શરીરમાં કોલેસ્ટ્રોલનું સ્તર વધવાથી બતાવે છે આ 5 સંકેત, અવગણશો તો થશે ખૂબ જ મોટું નુકશાન....

શરીરમાં કોલેસ્ટ્રોલ મર્યાદિત પ્રમાણમાં રહે તો કોઈ મુશ્કેલી પડતી નથી. પરંતુ જ્યારે આ કોલેસ્ટ્રોલ બેડ કોલેસ્ટ્રોલમાં પરિવર્તિત થાય છે

New Update
શરીરમાં કોલેસ્ટ્રોલનું સ્તર વધવાથી બતાવે છે આ 5 સંકેત, અવગણશો તો થશે ખૂબ જ મોટું નુકશાન....

શરીરમાં કોલેસ્ટ્રોલ મર્યાદિત પ્રમાણમાં રહે તો કોઈ મુશ્કેલી પડતી નથી. પરંતુ જ્યારે આ કોલેસ્ટ્રોલ બેડ કોલેસ્ટ્રોલમાં પરિવર્તિત થાય છે ત્યારે અનેક પ્રકારની સમસ્યાઓ જોવા મળે છે. બેસ કોલેસ્ટ્રોલ વધીને લોહીના માધ્યમથી ધમનીઓમાં ઘૂસવા લાગે છે. અને બાદમાં લોહીના પ્રવાહને રોકી દે છે. જો કે આ ખૂબ જ ધીમે ધીમે ધમનીઓ માંથી ચોંટે છે. અને લોહીના પ્રવાહને રોકવામાં મહિનો લાગી જાય છે. આ માટે ખૂબ જ સાવધાની રાખવાની જરૂર છે.

હાથ પગ

જ્યારે બેડ કોલેસ્ટ્રોલ વધવા લાગે છે ત્યારે હાથ અને પગમાં અનેક સંતેલો બતાવે છે. હાથ પગ સુન્ન થવા લાગે છે. જેના કારણે બેડ કોલેસ્ટ્રોલ લોહીના પ્રવાહને ઘટાડી દે છે. જેના કારણે હાથ અને પગમાં લોહીનો પ્રવાહ ઘટવા લાગે છે. જેનાથી નસોનો રંગ બદલવા લાગે છે. સાથે સાથે જ હાથ અને પગ કમજોર થઈ જાય છે.

જીભ

જ્યારે લોહીમાં બેડ કોલેસ્ટ્રોલ વધવા લાગે છે ત્યારે જીભમાં પણ સંકેત દેખાવા લાગે છે. બેડ કોલેસ્ટ્રોલ વધવાથી જીભ પર નાના નાના ચકામા નીકળે છે. જે ટીમે ટીમે મોટા થતાં જાય છે.

આંખો

કોલેસ્ટ્રોલ વધવાનો જોખમી સંકેત આંખોની નીચે પણ દેખાય છે. આંખોની નીચે સ્કિન ઉભરી આવે છે. આનાથી પફીનેસની જેમ દેખાય છે.જેમાં આઈલીડ ફેટ જમા થવા લાગે છે જે પીળુ દેખાય છે. અમુક લોકો ભૂલથી આને આંખોની ખરાબી કે સ્કિનની તકલીફ માની લે છે પરંતુ આ વધેલા કોલેસ્ટ્રોલનો સંકેત છે. આનાથી આંખોની રોશની પણ કમજોર થવા લાગે છે.

નખ

બેડ કોલેસ્ટ્રોલના કારણે નખનો રંગ બદલાઈ જાય છે. વધુ કોલેસ્ટ્રોલના કારણે નખની વચ્ચેવાળો ભાગ વહેંચાવા લાગે છે કે ફાટવા લાગે છે. જેના કારણે નખમાં ડાર્ક લાઈન બનવા લાગે છે, નખ પાતળા અને ભૂરા રંગના થવા લાગે છે.

સ્કિન

કોલેસ્ટ્રોલ વધવાથી નસોમાં ઓક્સિજનનો સપ્લાય ઘટવા લાગે છે. તેથી સ્કિન પર ચકામા દેખાવા લાગે છે. આ શરીરના કોઈ પણ ભાગમાં થઈ શકે છે.

Read the Next Article

ડેન્ગ્યુની પહેલી સ્વદેશી રસી: ક્યારે આવશે અને કેટલી અસરકારક રહેશે?

ભારતમાં ડેન્ગ્યુ માટે પહેલી સ્વદેશી રસી આગામી બે વર્ષમાં તૈયાર થઈ શકે છે. એવી અપેક્ષા છે કે તેના આગમન પછી, ડેન્ગ્યુથી થતા મૃત્યુમાં મોટો ઘટાડો થઈ શકે છે.

New Update
dengue

ભારતમાં ડેન્ગ્યુ માટે પહેલી સ્વદેશી રસી આગામી બે વર્ષમાં તૈયાર થઈ શકે છે. એવી અપેક્ષા છે કે તેના આગમન પછી, ડેન્ગ્યુથી થતા મૃત્યુમાં મોટો ઘટાડો થઈ શકે છે.

ICMR અને એક ભારતીય કંપની દ્વારા તૈયાર કરવામાં આવી રહેલી આ રસી હાલમાં ક્લિનિકલ ટ્રાયલ તબક્કામાં છે. એવું માનવામાં આવે છે કે આ રસી ડેન્ગ્યુ સામે એક નવું સ્વદેશી શસ્ત્ર સાબિત થશે.

ભારત ડેન્ગ્યુ સામેના યુદ્ધમાં એક નવો અધ્યાય લખવા જઈ રહ્યું છે. દર વર્ષે સેંકડો લોકોના મૃત્યુ માટે જવાબદાર ડેન્ગ્યુનો અંત ખૂબ નજીક છે. મચ્છરોના કારણે ફેલાતા ડેન્ગ્યુ સામે દેશની પ્રથમ સ્વદેશી રસી તૈયાર કરવાની પ્રક્રિયા ઝડપથી આગળ વધી રહી છે. ઇન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ એટલે કે ICMR અને એક ભારતીય કંપની દ્વારા તૈયાર કરવામાં આવી રહેલી આ રસીના ક્લિનિકલ ટ્રાયલ ચાલી રહ્યા છે.

વરસાદની ઋતુ દરમિયાન દર વર્ષે હજારો લોકોની બીમારી અને સેંકડો લોકોના મૃત્યુનું કારણ ડેન્ગ્યુ બને છે. તેની સામે લડવા માટે દેશની પ્રથમ સ્વદેશી રસી તૈયાર કરવાના પ્રયાસો ચાલુ છે. ઇન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ (ICMR) અને એક ભારતીય કંપની દ્વારા તૈયાર કરવામાં આવી રહેલી આ રસીના ક્લિનિકલ ટ્રાયલ ચાલી રહ્યા છે. એવું માનવામાં આવે છે કે આ રસી આગામી બે વર્ષમાં તૈયાર થઈ શકે છે. એટલે કે, વર્ષ 2027 ના અંત સુધીમાં, તેને વેક્સિન ડ્રગ રેગ્યુલેટરની મંજૂરી માટે મોકલી શકાય છે અને તે પછી જ તે સામાન્ય લોકો માટે ઉપલબ્ધ થશે.

આરોગ્ય નિષ્ણાત ડૉ. સમીર ભાટીના મતે, આ એક ટેટ્રાવેલ રસી હશે, એટલે કે, તે ડેન્ગ્યુના ચારેય સેરોટાઇપ્સ સામે કામ કરશે. ડૉ. સમીર ભાટી કહે છે કે બજારમાં આ રસીના આગમન પછી, ડેન્ગ્યુથી થતા મૃત્યુની સંખ્યામાં 80 થી 90 ટકાનો ઘટાડો થઈ શકે છે.

ડેન્ગ્યુ રસીના આગમન પછી, ડેન્ગ્યુથી થતા મૃત્યુના કેસોમાં અને રોગની ગંભીરતામાં ઘટાડો થઈ શકે છે. આ રસીનો હેતુ શરીરની રોગપ્રતિકારક શક્તિને મજબૂત બનાવવાનો છે. જેથી ડેન્ગ્યુનો ચેપ ગંભીર સ્વરૂપ ન લે અને દર્દીનો જીવ બચાવી શકાય. જોકે કોઈ પણ રસી રોગથી સંપૂર્ણ રક્ષણની ખાતરી આપતી નથી, પરંતુ રોગપ્રતિકારક શક્તિને મજબૂત બનાવીને જોખમ ઘણી હદ સુધી ઘટાડી શકાશે.

આ રસી આત્મનિર્ભર ભારત તરફ એક અભૂતપૂર્વ પગલું સાબિત થશે. આ રસી સંપૂર્ણપણે સ્વદેશી છે, એટલે કે, આ રસી ભારતમાં જ વિકસાવવામાં આવી છે અને તેનું પરીક્ષણ કરવામાં આવ્યું છે. આ રસી ડેન્ગ્યુના ચારેય સેરોટાઇપ્સ સામે અસરકારક સાબિત થશે, જેને અત્યાર સુધી એક મોટો પડકાર માનવામાં આવે છે.

ડેન્ગ્યુ એક ખૂબ જ ગંભીર અને જીવલેણ રોગ છે. રસી આવ્યા પછી, આ રોગ ગંભીર બનવાનું કે મૃત્યુ થવાનું જોખમ ઘણી હદ સુધી ઘટી જશે. બાળકો, વૃદ્ધો અને નબળી રોગપ્રતિકારક શક્તિ ધરાવતા લોકોને તેના ઉપયોગથી વધુ ફાયદો થશે. જોકે, રસી આવ્યા પછી પણ, મચ્છર નિયંત્રણ અને સ્વચ્છતાની જરૂર પડશે, કારણ કે કોઈ પણ રસી રોગથી રક્ષણની 100 ટકા ગેરંટી આપી શકતી નથી.

Dengue Dieses | Health News | Vaccine