા સર્વે શરૂ

  • કેરીના પાકને વધુ નુકશાન થયું હોવાનું સામે આવ્યું

  • અસરગ્રસ્તોને વળતર ચૂકવવાના પ્રયાસો હાથ ધરાશે

વલસાડ જિલ્લામાં કમોસમી વરસાદ અને વાવાઝોડાના કારણે ખેતી તેમજ બાગાયત પાકને ભારે નુકશાન થયું છેત્યારે વલસાડ જિલ્લા બાગાયત વિભાગ અને ખેતીવાડી વિભાગ દ્વારા સર્વે શરૂ કરાયો છે. જેમાં કેરીના પાકને વધુ નુકશાન થયું હોવાનું સામે આવ્યું છે.

વલસાડ જિલ્લામાં સૌથી વધુ ખેડૂતો આંબાવાડી ઉપર નભતા રહે છે. જિલ્લામાં 38 હજાર હેક્ટર જમીનમાં ખેડૂતોએ આંબાવાડી તૈયાર કરી છે. હાલ આંબાવાડીઓમાં કેરીનો પાક તૈયાર થઈ રહ્યો હતોજ્યાં ભારે પવન અને કમોસમી વરસાદને લઈને આંબા પરથી કેરીઓ ખરી પડી હતીજ્યારે શાકભાજીડાંગર સહિત શેરડી તૈયાર પાકમાં પણ વરસાદના કારણે નુકશાન થયું હોવાનું સામે આવ્યું છે. વલસાડ જિલ્લા કલેક્ટરના આદેશ બાદ બાગાયત વિભાગ અને ખેતીવાડી વિભાગ દ્વારા સર્વે શરૂ કરાયો છે. જિલ્લામાં 16 અલગ અલગ ટીમો દ્વારા 80 ટકા સર્વે પૂર્ણ કરાયો છે. કેરીમાં અંદાજિત 7 હજારથી વધુ હેક્ટરમાં નુકશાન થયું હોવાનું સામે આવ્યું છે.

તો બીજી તરફખેતી-પાકની વાત કરીએ તો શેરડીભીંડાતુવેર અને અન્ય લીલોતરી શાકભાજીમાં વાવાઝોડાના કારણે નુકશાન થયું છે. હાલ 15થી 20 હેક્ટરમાં મોટું નુકશાન થયું હોવાની શક્યતાઓ વર્તાઈ રહી છે. ખાસ કરીને ધરમપુર અને કપરાડા સહિત 20 ગામોની આંબાવાડીમાં નુકશાન થયું હોવાનું સામે આવ્યું છે. ખેતીવાડી અધિકારીએ જણાવ્યુ હતું કેબંને વિભાગો દ્વારા સર્વે પૂર્ણ થયા બાદ નુકશાની અંગેનો રિપોર્ટ સરકારમાં મોકલવામાં આવશેઅને ત્યારબાદ અસરગ્રસ્ત ખેડૂતોને વળતર ચૂકવવા માટેના પ્રયાસો હાથ ધરવામાં આવશે.

 

Read the Next Article

સાબરકાંઠા : ખેડબ્રહ્મામાં ભારે વરસાદ વચ્ચે ખેતી નિષ્ફળ જવાની સંભાવના, 15 પશુઓના પણ મોત...

સાબરકાંઠા જિલ્લાના ખેડબ્રહ્મા વિસ્તારમાં ગતરાત્રિએ વ્યાપક વરસાદ નોંધાયો હતો. જેમાં ખેડબ્રહ્માના લક્ષ્મીપુરા ગલોડીયા તેમજ રોધરા ગામે વરસાદે વ્યાપક તારાજી સર્જી છે.

New Update
  • ખેડબ્રહ્મા પંથકમાં વરસ્યો હતો અનરાધાર વરસાદ

  • લક્ષ્મીપુરાગલોડીયા રોધરા ગામે તારાજી સર્જાય

  • 700 એકર જમીન ખેતી નિષ્ફળ જવાની સંભાવના

  • વરસાદ વચ્ચે 15 જેટલા પશુઓના મોત થયા

  • નુકસાન અંગે તંત્ર પાસે લોકોની મદદની અપેક્ષા

સાબરકાંઠા જિલ્લાના ખેડબ્રહ્મા વિસ્તારમાં ગતરાત્રિએ વ્યાપક વરસાદ નોંધાયો હતો. જેમાં ખેડબ્રહ્માના લક્ષ્મીપુરા ગલોડીયા તેમજ રોધરા ગામે વરસાદે વ્યાપક તારાજી સર્જી છે. રોધરા ગામે 700 એકર જેટલી જમીન ઉપર ખેતી નિષ્ફળ જવાની સંભાવનાઓ છે. તો બીજી તરફ 15 જેટલા પશુઓના મોત થયા છે.

સાબરકાંઠા જિલ્લાના ખેડબ્રહ્માના રોદરા ગામે વરસેલા 15 ઇંચ જેટલા વરસાદના પગલે સ્થાનિક કક્ષાએ ભારે તારાજી સર્જાય છે. ભારે વરસાદના પગલે સમગ્ર ગામમાં પાણી ફરી વળ્યા હતા. તો બીજી તરફ 700 એકર જેટલી જમીન ઉપર મગફળીના પાકને પણ વ્યાપક નુકસાન થયું છે. અહી 100 ટકા ડ્રીપ ધરાવનારા ગામની સમગ્ર ટપક સિંચાઈ પણ ધસમસતા પાણીના પ્રવાહમાં ખેંચાઈ ચૂકી છેજેના પગલે ખેડૂતોને પાક સહિત ડ્રીપ તણાઈ જવાથી વ્યાપક નુકસાન સર્જાયું છે. જોકેઅડધી રાત્રે આવેલા પૂરના પગલે 10થી 15 જેટલા પશુઓના પણ મોત થયા છે. ગામમાં થયેલા પારાવાર નુકસાન મામલે સ્થાનિકો તંત્ર પાસે મદદની અપેક્ષા રાખી રહ્યા છે.