સુરેન્દ્રનગર: તિરંગાયાત્રામાં વીર સાવરકરની કેસરી ટીશર્ટના વિવાદનો મામલો, કોંગ્રેસના આગેવાનો સામે પોલીસ ફરિયાદ

સુરેન્દ્રનગરના ચોટીલામાં તિરંગા યાત્રા દરમિયાન વીર સાવરકરની કેસરી ટીશર્ટ મામલે સર્જાયેલા વિવાદમાં કોંગ્રેસના આગેવાનો સામે પોલીસ ફરિયાદ નોંધાતા ચકચાર મચી જવા પામી છે.

New Update

સુરેન્દ્રનગરના ચોટીલામાં તિરંગા યાત્રા દરમિયાન વીર સાવરકરની કેસરી ટીશર્ટ મામલે સર્જાયેલા વિવાદમાં કોંગ્રેસના આગેવાનો સામે પોલીસ ફરિયાદ નોંધાતા ચકચાર મચી જવા પામી છે.

કોંગ્રેસની ન્યાય યાત્રાનો બુધવારે સવારે ચોટીલાથી પ્રારંભ થયો હતો. ન્યાય યાત્રા ચોટીલાથી સાત કિમી દૂર પહોંચી હતી ત્યારે સાંગાણી પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓ તિરંગા યાત્રા યોજી પસાર થઈ રહ્યા હતા. આ જ સમયે વિદ્યાર્થીઓના શરીર પર સાવરકર અને સુભાષચંદ્ર બોઝની તસવીર વાળી કેસરી ટીશર્ટ જોઈને કોંગ્રેસના નેતાઓ ભડક્યા હતા અને વિદ્યાર્થીઓએ પહેરેલી સાવરકરની ટીશર્ટ દૂર કરી હતી. આ મામલે વિવાદ થતા શાળાના આચાર્ય દ્વારા કોંગ્રેસ રાષ્ટ્રીય લોકદળના પ્રમુખ લાલજીભાઈ દેસાઈ, પૂર્વ ધારાસભ્ય ઋત્વિકભાઈ મકવાણા રાઘવભાઈ મેટાળીયા, ગોપાલભાઈ ટોળીયા અને હરેશભાઈ ઝાપડીયા તથા યાત્રામાં સામેલ અન્ય અજાણ્યા ઇસમો વિરુદ્ધ ફરિયાદ નોંધાઈ છે. ફરિયાદમાં શાળામાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ તેમજ શાળાના સ્ટાફને તિરંગા યાત્રામાં રોકી ગેરવર્તન કરી ક્રાંતિકારીઓ અને સ્વાતંત્ર્ય સેનાનીઓનું અપમાન કરી અલગ અલગ વર્ગો વચ્ચે વૈમનસ્ય ઉભુ થાય અને રાષ્ટ્રીય એકતાને ઠેસ પહોંચે તેવા કથનો અને કૃત્ય કરવાનો આક્ષેપ કરાયો છે.
Read the Next Article

ભરૂચ: ખાણ-ખનીજ વિભાગનો સપાટો, 7 દિવસમાં ખનીજ માફિયાઓના 8 વાહનો મળી રૂ.1.90 કરોડનો.મુદ્દામાલ કર્યો જપ્ત

ભરૂચ જિલ્લા વહીવટીતંત્રના માર્ગદર્શન હેઠળ ભરૂચ જિલ્લામાં ખનીજનું બિનઅધિકૃત વહન સદંતર બંધ રહે, ખનીજ ચોરી અટકે તે ઉદ્દેશથી સરપ્રાઇઝ ચેકીંગ અને ગેરકાયદેસર ખનન

New Update
MixCollage-16-Jun-2025-09-09-PM-1828

ભરૂચ જિલ્લા વહીવટીતંત્રના માર્ગદર્શન હેઠળ ભરૂચ જિલ્લામાં ખનીજનું બિનઅધિકૃત વહન સદંતર બંધ રહે, ખનીજ ચોરી અટકે તે ઉદ્દેશથી સરપ્રાઇઝ ચેકીંગ અને ગેરકાયદેસર ખનન અને ખનીજનું બિનઅધિકૃત વહનની પ્રવૃતિ મળી આવ્યે થી કાયદેસરની કાર્યવાહી સતત કરવામાં આવી રહી છે.

જે અંતર્ગત ભુસ્તરશાસ્ત્રી  સુચના અન્વયે ભુસ્તરવિજ્ઞાન અને ખનીજ કચેરી ભરૂચની ક્ષેત્રિય તપાસ ટીમ દ્વારા તા.૦૯ થી ૧૫ જુન ૨૦૨૫નાં દિવસ દરમ્યાન ભરૂચ જીલ્લાના અલગ- અલગ સ્થળોએ આકસ્મિક તપાસ કરી હતી. આ તપાસ દરમ્યાન વાગરા તાલુકાના પંખાજણ, ભરૂચ તાલુકાના ઝાડેશ્વર અને ઝઘડીયા તાલુકાના રાજપારડી- ઝધડીયા ખાતે કરવામાં આવેલી તપાસ દરમ્યાન બ્લેક્ટ્રેપ, સાદી રેતી અને સાદી માટી ખનીજના બિનઅધિકૃત વહન કરતાં કુલ ૮ વાહનોને સીઝ કરી કુલ-૧.૯૦કરોડનો મુદ્દામાલ જપ્ત કરી જીલ્લા સેવાસદન,ઝધડિયા પોલીસ સ્ટેશન, રાજપારડી પોલીસ સ્ટેશન અને વાગરા પોલીસ સ્ટેશન ખાતે મુદ્દામાલ જપ્ત કરી રાખવામાં આવ્યો છે.