Connect Gujarat
દેશ

ઉત્તરપ્રદેશ : ભાજપના નવનિયુક્ત પ્રદેશ અધ્યક્ષ ભૂપેન્દ્ર ચૌધરી આપશે મંત્રી પદેથી રાજીનામું, કારણ બન્યો પક્ષનો આ નિયમ..!

લખનૌમાં ભારતીય જનતા પાર્ટીના મુખ્યાલયમાં આયોજિત કાર્યક્રમ બાદ સાંજે ભૂપેન્દ્ર ચૌધરી મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ અને તત્કાલીન નાયબ મુખ્યમંત્રી કેશવ પ્રસાદ મૌર્યને મળવા તેમના સત્તાવાર નિવાસસ્થાને પહોંચ્યા

ઉત્તરપ્રદેશ : ભાજપના નવનિયુક્ત પ્રદેશ અધ્યક્ષ ભૂપેન્દ્ર ચૌધરી આપશે મંત્રી પદેથી રાજીનામું, કારણ બન્યો પક્ષનો આ નિયમ..!
X

લખનૌમાં ભારતીય જનતા પાર્ટીના મુખ્યાલયમાં આયોજિત કાર્યક્રમ બાદ સાંજે ભૂપેન્દ્ર ચૌધરી મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ અને તત્કાલીન નાયબ મુખ્યમંત્રી કેશવ પ્રસાદ મૌર્યને મળવા તેમના સત્તાવાર નિવાસસ્થાને પહોંચ્યા હતા, ત્યારબાદ આ નિષ્કર્ષ કાઢવામાં આવી રહ્યો છે.

યોગી સરકારના પંચાયતી રાજ મંત્રી ભૂપેન્દ્ર ચૌધરીએ સોમવારે ભાજપ પ્રદેશ અધ્યક્ષનો ચાર્જ સંભાળ્યો છે. પાર્ટી હેડક્વાર્ટરમાં આયોજિત કાર્યક્રમ બાદ સાંજે તેઓ મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ અને તત્કાલીન નાયબ મુખ્યમંત્રી કેશવ પ્રસાદ મૌર્યને મળવા તેમના સત્તાવાર નિવાસસ્થાને પહોંચ્યા હતા. આ બેઠકમાં એવું પણ ઉમેરવામાં આવી રહ્યું છે કે, તેમણે મુખ્યમંત્રી સાથે તેમનો વિભાગ છોડવાની વાત કરી હશે. વાસ્તવમાં ભાજપ પાસે એક વ્યક્તિ, એક પદનો સિદ્ધાંત છે. જે મુજબ પ્રદેશ પ્રમુખ બન્યા બાદ ચૌધરીને પંચાયતી રાજ મંત્રીની જવાબદારીમાંથી હટાવી દેવાશે તે નિશ્ચિત છે. લગભગ 3 વર્ષ પહેલા, જ્યારે આઉટગોઇંગ પ્રેસિડેન્ટ સ્વતંત્રદેવ સિંહને રાજ્ય સંગઠનની કમાન સોંપવામાં આવી, ત્યારે તેઓ યોગી સરકારના પ્રથમ કાર્યકાળમાં પરિવહન મંત્રી હતા. થોડા સમય બાદ તેમણે મંત્રી પદ છોડી દીધું. હવે, 2022ની વિધાનસભા ચૂંટણી જીત્યા બાદ સ્વતંત્રદેવને યોગી સરકાર-2.0માં જલશક્તિ મંત્રી બનાવવામાં આવ્યા છે. આ કારણે તેમણે થોડા દિવસો પહેલા રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડાને પોતાનું રાજીનામું પત્ર સુપરત કર્યું હતું, પરંતુ નવા પ્રમુખની નિમણૂક ન થાય ત્યાં સુધી તેમને કાર્યભાર સંભાળવા માટે કહેવામાં આવ્યું હતું. સોમવારે તેમણે નવા પ્રમુખને ચાર્જ સોંપ્યો હતો. હવે ટૂંક સમયમાં ભૂપેન્દ્ર ચૌધરી મંત્રી પદ પરથી રાજીનામું આપશે. આ સાથે એવી અટકળો પણ ચાલી રહી છે કે, હવે આ મહત્વનો વિભાગ કોને આપવામાં આવશે? એવી શક્યતા છે કે, આ વિભાગ નાયબ મુખ્યમંત્રી મૌર્યને આપવામાં આવે, જેઓ ગ્રામીણ વિકાસ વિભાગની જવાબદારી સંભાળી રહ્યા છે. ખુદ મુખ્યમંત્રી આ વિભાગ પોતાની પાસે રાખી શકે છે તેવી પણ ચર્ચા છે.

Next Story