આંધ્રપ્રદેશમાં ભગવાન તિરૂપતિના પ્રસાદમાં જાનવરોની ચરબીનો ઉપયોગના આક્ષેપથી ખળભળાટ

આંધ્રપ્રદેશમાં ભગવાન તિરુપતિના પ્રસાદને લઇને મુખ્યમંત્રી ચંદ્રબાબુ નાયડુએ આરોપ મૂક્યો છે કે વિતેલી સરકારે  ભગવાન તિરુપતિના પ્રસાદના લાડુ તૈયાર કરવામાં જાનવરોની ચરબીનો ઉપયોગ કર્યો હતો.

New Update
a

આંધ્રપ્રદેશમાં ભગવાન તિરુપતિના પ્રસાદને લઇને મુખ્યમંત્રી ચંદ્રબાબુ નાયડુએ આરોપ મૂક્યો છે કે વિતેલી સરકારે  ભગવાન તિરુપતિના પ્રસાદના લાડુ તૈયાર કરવામાં જાનવરોની ચરબીનો ઉપયોગ કર્યો હતો.

ચંદ્રબાબુએ અમરાવતીમાં એનડીએ વિધાયક દળની બેઠકમાં તિરુમાલા લાડુ પ્રસાદ ઉતરતી ગુણવત્તાવાળી સામગ્રીથી બનાવ્યો હોવાનો ઉલ્લેખ કર્યો હતો. જો કે હવે શુદ્ધ ઘીનો ઉપયોગ કરવામાં આવે છે એટલું જ નહીં મંદિરમાં તમામ ચીજોની સ્વચ્છતા પર ધ્યાન આપવામાં આવે છે. 

ટીડીપી નેતાના જણાવ્યા અનુસાર લેબના રિપોર્ટ મુજબ પ્રસાદ તૈયાર કરવા માટે વપરાયેલા ઘીમાં જાનવરોની ચરબી અને  માછલીના તેલનો ઉપયોગ થયો હતો. લેબના રિપોર્ટના આધારે ચંદ્રબાબુ નાયડુના આરોપોથી ખળભળાટ મચી ગયો છે. પ્રસાદમાં જાનવરોની ચરબી અને માછલીનું  તેલ હોવા અંગે ટીડીપી પ્રવક્તા અનમ વેંકટ રમન રેડ્ડીએ પણ પ્રતિક્રિયા આપી હતી.

એનડીડીબીના પરીક્ષણમાં મોકલવામાં આવેલા નમૂનાના આધારે સાબીત થયું હોવાનું જાણવા મળે છે. આ અંગેનો એક રિપોર્ટ સોશિયલ મીડિયામાં વાયરલ થઇ રહ્યો છે. ભગવાનને દિવસમાં ત્રણ વાર ચઢાવવામાં આવતા પ્રસાદમાં આ ઘીનો ઉપયોગ થતો હતો. આંધ્રપ્રદેશના મુખ્યમંત્રીના આરોપોને ગંભીરતાથી લઇને હિન્દુ સંગઠનોએ આ બાબતને હિન્દુ ધર્મનું અપમાન ગણાવ્યું છે. ગત સરકારના ઘોર હિન્દુ વિરોધી કથિત કૃત્યને વખોડી કાઢયું છે. સરકાર આ હદે જશે એવું કયારેય વિચાર્યુ પણ ન હતું. 

મુખ્યમંત્રી ચંદ્રબાબુ નાયડુએ જે મુદ્વો ઉઠાવ્યો છે તે ખૂબ જ ગંભીર છે.  જો કે જગન મોહન રેડ્ડીના નેતૃત્વ હેઠળની પૂર્વ સરકારે વર્તમાન સરકારના આરોપો ફગાવી દીધા છે. ચંદ્રબાબુ નાયડુની સરકાર રાજકીય લાભ માટે ખોટો પ્રચાર કરી રહી છે. આંધ્રપ્રદેશ કોંગ્રેસે કમિટીની અધ્યક્ષ વાયએસ શર્મિલાએ સીબીઆઇ તપાસ કરાવવાની માંગ કરી છે. સીએમ નાયડુના બયાનને કરોડો હિન્દુઓની ભાવનાને ઠેસ પહોંચાડનારુ ગણાવ્યું છે. આ અંગે ઉચ્ચ તપાસ સમિતિની રચના કરવાની માંગ કરવામાં આવી છે. 

Latest Stories