Connect Gujarat
Featured

જુનાગઢ : ભારતીય સેનામાં ફરજ દરમ્યાન તલાલાનો જવાન શહીદ, શહીદ જવાનના પાર્થિવ દેહને વતન લવાયો

જુનાગઢ : ભારતીય સેનામાં ફરજ દરમ્યાન તલાલાનો જવાન શહીદ, શહીદ જવાનના પાર્થિવ દેહને વતન લવાયો
X

જુનાગઢ જિલ્લાના તલાલા-ગીરના વતની ભારતીય સેનામાં ફરજ દરમ્યાન શહાદત વહોરી લેતા શહીદ જવાનના પાર્થિવ દેહને તેમના વતન લાવવામાં આવ્યો હતો, ત્યારે જુનાગઢ જિલ્લા માજી સૈનિક સેવા સંગઠન દ્વારા વીર શહીદ જવાનના પરિવારને સાંત્વના પાઠવી પરિવાર પર આવી પડેલ દુખની ઘડીને સહન કરવાની પ્રભુ સમક્ષ પ્રાર્થના કરવામાં આવી હતી.

મા ભોમની રક્ષાકાજે અનેક જવાનોએ શહાદત વહોરી અમર થયા છે, ત્યારે જુનાગઢ જિલ્લાના તલાલા-ગીરના વતની ઈમરાન શાયલી રેજીમેન્ટમાં ફરજ બજાવતા તેઓનું આકસ્મિક મોત નીપજ્યું છે, ત્યારે તેઓ શહીદ થતા તેમના પાર્થિવ દેહને બુધવારના રોજ ભારતીય વાયુ સેનાના ખાસ હેલિકોપ્ટર મારફતે જુનાગઢ લાવવામાં આવ્યો હતો. ત્યાર બાદ રોડ માર્ગે જુનાગઢથી તલાલા ખાતે વીર શહીદ જવાનના પાર્થિવ દેહને પોતાના વતન લઈ જવામાં આવ્યો હતો, ત્યારે જુનાગઢ જિલ્લા માજી સૈનિક સેવા સંગઠન દ્વારા વીર શહીદ જવાનના પરિવારને સાંત્વના પાઠવી હતી. તો સાથે જ પરિવાર પર આવી પડેલ આ દુખની ઘડીને સહન કરવાની પ્રભુ શક્તિ આપે તેવી પ્રાર્થના પણ કરી હતી.

Next Story