Connect Gujarat
દેશ

ઓમિક્રોનની દહેશત વચ્ચે દેશમાં 24 કલાકમાં કોરોનના નવા 9, 216 કેસનોંધાયા

દેશમાં ભલે કોરોના સંક્રમણના મામલા હાલમાં વધારે નથી. પરંતુ નવા કેસોની સંખ્યા રિકવર થનારા લોકોથી વધારે હોવાના કારણે ચિંતા વધી છે.

ઓમિક્રોનની દહેશત વચ્ચે દેશમાં 24 કલાકમાં કોરોનના નવા 9, 216 કેસનોંધાયા
X

દેશમાં ભલે કોરોના સંક્રમણના મામલા હાલમાં વધારે નથી. પરંતુ નવા કેસોની સંખ્યા રિકવર થનારા લોકોથી વધારે હોવાના કારણે ચિંતા વધી છે. શુક્રવારે સતત બીજા દિવસે રિકવર થનારા લોકોથી વધારે નવા કેસ આવ્યા છે. ગત એક દિવસમાં 9, 216 લોકો કોરોનાથી સંક્રમિત થયા છે. જ્યારે રિકવર થનારા આંકડામાં 8612 રહી ગયા છે. આ સાથે એક વાર ફરી એક્ટિવ કેસની સંખ્યા 1 લાખને પાર પહોંચી ગઈ છે.

હાલમાં દેશમાં કોરોનાના સંક્રિય મામલામાં સંખ્યા 99, 976 છે. જે આવનારા દિવસોમાં એક લાખને પાર પહોંચી શકે છે. જો કે હજું પણ રાહતની વાત એ છે કે કુલ મામલાની સરખામણીએ એક્ટિવ કેસની ટકાવારી માત્ર 0.29 ટકા રહી છે. આ આંકડા માર્ચ 2020 બાદથી અત્યાર સુધી સૌથી ઓછી છે. આ ઉપરાંત ડેલી પોઝિટિવિટી રેટ 0.80 ટકા અને વીકલી પોઝિટિવિટી રેટ 0.84 પર્સેટ બનેલો છે. દેશમાં ગત કેટલાક મહિનાઓમાં તેજીથી રસીકરણ થયું છે. અને અત્યાર સુધીમાં કુલ 125.75 કરોડથી વધારે રસી લગાવી ચૂક્યા છે. મનાઈ રહ્યું છે કે આ ઉપરાંત કોરોનાની સ્પીડ રોકાઈ છે. પરંતુ હવે ઓમિક્રોન વેરિએન્ટનું સંકટ વધ્યું છે.

હાલમાં સ્ટડી કરવામાં આવી રહી છે કે વેરિએન્ટ રસીને માત આપી શકે છે કે નહીં. જો આ વેરિએન્ટ રસીને હરાવવા માટે સક્ષમ નથી તો પછી આ ભારત માટે મોટી રાહત હશે કેમ કે દેશમાં તેજીથી રસીકરણ ચાલી રહ્યું છે. આ દરમિયાન કર્ણાટકમાં 2 કેસ મળ્યા છે. તે બાદ દેશમાં એલર્ટની સ્થિતિ છે. આ બાદ ઈન્ટરનેશનલ એરપોર્ટ પર તપાસ તેજ કરી દેવામાં આવી છે. ઓમિક્રોનથી સંક્રમિત વ્યક્તિઓના સંપર્કમાં આવેલા 5 લોકો કોરોના પોઝિટિવ આવ્યા છે.

Next Story