/connect-gujarat/media/media_files/2025/05/06/KXx9zCOXxXNwUUlpPNeq.jpg)
પહેલગામ આતંકવાદી હુમલા બાદ ભારત અને પાકિસ્તાન વચ્ચે તણાવ ઘણો વધી ગયો છે. યુદ્ધના ભય વચ્ચે, ભારતીય વાયુસેના ભારત-પાકિસ્તાન સરહદના દક્ષિણ ભાગમાં મોટા પાયે હવાઈ હુમલાઓનો અભ્યાસ કરશે. બુધવારે અને ગુરુવારે હવાઈ એર અભ્યાસ યોજવાની જાહેરાત કરી છે.
બુધવારે રાત્રે 9:30 વાગ્યે શરૂ થશે
માહિતી અનુસાર, ભારતે ભારત-પાકિસ્તાન સરહદના દક્ષિણ ભાગમાં 7 અને 8 મેના રોજ યોજાનારી મોટા પાયે હવાઈ અભ્યાસ માટે NOTAM એટલે કે નોટિસ ટૂ એર મિશન સિસ્ટમ જાહેર કર્યું છે. આ યુદ્ધાભ્યાસ ભારતના નિયમિત કવાયતોનો એક ભાગ છે, જેમાં ભારતીય વાયુસેના (IAF) રાજસ્થાનમાં આંતરરાષ્ટ્રીય સરહદ પર યુદ્ધાભ્યાસ કરશે. NOTAM મુજબ, આ હવાઈ કાર્યવાહી 7 મેના રોજ રાત્રે 9:30 વાગ્યે શરૂ થશે અને 8 મેના રોજ સવારે 3:00 વાગ્યા સુધી ચાલુ રહેશે. અસરગ્રસ્ત વિસ્તારોમાં કોઈપણ વિમાન કે ડ્રોન ઉડાડવા પર પ્રતિબંધ રહેશે.