આસામમાં બહુપત્નીત્વ પર પ્રતિબંધ મુકવાની તૈયારીમાં છે સરમા સરકાર, વાંચો આ અંગે ભારતમાં શું છે નિયમો..!
રાજ્યમાં બહુપત્નીત્વની પ્રથાને સમાપ્ત કરવાનો પ્રયાસ કરશે જેથી દરેકને સમાન નાગરિક અધિકાર મળી શકે.
આસામના સીએમ હિમંતા બિસ્વા સરમા રાજ્યમાં બહુપત્નીત્વ પર પ્રતિબંધ મૂકવાની તૈયારી કરી રહ્યા છે. આ અંગે એક વિશેષ સમિતિની પણ રચના કરવામાં આવી છે, જે તપાસ કરશે કે, રાજ્ય સરકારને આ અંગેના નિયમો બનાવવાની સત્તા છે કે કેમ.! આસામ સરકાર બહુપત્નીત્વ પર પ્રતિબંધ મુકવાની તૈયારી કરી રહી છે. રાજ્યના સીએમ હિમંતા બિસ્વા સરમાએ આ વાતની જાહેરાત કરી છે. હકીકતમાં, એક સભાને સંબોધિત કરતી વખતે, તેમણે કહ્યું હતું કે તેઓ રાજ્યમાં બહુપત્નીત્વની પ્રથાને સમાપ્ત કરવાનો પ્રયાસ કરશે જેથી દરેકને સમાન નાગરિક અધિકાર મળી શકે.
સીએમ સરમાએ કહ્યું કે, રાજ્યએ આ પ્રથાને પ્રતિબંધિત કરવા માટે એક સમિતિની રચના કરી છે, જે શોધી કાઢશે કે રાજ્ય સરકાર પાસે બહુપત્નીત્વ પર પ્રતિબંધ મુકવાની સત્તા છે કે કેમ. આ માટે મુખ્યમંત્રીએ ટ્વીટ પણ શેર કરી હતી. આ સમાચારમાં અમે તમને જણાવીશું કે, બહુપત્નીત્વ શું છે, તેના સંબંધમાં ભારતમાં શું કાયદો છે, અને તેના કેટલા પ્રકાર છે. બહુપત્નીત્વ શબ્દ ગ્રીક પોલુગા મિઆન પરથી આવ્યો છે, જેનો અર્થ થાય છે 'ઘણા લગ્ન'. બહુપત્નીત્વ એ પુરુષ અથવા સ્ત્રી માટે એક કરતાં વધુ લગ્નની પ્રથા છે. સમાજશાસ્ત્ર અનુસાર, જો કોઈ પુરુષ એક જ સમયે એક કરતાં વધુ સ્ત્રીઓ સાથે લગ્ન કરે તો તેને બહુપત્નીત્વ કહેવાય છે. તો બીજી બાજુ, જો કોઈ સ્ત્રી એક સમયે એક કરતાં વધુ પુરુષો સાથે લગ્ન કરે છે, તો તેને બહુપત્ની કહેવામાં આવે છે.
IPCની કલમ 494 હેઠળ એક કરતાં વધુ લગ્ન એટલે કે, બહુપત્નીત્વ કરવું ગુનો છે. જો કોઈનો પહેલો પતિ કે, પત્ની જીવિત હોય, તો તે ફરીથી લગ્ન કરી શકતા નથી. જો પ્રથમ પતિ કે, પત્ની જીવિત હોય ત્યારે બીજા લગ્ન થાય તો તે માન્ય ગણવામાં આવતું નથી. આમ કરવા બદલ તેને જેલની સજા પણ થઈ શકે છે. દેશના કાયદા મુજબ જો કોઈ બહુપત્નીત્વ કરે તો તેને ગુનો ગણવામાં આવે છે. આમાં દોષિતોને વધુમાં વધુ સાત વર્ષની સજા થઈ શકે છે. તેમજ દોષિતો પર દંડ પણ થઈ શકે છે. જોકે, જો કોર્ટ દ્વારા પ્રથમ લગ્નને અમાન્ય જાહેર કરવામાં આવે છે, તો પછી બીજા લગ્નને દોષિત કહેવામાં આવતું નથી. સરળ શબ્દોમાં કહીએ તો, બાળ લગ્નના કિસ્સામાં પ્રથમ લગ્નને અમાન્ય જાહેર કરવામાં આવે છે.
વધુમાં, જો પતિ કે પત્ની 7 વર્ષથી અલગ રહેતા હોય તો પણ આ કાયદો લાગુ પડતો નથી. જો પતિ અથવા પત્ની ગુમ રહે છે, અથવા 7 વર્ષ સુધી સાથે રહેતા નથી, તો પતિ અથવા પત્ની અન્ય કોઈ સાથે લગ્ન કરી શકે છે. કાયદા પ્રમાણે જો પહેલી પત્ની પરવાનગી આપે તો જ બીજા લગ્ન કરી શકાય છે, પરંતુ વારંવાર એવી ફરિયાદો મળે છે કે, પુરુષ બીજા લગ્ન માટે પત્નીની પરવાનગી લેતો નથી. આ કારણોસર તે મહિલાઓ ખૂબ જ અપમાનિત અનુભવે છે. આ ઉપરાંત એવી પણ ફરિયાદ છે કે, પુનઃ લગ્ન કર્યા બાદ પતિ તેની પ્રથમ પત્ની અને તેનાથી જન્મેલા બાળકો તરફ ધ્યાન આપતો નથી અને તે બાળકોના ઉછેરનો બોજ માત્ર મહિલાના ખભા પર છોડી દે છે. મજબૂર, અંતે મહિલાઓએ કાનૂની સહારો લેવો પડે છે.
સુપ્રીમ કોર્ટમાં આ મામલે છેલ્લી સુનાવણી 23 માર્ચ 2023ના રોજ થઈ હતી. સુનાવણી દરમિયાન કોર્ટે કહ્યું હતું કે, 5 જજોની નવી બંધારણીય બેચની રચના કરવામાં આવશે. જેમાં CJI D.Y. ચંદ્રચુડ, જસ્ટિસ હિમા કોહલી અને જસ્ટિસ જે.બી.પારડીવાલાની ખંડપીઠ તરફથી એડવોકેટ અશ્વિની ઉપાધ્યાયે આ મુદ્દે નવી બંધારણીય બેચની રચના કરવાની વિનંતી કરી હતી.