લાલુ યાદવની પુત્રી મીસા ભારતીએ કહ્યું, અમારી સરકાર આવશે તો મોદી જેલમાં હશે
BY Connect Gujarat Desk12 April 2024 3:19 AM GMT
X
Connect Gujarat Desk12 April 2024 3:19 AM GMT
આરજેડી સુપ્રીમો લાલુ યાદવની પુત્રી મીસા ભારતીએ ગુરુવારે (11 એપ્રિલ) કહ્યું - જો અમને જનતાના આશીર્વાદ મળશે અને અમારી સરકાર આવશે, તો પીએમ મોદી સહિત ભાજપના ઘણા નેતાઓ જેલમાં હશે. તેના પર ડેપ્યુટી સીએમ વિજય સિન્હાએ કહ્યું- કોણ જેલમાં છે, કોણ જામીન પર છે અને કોણ જેલમાં જશે, દરેકનો હિસાબ ચૂંટણી પછી થશે.
મીસા ભારતી પાટલીપુત્ર લોકસભા સીટથી આરજેડીની ટિકિટ પર ચૂંટણી લડી રહી છે. પીએમ મોદીના જેલ જવા અંગે તેઓ બે વખત નિવેદન આપી ચૂક્યા છે. એક ન્યૂઝ ચેનલને આપેલા ઈન્ટરવ્યુમાં તેમણે પહેલીવાર આ નિવેદન આપ્યું હતું. આ સાથે જ તેમણે ચૂંટણી રેલી દરમિયાન બીજી વખત આ વાત કહી.
Next Story