Connect Gujarat
Featured

દેશમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા 1.20 લાખ કેસ નોંધાયા, 3380 સંક્રમિતોના મોત

દેશમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા 1.20 લાખ કેસ નોંધાયા, 3380 સંક્રમિતોના મોત
X

કોરોના સંક્રમણના નવા કેસોમાં ઘટાડો થયો છે, પરંતુ મોતની સંખ્યામાં સતત વધારો થઈ રહ્યો છે. આરોગ્ય મંત્રાલયના માહિતી અનુસાર છેલ્લા 24 કલાકમાં 1 લાખ 20 હજાર 529 નવા કોરોના કેસ આવ્યા છે અને 3380 ચેપગ્રસ્ત લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જ્યારે 1 લાખ 97 હજાર 894 લોકો પણ કોરોનાથી સાજા થયા છે. એટલે કે, છેલ્લા દિવસે 80,745 એક્ટિવ કેસ ઘટ્યા છે. અગાઉ, 6 એપ્રિલ (1.15 લાખ)ના રોજ ઓછા કોરોના કેસ નોંધાયા હતા.

આજે દેશમાં સતત 23મા દિવસે કોરોના વાયરસના નવા કેસો કરતાં વધુ રિકવરી મળી છે. 4 જૂન સુધીમાં દેશભરમાં 22 કરોડ 78 લાખ 60 હજાર ડોઝ કોરોના રસી આપવામાં આવી છે. છેલ્લા દિવસે 36 લાખ 50 હજાર રસી આપવામાં આવી હતી. જ્યારે અત્યાર સુધીમાં કુલ 36 કરોડ કોરોના ટેસ્ટ કરવામાં આવ્યા છે. છેલ્લા દિવસે 20 લાખ કોરોના ટેસ્ટ કરાયા હતા, જેનો પોઝિટિવિટી રેટ 6 ટકાથી વધુ છે.

દેશમાં કોરોનાના કુલ કેસની સંખ્યા બે કરોડ 86 લાખ 94 હજાર 879 છે જ્યારે અત્યારે સુધી કુલ બે કરોડ 67 લાખ 95 હજાર 549 લોકો સાજા થયા છે. દેશમાં કુલ એક્ટિવ કેસ 15 લાખ 55 હજાર 248 છે જ્યારે અત્યાર સુધી કુલ 3 લાખ 44 હજાર 22 લોકોનું કોરોનાથી મોત થયું છે.

Next Story