પીએમ નરેન્દ્ર મોદીનું એકાઉન્ટ હેક થયા બાદ ટ્વિટરનું નિવેદન
વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું ટ્વિટર એકાઉન્ટ હેક થયા બાદ ટ્વિટરે નિવેદન જાહેર કર્યું છે
BY Connect Gujarat12 Dec 2021 4:53 AM GMT
X
Connect Gujarat12 Dec 2021 4:53 AM GMT
વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું ટ્વિટર એકાઉન્ટ હેક થયા બાદ ટ્વિટરે નિવેદન જાહેર કર્યું છે. ટ્વિટરે કહ્યું છે કે પીએમ મોદીના એકાઉન્ટમાં ભંગની માહિતી મળતા જ અમે તરત જ સક્રિય થઈ ગયા. ટ્વિટર ઈન્ડિયાએ એક નિવેદન જારી કરીને કહ્યું છે કે અમારી અત્યાર સુધીની તપાસમાં જાણવા મળ્યું છે કે અત્યાર સુધી અન્ય કોઈ એકાઉન્ટને અસર થવાના કોઈ સંકેત મળ્યા નથી.
ટ્વિટરના પ્રવક્તાએ કહ્યું કે અમારી પાસે વડાપ્રધાન કાર્યાલય સાથે વાતચીત માટે 24X7 લાઇન ખુલ્લી છે. આ હેકિંગ પ્રવૃત્તિ વિશે અમને જાણ થતાં જ અમારી ટીમે અસરગ્રસ્ત એકાઉન્ટને સુરક્ષિત કરવા માટે તાત્કાલિક જરૂરી પગલાં લીધાં. ટ્વિટરની આંતરિક તપાસમાં જાણવા મળ્યું છે કે પીએમ મોદીના એકાઉન્ટમાં ભંગ ટ્વિટરની સિસ્ટમમાં કોઈ ખામીને કારણે થયો ન હતો.
Next Story