વડાપ્રધાન મોદીએ જમ્મુ કાશ્મીરના ગાંદરબલમાં Z-Morh ટનલનું કર્યું ઉદ્ઘાટન

શ્રીનગર-લેહ હાઈવે NH-1 પર બનેલી 6.4 કિલોમીટર લાંબી ડબલ લેન ટનલ શ્રીનગરને સોનમર્ગથી જોડશે. હિમવર્ષાના કારણે આ હાઈવે 6 મહિના સુધી બંધ રહે છે. ટનલ બનવાથી લોકોને દરેક હવામાનમાં કનેક્ટિવિટી મળશે.

New Update
a

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જમ્મુ-કાશ્મીરના ગાંદરબલમાંZ-Morh ટનલનું ઉદ્ઘાટન કર્યું હતું.

શ્રીનગર-લેહ હાઈવે NH-1 પર બનેલી 6.4 કિલોમીટર લાંબી ડબલ લેન ટનલ શ્રીનગરને સોનમર્ગથી જોડશે. હિમવર્ષાના કારણે આ હાઈવે 6 મહિના સુધી બંધ રહે છે. ટનલ બનવાથી લોકોને દરેક હવામાનમાં કનેક્ટિવિટી મળશે.

અગાઉ શ્રીનગર-લેહ હાઇવે પર ગગનગીરથી સોનમર્ગ વચ્ચે1 કલાકથી વધુ સમય લાગતો હતો. આ ટનલના કારણે હવે આ અંતર 15 મિનિટમાં કાપી શકાશે. આ ઉપરાંત વાહનોની સ્પીડ પણ 30 કિમી પ્રતિ કલાકથી વધીને 70 કિમી પ્રતિ કલાક થઈ જશે. અગાઉ આ દુર્ગમ પહાડી વિસ્તારને પાર કરવામાં 3 થી 4 કલાકનો સમય લાગતો હતો. હવે માત્ર 45 મિનિટમાં આ અંતર પુરુ થશે. ટનલનું ઉદ્ઘાટન કરતા પીએમએ કહ્યું- જમ્મુ-કાશ્મીરના લદ્દાખની બીજી ઘણી જૂની માંગ આજે પૂરી થઈ છે. તમે ચોક્કસ માની શકો છો કે આ મોદી છેજે વચન આપે છે તેને પાળે પણ છે. દરેક કામ માટે એક સમય હોય છે અને યોગ્ય કામ યોગ્ય સમયે થવાનું હોય છે.

Read the Next Article

ભારત હવે ડિજિટલ ચુકવણીના મામલે સમગ્ર વિશ્વમાં સૌથી આગળ, દર મહિને 18 અબજથી વધુ થયા વ્યવહારો

ભારત હવે ડિજિટલ ચુકવણીના મામલે સમગ્ર વિશ્વમાં સૌથી આગળ છે. આંતરરાષ્ટ્રીય નાણાકીય ભંડોળ (IMF) ના નવા અહેવાલ 'રિટેલ ડિજિટલ પેમેન્ટ્સ ગ્રોઇંગ ટ્રેન્ડ:

New Update
upi

ભારત હવે ડિજિટલ ચુકવણીના મામલે સમગ્ર વિશ્વમાં સૌથી આગળ છે. આંતરરાષ્ટ્રીય નાણાકીય ભંડોળ (IMF) ના નવા અહેવાલ 'રિટેલ ડિજિટલ પેમેન્ટ્સ ગ્રોઇંગ ટ્રેન્ડ: ઈમ્પોર્ટન્ટ્સ ઓફ ઇન્ટરઓપરેબિલિટી' અનુસાર, ભારતનું યુનિફાઇડ પેમેન્ટ્સ ઇન્ટરફેસ (UPI) આ ક્રાંતિનો મુખ્ય આધાર છે.

UPI એ લેવડ-દેવડની રીત બદલી નાખી

નેશનલ પેમેન્ટ્સ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા (NPCI) દ્વારા 2016 માં લોન્ચ કરાયેલ, UPI આજે ભારતમાં પૈસા મોકલવા અને પ્રાપ્ત કરવાનો સૌથી ઝડપી, સરળ અને સૌથી વિશ્વસનીય માર્ગ બની ગયો છે. UPI દ્વારા બહુવિધ બેંક ખાતાઓને એક જ મોબાઇલ એપ્લિકેશન સાથે લિંક કરી શકાય છે. તમે કોઈને પૈસા મોકલવા માંગતા હોય, દુકાનમાં ચૂકવણી કરવા માંગતા હોવ કે મિત્રોને પૈસા ટ્રાન્સફર કરવા માંગતા હોય - બધું ફક્ત  ક્લિક્સમાં થાય છે.

દર મહિને 18 અબજના ટ્રાન્ઝેક્શન

આજે, UPI દ્વારા ભારતમાં દર મહિને 18 અબજથી વધુ વ્યવહારો થઈ રહ્યા છે. જૂન 2025 માં જ UPI એ 18.39 અબજ વ્યવહારો દ્વારા 24.03 લાખ કરોડ રૂપિયાના ચુકવણીઓ પર પ્રક્રિયા કરી. ગયા વર્ષે જૂનમાં, આ આંકડો 13.88 અબજ ટ્રાન્ઝેક્શન હતો. એટલે કે, એક વર્ષમાં લગભગ 32 % નો વધારો નોંધાયો છે.

49.1 કરોડ લોકો, 65 લાખ વેપારીઓ જોડાયા

આજે, 491મિલિયન લોકો અને 65 લાખ વેપારીઓ UPI સાથે જોડાયેલા છે. 675 બેંકો UPI પર એક સાથે કામ કરે છે, જેથી કોઈપણ વ્યક્તિ કોઈપણ બેંકથી  ચિંતા કર્યા વિના કોઈપણને  બેંકમાં ચુકવણી કરી શકે.