નિઃસંકોચ આ હેલ્ધી અને ટેસ્ટી ભારતીય નાસ્તાને તમારા આહારનો ભાગ બનાવી શકાય, કોલેસ્ટ્રોલ વધશે નહીં.

એવા કયા ભારતીય નાસ્તા છે, જેને ખાવાથી તમારું કોલેસ્ટ્રોલ નહીં વધે.

New Update
નિઃસંકોચ આ હેલ્ધી અને ટેસ્ટી ભારતીય નાસ્તાને તમારા આહારનો ભાગ બનાવી શકાય, કોલેસ્ટ્રોલ વધશે નહીં.

આ ભાગદોડ વાળી લાઈફ અને બદલાતી જીવન શૈલીને કારણે આજકાલ લોકો જે સૌથી મોટી સમસ્યાનો સામનો કરી રહ્યા છે તે તેમનું વધતું વજન અને કોલેસ્ટ્રોલ છે, જેને ઘટાડવા માટે લોકો દરરોજ જીમમાં પરસેવો પાડે છે. વજન વધવાનું કારણ ખરાબ ખાનપાન, કલાકો સુધી બેસી રહેવું અને શારીરિક પ્રવૃત્તિઓ ન કરવી. જો કે તેનું મુખ્ય કારણ ખાવાની ખરાબ આદતો છે. આજકાલ મોટાભાગના લોકો બહારનું ખાવાનું વધારે પસંદ કરે છે. બાળકોને પણ બહારનું તળેલું ખાવાનું પસંદ છે, જેના કારણે વજન વધવું સામાન્ય છે.

ઘણા લોકોને સ્ટ્રીટ ફૂડ ખૂબ જ ગમે છે, જેના કારણે તેઓ તેનું રોજ સેવન કરે છે, જેના કારણે કોલેસ્ટ્રોલનું સ્તર વધવા લાગે છે. પરંતુ શું તમે જાણો છો કે કેટલાક એવા ખોરાક છે જેના સેવનથી તમારું કોલેસ્ટ્રોલ લેવલ નથી વધતું અને તમે તેને કોઈપણ સંકોચ વગર ખાઈ શકો છો. તો ચાલો જાણીએ કે એવા કયા ભારતીય નાસ્તા છે, જેને ખાવાથી તમારું કોલેસ્ટ્રોલ નહીં વધે-

ચણા ચાટ :-

ચાટનું નામ સાંભળતા જ મોઢામાં પાણી આવી જાય છે. લોકોને ચાટ બહુ ભાવે છે.પ્રોટીનથી ભરપૂર ચણા ચાટનું સેવન તમારા માટે સારું છે. આ ખાવાથી તમારું કોલેસ્ટ્રોલ પણ વધતું નથી.

મગ દાળના પુડલા :-

મગની દાળના પુડલા પણ પ્રોટીનનું પાવરહાઉસ છે. તેનું સેવન કરવાથી તમારું કોલેસ્ટ્રોલ લેવલ વધતું નથી અને તમને ભરપૂર એનર્જી મળે છે.

ખાખરા અને હમસ :-

આખા અનાજમાંથી બનાવેલ ખાખરા અને હમસ તમારા હૃદય માટે ફાયદાકારક માનવામાં આવે છે, કારણ કે તેમાં સારી માત્રામાં ફાઈબર હોય છે.

ખમણ કે ઢોકળા :-

ખમણ અથવા ઢોકળા ચણાના લોટમાંથી બનાવવામાં આવે છે, જે ખૂબ જ સ્વાદિષ્ટ નાસ્તો છે. તેમાં ખૂબ જ ઓછી કેલરી હોય છે, તેથી તેના સેવનથી કોલેસ્ટ્રોલ વધતું નથી.

રાગી ચિપ્સ :-

ઘણા જરૂરી પોષક તત્વોથી ભરપૂર રાગીને સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક માનવામાં આવે છે. નાસ્તા માટે રાગી ચિપ્સ હળવા અને પૌષ્ટિક વિકલ્પ છે.

ભેળ પુરી :-

મમરા, આમલીની ચટણી, ઓછા મસાલા અને શાકભાજીથી ભરપૂર, ભેલ પુરી એક આરોગ્યપ્રદ નાસ્તો છે. તેનું સેવન કરવાથી પેટ ભરાય છે અને કોલેસ્ટ્રોલ પણ નથી વધતું.

Read the Next Article

ઘરેલું ઉપચારથી જ ઓછી કરો હાર્ટ બ્લોકેજની સમસ્યા, જાણો રીત

અત્યારના આધુનિક સમયમાં લોકો જંકફુડ ખાવાનુ વધારે પસંદ કરતા હોય છે. વિકેન્ડ પર ઓછા લોકો ઘરે ખાવાનુ પસંદ કરતા હશે. આજ કાલ હાર્ટ બ્લોકેજના કિસ્સાઓ પણ ઘણા સામે આવી રહ્યા છે.

New Update
heart blockage

અત્યારના આધુનિક સમયમાં લોકો જંકફુડ ખાવાનુ વધારે પસંદ કરતા હોય છે. વિકેન્ડ પર ઓછા લોકો ઘરે ખાવાનુ પસંદ કરતા હશે.

આજ કાલ હાર્ટ બ્લોકેજના કિસ્સાઓ પણ ઘણા સામે આવી રહ્યા છે. ડોક્ટરો ચેક કરીને દવાઓ તો આપે જ છે પણ તમે તેની સાથે સાથે ઘરેલું ઉપચારથી આ સમસ્યાનુ નિરાકરણ લાવી શકો છો.

હાર્ટ માટે બ્રોકલી એક સુપર ડુપર ફુડ ગણવામાં આવે છે. આ ફુડમાં ફાઇબર, એન્ટીઓક્સિડેન્ટ અને વિટામિન કે, સી વધુ પ્રમાણમાં હોય છે.આ ફુડ હાર્ટ સુધી પહોંચતી દરેક નળીઓને મજબૂત બનાવે છે અને સોજાને ઓછું પણ કરે છે. બ્રોકલી બ્લડપ્રેશરને નિયત્રિંત કરવામાં મદદરૂપ થાય છે અને હાર્ટ માટે વધુ સારૂં છે.

આપણે સૌ સાંભળતા આવ્યા છીએ કે લસણ ખાવાથી લોહી પાતળું થાય છે. જી હાં આ વાત સાચી છે. લસણને એક પ્રાકૃતિક નેચરલી ઔષધી માનવામાં આવે છે.લસણમાં એલિસિન નામનુ એક તત્વ હોય છે અને તેમાં કોલસ્ટ્રોલને ઓછુ કરવાની ક્ષમતા છે. આ સિવાય તે લોહીની નળીઓમાં જમા થયેલુ ફેટ ઓછું કરે છે. એટલે લસણ તમારાં આહારમાં એડ કરી શકો છો.

પાલક એ આયરનથી ભરપૂર લીલા શાકભાજી છે. પાલકમાં આયરન, ફોલિક એસિડ અને નાઇટ્રેટ હોય છે. જે રક્તને સાફ કરે છે. માંસપેશીઓને ઓક્સિજન પહોંચાડે છે. જે પણ વ્યક્તિઓને હાર્ટ બ્લોકેજની સમસ્યા હોય છે તે પાલકને આહારમાં સામેલ કરી શકે છે.

Health is Wealth | Heart Problem | Heart Blockage Treatment | healthy lifestyle