/connect-gujarat/media/media_files/2026/01/02/odisha-bike-accident-2026-01-02-18-03-39.jpg)
ઓડિશાના મયુરભંજ જિલ્લાના રાયરંગપુરમાં નેશનલ હાઇવે 220 પર થયેલા એક દુ:ખદ માર્ગ અકસ્માતમાં 3 યુવાનોના ઘટનાસ્થળે જ મોત થયા હતા. મળતી માહિતી અનુસાર, ઓડિશાના મયુરભંજ જિલ્લાના રાયરંગપુર ટાઉન પોલીસ સ્ટેશન વિસ્તારમાં રાની ડેમ નજીક નેશનલ હાઇવે 220 પર બસ અને મોટરસાયકલ સામસામે અથડાઈ હતી.
આ ભયાનક માર્ગ અકસ્માતમાં 3 યુવાનોના ઘટનાસ્થળે જ મોત થયા હતા. "શ્રી દુર્ગા" નામની બસ રાયરંગપુરથી જશીપુર જઈ રહી હતી, જ્યારે 3 યુવાનો ખૂબ જ ઝડપે વિરુદ્ધ દિશામાંથી આવી રહેલા ટ્રકને ઓવરટેક કરવાનો પ્રયાસ કરી રહ્યા હતા. જોકે, બાઇકચાલકે ઓવરટેક કરતી વખતે કાબુ ગુમાવ્યો, અને મોટરસાયકલ સીધી સામેથી આવતી બસ સાથે અથડાઈ.
આ અકસ્માત એટલો ગંભીર હતો કે, ત્રણેય યુવાનો રસ્તા પર પટકાયા હતા, અને ત્રણેય યુવાનો તેમની મોટરસાઇકલ સાથે બસ નીચે ફસાઈને કચડાઈ ગયા હતા. માહિતી મળતા જ રાયરંગપુર ટાઉન પોલીસ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે ખસેડ્યા હતા. અત્રે ઉલ્લેખનીય છે, ત્રણેય મૃતક યુવાનોની ઓળખ થઈ નથી. તો બીજી તરફ, પોલીસે ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરી છે.