Connect Gujarat
દેશ

PMએ કર્ણાટકમાં કહ્યું- કોંગ્રેસ મોદીની કબર ખોદવામાં વ્યસ્ત, હું એક્સપ્રેસ વેના ઉદ્ઘાટનમાં વ્યસ્ત છું

PM નરેન્દ્ર મોદી આજે કર્ણાટકના પ્રવાસે છે. પીએમ કર્ણાટકના માંડ્યા પહોંચ્યા કે તરત જ રોડ શો દરમિયાન તેમનું ફૂલોથી સ્વાગત કરવામાં આવ્યું.

PMએ કર્ણાટકમાં કહ્યું- કોંગ્રેસ મોદીની કબર ખોદવામાં વ્યસ્ત, હું એક્સપ્રેસ વેના ઉદ્ઘાટનમાં વ્યસ્ત છું
X

વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે કર્ણાટકના પ્રવાસે છે. પીએમ કર્ણાટકના માંડ્યા પહોંચ્યા કે તરત જ રોડ શો દરમિયાન તેમનું ફૂલોથી સ્વાગત કરવામાં આવ્યું. ત્યારબાદ પીએમએ બેંગલુરુ-મૈસુર એક્સપ્રેસ વે રાષ્ટ્રને સમર્પિત કર્યો. આ એક્સપ્રેસ વે 118 કિલોમીટર લાંબો છે જેને કુલ 8,480 કરોડ રૂપિયાના ખર્ચે વિકસાવવામાં આવ્યો છે.

એક્સપ્રેસ વેનું ઉદ્ઘાટન કર્યા બાદ પીએમએ કોંગ્રેસ પાર્ટી પર આકરા પ્રહારો કર્યા હતા. તેમણે કહ્યું કે કોંગ્રેસના નેતાઓ મારી કબર ખોદવાના સપના જોવામાં વ્યસ્ત છે, પરંતુ હું એક્સપ્રેસ વેનું ઉદ્ઘાટન કરવામાં અને દેશના ગરીબ લોકો માટે કામ કરવામાં વ્યસ્ત છું. ઉદ્ઘાટન સમારોહને સંબોધિત કરતા પીએમએ કહ્યું કે સાગરમાલા અને ભારતમાલા જેવી યોજનાઓથી આજે કર્ણાટક અને દેશ બદલાઈ રહ્યો છે. જ્યારે વિશ્વ કોવિડ સાથે ઝઝૂમી રહ્યું હતું, ત્યારે ભારતે તેના ઇન્ફ્રાસ્ટ્રક્ચર બજેટમાં અનેકગણો વધારો કરીને એક મોટો સંદેશ આપ્યો. પીએમએ વધુમાં કહ્યું કે વર્ષ 2014 પહેલા કોંગ્રેસ સરકારે માત્ર ગરીબ પરિવારોને બરબાદ કરવાનું કામ કર્યું હતું અને તેમના વિકાસના પૈસા લૂંટ્યા હતા.

Next Story