કનિકાની હાલત સ્થિર, COVID-19ના પાંચમા પરીક્ષણમાં કોરોનાના કોઈ લક્ષણ જોવા ન મળ્યા
કોરોના વાયરસ (COVID-19)થી
પીડિત બોલિવુડ ગાયિકા કનિકા કપૂર માટે રાહતના સમાચાર આવ્યા છે. 19 સંજય ગાંધી પીજીઆઈના ડોકટરોએ કનિકાની હાલત સ્થિર ગણાવી છે, પરંતુ મોટા સમાચાર એ છે કે કનિકા
આ COVID-19ના કોઈ લક્ષણો મળ્યા નથી.
જ્યારે કોરોના વાયરસની પુષ્ટિ થઈ હતી ત્યારથી કનિકા
કપૂર 20 માર્ચથી લખનૌમાં સંજય ગાંધી પોસ્ટ ગ્રેજ્યુએટ
ઇન્સ્ટિટ્યૂટ મેડિકલ સાયન્સના આઇસોલેશન વોર્ડમાં ડોકટરોની દેખરેખ હેઠળ છે, કનિકાના કુલ ચાર પરીક્ષણ થયા છે. ચારેય પરીક્ષણમાં કોરોનાનો રિપોર્ટ પોઝિટિવ
આવ્યા છે, પરંતુ પાંચમી કસોટી પહેલા ડોકટરોએ તેમના સ્વાસ્થ્ય
વિશે સકારાત્મકતા જાહેર કરી હતી. અને કહ્યું હતું કે તેને કોરોના વાઇરસના કોઈજ લક્ષણ
મળ્યા નથી.
ખુદ કનિકાએ રવિવારે રાત્રે સોશિયલ મીડિયા પર
ચાહકોને જાણ કરી હતી કે તે સ્વસ્થ થઈ જશે. કનિકાએ ઇન્સ્ટાગ્રામ પર એક નોંધ લખીને
કહ્યું કે તમારી ચિંતાઓ બદલ આભાર, પણ હું આઈસીયુમાં નથી. હું
ઠીક છું મને આશા છે કે મારી આગળનું પરીક્ષણ નકારાત્મક આવે.હું મારા બાળકો પાસે પાછા
ઘરે જવાની રાહ જોઈ રહી છું.