શિયાળામાં રોજિંદી ચાને કહો ટાટા બાય-બાય, આ લીલી ચાનું સેવન કરશે સ્વાસ્થ્યને અનેક ફાયદા...

આજ કાલ બજારમાં દરેક પ્રકારની ચા મળવા લાગી છે. શિયાળામાં ઠંડીથી બચવા અને શરીરમાં ગરમારો લાવવા માટે લોકો ચા પીવાનું પસંદ કરે છે.

New Update
શિયાળામાં રોજિંદી ચાને કહો ટાટા બાય-બાય, આ લીલી ચાનું સેવન કરશે સ્વાસ્થ્યને અનેક ફાયદા...

આજ કાલ બજારમાં દરેક પ્રકારની ચા મળવા લાગી છે. શિયાળામાં ઠંડીથી બચવા અને શરીરમાં ગરમારો લાવવા માટે લોકો ચા પીવાનું પસંદ કરે છે. પરંતુ ચા સ્વાસ્થ્ય માટે હાનિકારક છે. જો તમે વિવિધ જડીબુટ્ટીથી બનેલી ચા નું સેવન કરશો તો સ્વાસ્થ્યને ફાયદો થશે. શિયલની સીઝનમાં લીલી અનુ સેવન કરવું જોઈએ.

જાણો શું છે લીલી ચા?

આ એક પ્રકારનો છોડ હોય છે જેનું નામ છે લેમનગ્રાસ. જેના લીલા પાંદળા હોય છે. તે અનેક સમસ્યાઓમાં લાભદાયી માનવામાં આવે છે. તે પાનને પાણીમાં ઉકાળીને તેની ચા બનાવવામાં આવે છે. તેનો જ્યુસ પણ બનાવીને પી શકાય છે. તો જાણો આ ચાના સેવનથી થતાં ફાયદાઓ વિષે.....

પાચનને સારું કરી દેશે આ લીલી ચા

લીલી ચાનું સેવન પાચન માટે ખૂબ જ ફાયદાકારક માનવામાં આવે છે. તેનો ઉપયોગ અપચો અને સોજા જેવી સમસ્યા માટે કરવામાં આવે છે. પેટની સમસ્યામાં રાહત આપવાની સાથે ગેસ્ટ્રીક અલ્સરને પણ રોકે છે. તેમાં એંટીન્ફ્લેમેટરી અને એંટીઓક્સિડેંટ્સના ગુણો આવેલા છે. જે પાચનના સ્વાસ્થ્યમાં સુધારો કરે છે.

વજન ઘટાડવામાં મદદરૂપ

લીલી ચા તમારી ચયાપચયની પ્રક્રિયાને સારી બનાવવામાં મદદ કરે છે. અને આ રીતે તમે વેટકંટ્રોલ કરી શકો છો. આ ચા બ્લડ પ્રેસરને પણ કંટ્રોલ કરે છે.

સ્કીન માટે લાભદાયી

લેમન ગ્રાસમાં વિટામિન એ અને વિટામિન સી આવેલા હોય છે. જે સ્વાસ્થ્ય અને ચમકદાર સ્કિનમાં મદદ કરે છે. આ સિવાય લીલી ચા સ્ત્રીઓને પિરિયડસના દિવસોમાં થતાં પેટના દુખાવામાં પણ રાહત આપે છે. 

Read the Next Article

ચોમાસામાં આ વસ્તુઓનું સેવન કરવાનું ટાળો નહીંતર થઇ શકે છે સ્વાસ્થ્યને નુકસાન

ચોમાસાની ઋતુ દરમિયાન દરેક માણસની પાચન શક્તિ નબળી પડી જાય છે. ત્યારે વરસાદી માહોલમાં ક્યા ખોરાકનું સેવન કરવું જોઈએ. તે અંગે આજે જાણીશું.

New Update
food

ચોમાસાની ઋતુ દરમિયાન દરેક માણસની પાચન શક્તિ નબળી પડી જાય છે. ત્યારે વરસાદી માહોલમાં ક્યા ખોરાકનું સેવન કરવું જોઈએ. તે અંગે આજે જાણીશું.

ચોમાસા દરમિયાન સ્ટ્રીટ ફૂડ ખાવાનું ટાળવું જોઈએ. ઘણી વખત સ્ટ્રીટ ફુડ બનાવતા વિક્રેતાઓ હાઈજીનનું ધ્યાન નથી રાખતા તેથી બીમારીઓનું જોખમ વધી શકે છે.

વરસાદી માહોલમાં ફ્રાય કરેલા ખોરાકનું સેવન ન કરવું જોઈએ. તળેલા ખોરાકમાં ચરબીનું પ્રમાણ વધુ હોવાથી પાચન ધીમુ થઈ શકે છે. તેથી તળેલો ખોરાક ખાવાનું ટાળવું જોઈએ.

ચોમાસામાં સીફૂડ ખાવાથી કેટલીક વખત ચેપ લાગવાની શક્યતા છે. આ ઉપરાંત મીઠાનું સેવન ઓછુ કરવું જોઈએ. વરસાદી માહોલમાં મીઠાનું સેવન વધારે કરવાથી પેટ ફૂલવાની સમસ્યામાં વધારો થઈ શકે છે.

ખાસ કરીને ચોમાસાની ઋતુમાં પાંદડાવાળા શાકભાજી અને કાચા શાકભાજીમાં બેક્ટેરિયા અને ફૂગ સરળતાથી લાગી શકે છે. તેથી પાંદડાવાળા શાકભાજી ખાવાનું ટાળવું જોઈએ.

ઈડલી અને ઢોસા જેવા આથાવાળા ખોરાક ખાવાનું ટાળવું જોઈએ. તેમજ પાણીનું પ્રમાણ વધારે હોય તેવા ફળો ખાવાનું ટાળવું જોઈએ.

ખાંડનું વધુ સેવન બળતરા અને ત્વચાની સમસ્યાઓ તરફ દોરી શકે છે તેથી વધારે ખાંડ વાળી વસ્તુ ખાવાનું ટાળવું જોઈએ. આ ઉપરાંત ચા અને કોફીનું સેવન ઘટાડવું જોઈએ.

Health is Wealth | Lifestyle Tips | Monsoon