CM ફડણવીસનો રાજ્યાભિષેક,નારાજ શિંદે અને અજિત પવારે લીધા ડે.સીએમ તરીકે શપથ

મુંબઈના આઝાદ મેદાનમાં આયોજિત ભવ્ય શપથ સમારોહમાં રાજ્યપાલ સી.પી રાધાકૃષ્ણને ભાજપ ધારાસભ્ય દળના નેતા અને દિગ્ગજ નેતા દેવેન્દ્ર ફડણવીસને મુખ્યમંત્રી તરીકેના શપથ લેવડાવ્યા

New Update
Devendra Fadanvis Oath Ceremony

મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણી પરિણામો જાહેર થયા બાદ મુખ્યમંત્રીને લઈને ઉભી થયેલી ગૂંચવણનું કોકડું આખરે ઉકેલાઈ ગયું છે,અનેCMઅને બે ડેપ્યુટીCMરાજ્યને મળ્યા છે. રાજધાની મુંબઈના આઝાદ મેદાનમાં આયોજિત ભવ્ય શપથ સમારોહમાં રાજ્યપાલ સી.પી રાધાકૃષ્ણને ભાજપ ધારાસભ્ય દળના નેતા અને દિગ્ગજ નેતા દેવેન્દ્ર ફડણવીસને મુખ્યમંત્રી તરીકેના શપથ લેવડાવ્યા હતા.આ સાથે દેવેન્દ્ર ફડણવીસ ત્રીજી વાર રાજ્યના મુખ્યમંત્રી બન્યા છે.

ફડણવીસ બાદ એકનાથ શિંદેએ પણ ડેપ્યુટી સીએમના પદના શપથ લીધા હતા. શિંદે ઘણા દિવસથી નારાજ હતા કારણ કે તેમણે ગૃહ મંત્રાલય સાથે ડેપ્યુટી સીએમનો હોદ્દો માંગ્યો હતો. શિંદે બાદ અજિત પવારે પણ ડેપ્યુટી સીએમ તરીકે શપથ લીધા હતા.

ફડણવીસના શપથગ્રહણ સમારોહમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી,કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ,બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમાર,ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ,જે પી નડ્ડા સહિતના દિગ્ગજ નેતાઓ હાજર રહ્યા હતા.

આ શપથ સમારોહમાં શાહરુખ ખાન,સલમાન ખાન,સંજય દત્ત,સચિન તેંડુલકર સહિતના સેલિબ્રિટી પણ ઉપસ્થિત રહ્યા હતા.જયારે ઉદ્યોગપતિઓમાં મુકેશ અંબાણી,તેમના પત્ની નીતા અંબાણી અને કુમાર મંગલમ બિરલા હાજર રહ્યા હતા. ઉલ્લેખનીય છે કેNCPના સુપ્રીમો શરદ પવાર,ઉદ્ધવ ઠાકરે અને રાજ ઠાકરે ફડણવીસની શપથવિધિમાં હાજર રહ્યા નહોતા.

Read the Next Article

ચમોલીમાં ભારે વરસાદને કારણે 7 લોકો લાપતા, અનેક વિસ્તારોમાં વરસાદનુ એલર્ટ

જનપદના નંદા નગરમાં ભારે વરસાદને પગલે ઘણુ નુકસાન થયુ છે. ઠેર ઠેર પાણી ભરાયા છે, બીજી બાજુ કુંતરી ગામમાં અનેક ઘરો માટીના કાટમાળની ઝપેટમાં આવી ગયા છે.

New Update
CHAMOLI

ઉત્તરાખંડમાં વરસાદ કહેર બનીને તૂટી રહ્યો છે. જનપદ ચમોલીમાં હવામાન વિભાગે ભારે વરસાદની આગાહી આપી છે.જનપદના નંદા નગરમાં ભારે વરસાદને પગલે ઘણુ નુકસાન થયુ છે.

ઉત્તરાખંડમાં વરસાદ કહેર બનીને તૂટી રહ્યો છે. જનપદ ચમોલીમાં હવામાન વિભાગે ભારે વરસાદની આગાહી આપી છે.જનપદના નંદા નગરમાં ભારે વરસાદને પગલે ઘણુ નુકસાન થયુ છે. ઠેર ઠેર પાણી ભરાયા છે, બીજી બાજુ કુંતરી ગામમાં અનેક ઘરો માટીના કાટમાળની ઝપેટમાં આવી ગયા છે. આ ઘટનાને પગલે કેટલાંક લોકો લાપતા થયા છે.

મળતી માહિતી પ્રમાણે ઉત્તરાખંડના ચમોલીમાં ભારે વરસાદે કહેર વર્તાવ્યો છે. વરસાદને પગલે અનેક જગ્યાઓ પર માટી ધસવાના બનાવો બન્યા છે. તો બીજી તરફ જનપદના નંદા નગરમાં ભારે વરસાદને કારણે લોકોના જનજીવનને અસર પહોંચી છે. કુંતરી ગામમાં વરસાદને કારણે કાટમાળમાં અનેક લોકો દટાયા છે. લાપતા લોકોને શોધવા માટે સ્થળ પર નંદાનગર પોલીસ અને પ્રશાસન ટીમ પહોંચવાનો પ્રયાસ કરી રહી છે. હાલત એટલી ભયાવહ છે કે ત્યાં સુધી પહોંચવા માટે પ્રશાસન અને પોલીસની ટીમને અનેક પડકારોનો સામનો કરવો પડી રહ્યો છે.

ઘટનામાં 7 લોકો લાપતા

આ ઘટના અંગે સ્થાનિક લોકોનુ કહેવુ છે કે કેટલાંક લોકો ઘરમાં ફસાયા છે તો કેટલાક લોકો લાપતા પણ છે. ચમોલીમાં પ્રારંભિક સૂચના અનુસાર નગર પંચાયત નંદાનગરના વોર્ડ કુતિંર લગાફાલીમાં ભારે વરસાદને કારણે કાટમાળ ધસતા 6 મકાન ઝપેટમાં આવ્યા છે. મળતી માહિતી પ્રમાણે આ ઘટનામાં 7 લોકો લાપતા થયા છે તો 2 લોકોને બચાવી લેવામાં આવ્યા છે. મંગળવારે પણ રાજધાની દેહરાદૂન સહિત અનેક વિસ્તારોમાં વાદળ ફટવાને કારણે ભારે વરસાદે તબાહી મચાવી હતી. રાજ્યના વિવિધ ભાગોમાં પૂરના કારણે નદીઓ, ઇમારતો, રસ્તાઓ અને પુલો ધોવાઈ ગયા, જેના કારણે 15 લોકો માર્યા ગયા, 16 ગુમ થયા અને લગભગ 900 લોકો ફસાયા.